________________
૩૯૬
ધન્ય ધરા:
(૪) ‘આત્માનંદ' (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન વહેલામોડા બધા સંકલ્પો પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિનો લાભ આપ્યો. ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલિતાણા આદિ સ્થળોએ, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બેલાપુર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યો. જીવનનાં અંતિમ વર્ષો મહાનગરી મુંબઈમાં વિતાવીને ૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧0 ને મંગળવારે બપોરે ૨-૩૦ વાગ્યે શાંતિપૂર્વક-સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિનશાસનનું એક મહાન પ્રકરણ પૂર્ણ થયું.
સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દૃષ્ટિ ધરાવતા હતા. જૈન-જૈનેતરોમાં ભેદ જોતા નહીં. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં અમદાવાદમાં યોજાયેલાં મુનિસંમેલનોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં સ્નેહ સંમેલન ગોઠવી, લોકોના પરસ્પરના મતભેદો મિટાવી, સંપ-સહકારનું વાતાવરણ રચતા. પ્રભુ, મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ એવી માન્યતા હતી. ભલે સૌ પોતપોતાની રીતે સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય તો એક જ છે અને તે આત્મશુદ્ધિ અને આત્મશુદ્ધિનો પ્રથમ પાયો છે પ્રેમભાવ, નિસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી જૈનસમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત આવશ્યક છે એમ મનાવતા.
સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેઓશ્રીને “સુધારક’ અને ‘સમયજ્ઞ’ એવાં વિશેષણોથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને જોડનારા એક વિશિષ્ટ અને સમયદર્શી પુરુષ હતા. આ ત્રણે ક્ષેત્રોના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થો કર્યા. સમાજને નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ.
ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રો પામવાં સહેલાં નથી.
પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન દૃષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજયશ્રી સર્વધર્મભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન યુગદૃષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસરઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” પૂજ્યશ્રી સાચા અર્થમાં યુગદેષ્ટા અને સમયદર્શી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સદ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્યદેવોને આભારી છે. એવા દિવ્ય, ભવ્ય જીવનથી સ્વ–પરકલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! પ. પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ. સાની પ્રેરણાથી શ્રી ધર્મનાથ-પાર્શ્વનાથ
જૈન છે. દેવસ્થાન ટ્રસ્ટ, ખંડાલા-ફાલના (રાજસ્થાન) મહવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા, શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય
વીતરાગશાસનની મહાન વિભૂતિ પ.પ, આ.શ્રી વિજયનેમિસુરિજી મ.સા.
અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે વીસમી સદીના સૌથી મોટા સૂરિચક્રચક્રવર્તીનું માનભર્યું સ્થાન પામનાર પૂજ્યશ્રીનો જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા (મધુમતી) નગરીમાં થયો હતો. ભાવનગર રાજ્યના એ ગૌરવવંતા બંદરે શેઠ પધા તારાના
Jain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org