________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૩૮૩
જિનશાસન નીકાના સમર્થ સુકાનીઓ
૨૫00 વર્ષનો જૈનશાસનનો ઇતિહાસ એમ કહે છે કે સિદ્ધાંત અને શાસન રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાળા આ શ્રમણસંસ્થાના સંઘનાયકો અને જ્યોતિર્ધરોને પ્રસંગે પ્રસંગે અનેક તાણાવાણામાંથી પસાર થવું પડ્યું છે. કાળબળની સામે પડકાર ફેંકીને પણ શાસનની આન-શાન વધારી છે. સો ટચના સોના જેવો શાસનનો મૂલ્યવાન વારસો જાળવવામાં આ પ્રતિભાસંપન્ન સંઘનાયકોની રોમાંચક વાતો ઇતિહાસના પાને જોવા મળે છે.
પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણા અજૈન હતા. અને વર્તમાનમાં પણ કેટલાક જૈનાચાર્યો જેનેતર છે. નશ્વર વિભવના આત્મઘાતક-રંગરાગને શાસ્ત્રવચનો દ્વારા ઓળખી સંસારી માયાને ફગાવી દઈ જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના તીર્થોદ્ધારકો, આગમગ્રંથોના સંશોધકો, અહિંસા ધર્મના પ્રસારકો એવા કેટકેટલા ધન્ય નામ થયાં છે. જૈન શાસનની આ મહાન વિભૂતિઓમાં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિજી મહારાજ, સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરિજી મહારાજ, જ્યોતિર્ધર યુગપુરુષ પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, તિતિક્ષાની મૂર્તિ પૂ. ભુવનભાનુસૂરિજી મ., મહુડી તીર્થના સ્થાપક પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આગમોદ્ધારક પૂ. આનંદસાગરસૂરિજી મહારાજ, આરાધક તપસ્વી પૂ. સિદ્ધિસૂરિજી મહારાજ, રૈવતગિરિના ઉદ્ધારક પૂ. નીતિસૂરિજી મહારાજ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. મોહનસૂરિજી મહારાજ, મહાન જ્યોતિર્ધર પૂ. લબ્ધિસૂરિજી મહારાજ, પંજાબ કેસરી પૂ. વલ્લભસૂરિજી મહારાજ, સંસ્કૃતિ શણગાર પૂ. કેસરસૂરિજી મકચ્છવાગડના દેશોદ્ધારકો, અનેક ધુરંધરો, પદસ્થો, આ બધા પરમ આદરણીય સંતોને કારણે ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ ગાજતો રહ્યો છે.
સાઋતકાલીન શ્રમણ સંઘના મહાન સૂત્રધાર; પ્રથમ પીયૂષયોનિધિ પરમ તપસ્વી પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજ્યજી દાદા
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ પચ્ચીસસો વર્ષ પૂર્વે ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી. પ્રભુજી ૭૨ વર્ષનું આયુષ્ય પાળી, અઘાતિ કર્મનો નાશ કરી નિર્વાણ પામ્યા. પ્રભુજીની પાટે શ્રી સુધર્માસ્વામીજી આવ્યા. ત્યાર બાદ ચરમ કેવલી શ્રી જંબૂસ્વામીજી આવ્યા. આ પાટપરંપરામાં જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી ૫૮મી પાટે થયા. ૬૯મી પાટે પં. શ્રી કીર્તિવિજયજી ગણિ થયા. તેમનો જન્મ ખંભાતમાં સં. ૧૮૧૬માં થયો હતો. તેમણે સં. ૧૮૬૧માં દીક્ષાગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. કસ્તૂરવિજયજી ગણિ થયા. તેમનો જન્મ સં. ૧૮૩૭માં પાલનપુરમાં થયો હતો. તેમણે સં. ૧૮૭૦માં પૂ. પં. કીર્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી સુધર્માસ્વામીની ૭૧મી પાટે થયા.
ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં
ભોયણીજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભોયણીજીની બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વીશા શ્રીમાળી જ્ઞાતિના જીવણદાસ શેઠ વસતા હતા. તેમના ધર્મપત્નીનું નામ ગુલાબદેવી હતું. સં. ૧૮૫૨ના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા અને ધંધાર્થે ખેડા જિલ્લાના પેટલી ગામમાં આવી વસ્યા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિવિજયજી મહારાજનો માતર તીર્થે સમાગમ થયો અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૧૮૭૭માં પાલી મુકામે પૂ. પં. શ્રી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા.
- તેઓશ્રી મહાતપસ્વી અને ઉગ્ર વિહારી હતા. એનાથી પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી આત્માઓ તેમના શિષ્યો બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બૂટેરાયજી, શ્રી મૂલચંદજી અને શ્રી દ્ધિચંદજીને દીક્ષા આપી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org