SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૩૦૫ ૧૮૯૫માં પણ આ કંકાલી ટેકરાનું ખોદકામ કરી અનેક વસ્તુઓ કાઢી છે, જેમાંથી તીર્થકર પ્રભુશ્રી (વર્ધમાન-) મહાવીરની એક પૂરા કદની મૂર્તિમાં સં. ૨૯૯ત્નો એક લેખ મળ્યો છે. જે શિલાલેખો અહીં મળ્યા છે તે ઈ.સ. પૂર્વે ૫૦થી આરંભીને ઈ.સ. ૧૦૫૦ સુધીના છે. અર્થાત્ તે દ્વારા ૧૧00 વર્ષનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. કેટલાક લેખો એવા છે કે જેમાં કોઈ સંવત નથી જે ઈ.સ. પૂર્વે ૫૦ વર્ષથી પણ વિશેષ જૂના છે. આ ટેકરામાં જે વસ્તુઓ મળી છે તે જૈન ગ્રંથોમાં લખાયેલ બાબતોને દઢ કરે છે. અર્થાતુ જે કથાઓ જૈનગ્રંથોમાં છે તે ચિત્રો અને મૂર્તિઓના આકારમાં અહીં ખોદેલી છે. વળી એક વાત સિદ્ધ થાય છે તે એ કે જૈન ધર્મ એ અતિ પુરાણો ધર્મ છે. આ ધર્મના અનુયાયીઓ બે હજાર વર્ષ પહેલાં પણ તેના ૨૪ તીર્થકરોમાં વિશ્વાસ કરતા હતા. આ ધર્મ ઘણું કરીને તે સમયે પણ એવો જ હતો કે જેવો અત્યારે છે. ગણ, કુલ અને શાખાના વિભાગો ત્યારે જ થઈ ગયા હતા. સ્ત્રીઓ સાથ્વીનું જીવન સ્વીકારીને ઉપદેશ દેતી હતી. તે સમયે ધર્મી મનુષ્યોમાં એનો વિશેષ આદર હતો. કંકાલી ટેકરામાં જે જૂની વસ્તુઓ મળી આવી છે તે દરેક વિશેષ કરીને લખનૌના અજાયબ ઘરમાં રાખી છે. ડૉ. કુહરરે તેમાંથી મુખ્ય વસ્તુના ફોટા ઉતારી એક પુસ્તક લખવાનો વિચાર રાખ્યો હતો, પરંતુ તે પહેલાં જ સરકારી નોકરીમાંથી છૂટા થઈ ગયા. આ કારણે આ પ્રાંતના ભૂતપૂર્વ નાનાલાટસર મેકડાનલે એ કામ વી. એ. સ્મિથ (I.C.S.) સાહેબને સુપ્રત કર્યું. તેમણે આ કામ કર્યું, કિંતુ જેમણે આ વસ્તુનો સંગ્રહ કર્યો હતો અને તેના ફોટા ઉતાર્યા હતા તે જ સાહેબ જો આનું વર્ણન લખત તો કોઈ અનેરો પ્રકાશ પાડત. બીજાએ મેળવેલ સાધનો પરત્વે લેખ લખવો કઠિન કાર્ય છે, પરંતુ ફરી પણ સ્મીથ સાહેબે કંકાલી ટીલામાંથી પ્રાપ્ત થયેલ વસ્તુઓની આલોચના લખી સુંદર કામ કરેલ છે. આ કામમાં તેને બાબુ પૂર્ણચંદ્રજી મુખરજીએ પણ થોડી ઘણી સહાય કરી છે. સ્મિથ સાહેબના સચિત્ર પુસ્તકને ગવર્નમેન્ટ ઈ.સ. ૧૯૦૧માં પ્રકાશિત કરેલ છે. વિષયના ક્રમ પ્રમાણે તેના ૨૩ ભાગ છે જેમાં ૧૦૭ ચિત્ર છે. આ પુસ્તકની સહાયથી અમે પ્રસ્તુત લેખ તૈયાર કર્યો છે. તે પુસ્તકમાં જે વસ્તુઓનાં ચિત્ર છે તે પૈકીની બે-ચાર વસ્તુઓના ટૂંક પરિચય આપી અમે આ લેખને સમાપ્ત કરવા ઇચ્છીએ છીએ. આયાગપટ-આ એક પથ્થરનો ચોરસ ટુકડો છે. તેની મધ્યમાં એક તીર્થકરની મૂર્તિ છે. તેની ચારે બાજુ એકદમ ઉત્તમ પ્રકારનું નકશીદાર કામ છે. જેનો પ્રાચીનકાળમાં જૈનમંદિરમાં તીર્થકરોના સમ્માન માટે આવા પટ લગાવતા હતા. આ પટની નીચે પ્રાચીન લિપિ (પુરાણા અક્ષર) વાળો એક લેખ છે. જેની શૈલી આ પ્રમાણે છે. આ લેખ પ્રાકૃત ભાષામાં છે તેનો ભાવાર્થ એ છે કે જેનો પિતા સિંહ નામે વણિક છે અને જેની માતા કૌશિકી છે તે સિંહનાદિક અથવા સિંહનંદિકે અરિહંતોની પૂજા તથા સન્માન માટે આ આયાગપટ સ્થાપિત કર્યો છે. તીર્થકરની એક પૂરા કદની પ્રતિમા–તેનો ઉપરનો જમણી તરફનો ભાગ જરા તુટી ગયો છે પરંતુ જિનમૂર્તિ અખંડ છે. બીડેલ આંખવાળી પદ્માસનમાં રહેલ આ મૂર્તિને જોઈને ભક્તિનો પ્રવાહ હૃદયમાં પ્રકટ થયા વિના રહી શકતો નથી. મૂર્તિના ધ્યાનસ્થ આકારથી ગંભીરતા અને પૂજ્ય ભાવ ટપકવા માંડે છે. તીર્થકરની એક મૂર્તિ - આ મૂર્તિ પણ પદ્માસનમાં ધ્યાનસ્થ બેઠી છે. તેની નીચે એક લેખ છે, જેમાં સં. ૧૦૩૮ (ઈ.સ. ૯૮૧) ખોદેલ છે. મથુરાના શ્વેતાંબર જૈનોએ આ મૂર્તિની સ્થાપના (પ્રતિષ્ઠા) કરી હતી. મહમૂદ ગઝનીએ ઈ.સ. ૧૦૧૮માં મથુરા ભાંગ્યું તેની પહેલાં ૩૭ વર્ષે આ મૂર્તિ સ્થપાઈ હતી. વળી મહમૂદની ચડાઈ પછી સ્થાપિત કરેલ મૂર્તિઓ પણ મળી છે. એથી સમજી શકાય છે કે જેનો પોતાના મથુરાના મંદિરમાં દશમાં તથા અગિયારમાં શતકમાં આનંદથી પૂજા-અર્ચના કરતા હતા, જેની સાથે ઘણો જ ઓછો વિરોધ કરવામાં આવતો હતો. (ઇતિ શ્રી ચતુર્વેદીના લેખમાંથી કાંઈક). સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૪ માંથી ઉદ્ધત કલિંગના ચક્રવર્તી મહારાજ ખારવેલના શિલાલેખનું વિવરણ (લેખક :- વિદ્યામહોદધિ શ્રીકાશીપ્રસાદ જાયસવાલ એમ. એ. પટણા), શ્રી ખારવેલ પ્રશસ્તિ, ભાષાનુવાદ. (૧૨)00000તે મગધવાસીઓને ભારે ભય ઉત્પન કરતો હતો. હાથીઓને સુંગાગેય (પ્રાસાદ) સુધી લઈ ગયો અને મગધરાજ બૃહસ્પતિમિત્રને પોતાના પગ ઉપર નમાવ્યો તથા રાજા નંદ દ્વારા લઈ જવામાં આવેલ કલિંગજિન મૂર્તિને અને ગૃહરત્નોને લઈ પ્રતિહારો વડે અંગ-મગધનું ધન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy