SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ધન્ય ધરાઃ કરી જેને જે સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માથુરી વાચના-‘સ્કાદિલી વાચના' કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમયે લગભગ આર્યરક્ષિતસૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. વિ.સં.ની બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાળા જૈન સ્તપથી તથા ત્યાંનાં કેટલાંક બીજાં સ્થાનોથી મળેલાં પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે પણ ત્યાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો, એટલું જ નહીં પરંતુ મથુરા જૈનોનું એક કેન્દ્રસ્થાન હતું. અહંતુ વર્ધમાનમહાવીરનું એક નાનું મંદિર બંધાવ્યાનો તેમાં લેખ છે, ઉપરાંત કેટલાક આચાર્યોના ગણ, શાખા વગેરેનો ઉલ્લેખ છે. આ આચાર્યોનાં નામ, ગણ, શાખા વગેરે શ્વેતાંબર કલ્પસૂત્રમાં જે આપેલ છે તેની સાથે મળતાં આવે છે તેથી તે શ્વેતાંબર સિદ્ધ થાય છે. | મથુરાસંઘ-પરિષદ્ जेसिं इमो अणुओगो पयरइ अजावि अड्ड-भरहम्मि । बहनयरनिग्गयजसे ते वंदे खंदिलायरिए ।। ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધાર શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયું હોવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલ સંકલનને “માઘુરી વાચના' કહેવામાં આવે છે. મુનિ કલ્યાણવિજય કહે છે કે આ વાચના વીરાતું ૮૨૭ અને ૮૪૦ની વચ્ચેના કોઈ વર્ષમાં યુગપ્રધાન આચાર્ય કંદિલસૂરિની પ્રમુખતામાં મથુરા નગરીમાં થઈ હતી. તેથી તેને “માથરી વાચના'-કહેવામાં આવી છે. તે સૂરિ વિદ્યાધર આમ્નાયના ને પાદલિપ્તસૂરિની પરંપરાના સ્થવિર હતા. જે રીતે ભદ્રબાહુસ્વામીના સમયમાં દુર્મિક્ષના કારણે શ્રુતપરંપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી તે રીતે આચાર્ય સ્કંદિલના સમયમાં પણ દુષ્કાળને કારણે આગમશ્રુત અવ્યવસ્થિત થઈ ગયું હતું, કેટલાક શ્રુતધર સ્થવિર પરલોકવાસી થયા હતા, વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠનપાઠનની પ્રવૃત્તિઓ બંધ થતી જતી હતી. આ સમયે તે પ્રદેશમાં આચાર્ય સ્કંદિલ જ એક વિશેષ શ્રતધર રહેવા પામ્યા હતા. દુર્મિક્ષનું સંકટ દૂર થતાં જ તેમની પ્રમુખતામાં મથુરામાં શ્વેતાંબર શ્રમણસંઘ એકત્ર થયો અને આગમોને વ્યવસ્થિત કરવામાં પ્રયત્નવાનું થયો. જેને જે આગમસૂત્ર યા તેના ખંડ યાદ હતાં તે લખી લેવામાં આવ્યાં. આ રીતે આગમ અને તેનો અનુયોગ લખીને વ્યવસ્થિત કર્યા બાદ સ્થવિર સ્કંદિલજીએ તે અનુસાર સાધુઓને વાચના આપી. તે કારણથી તે વાચના સ્કાદિલી વાચના' નામથી પણ પ્રસિદ્ધ છે. સ્થાપત્યની દષ્ટિએ મથુરા નામાકૃતિદ્રવ્યભાવેઃ પુનતસ્ત્રિજગન્જનમ્ ક્ષેત્રે કાલે ય સર્વસ્પિનર્ણતઃ સમુપાસ્મતે -પૂજ્ય કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અતિ પ્રાચીન અને સ્વતંત્ર શ્રી જૈન ધર્મના નમસ્કાર મહામંત્રમાં પ્રથમ પદ પર બિરાજમાન પવિત્રતમ-સુશોભિત શ્રી અરિહંત પૂજનીય-વંદનીય-દર્શનીય-ધ્યેય-ગેય-મનનીય ઉપાય| ચિંતનીય-માનનીય-વિશ્વાસનીય-સ્તોતવ્ય છે. એ ચાહે 2...ષ..ભ, વ...ધ...મા...ન એમ નામરૂપે હોય, જિન મંદિરમાં આકૃતિ-પ્રતિમારૂપે હોય, મેરુ શિખર ઉપર બાળપણમાં ઇન્દ્રો દ્વારા જન્મ-અભિષેક પામતા દ્રવ્યરૂપે હોય કે સમવસરણમાં બેસી બાર પર્ષદામાં પ્રવચન ફરમાવતા ભાવરૂપે રહ્યા હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈપણ કાળમાં હોય એ અરિહંતપણું ત્રણ જગતના જીવો પર સતત પરાર્થ કરતું હતું, કરી રહ્યું છે અને -વીસૂત્ર માથા ૩૩ -જેનો અનુયોગ અદ્યાપિ અર્ધ ભરત (ક્ષેત્રોમાં પ્રવર્તે છે–પ્રચલિત છે અને જેનો યશ બહુ નગરોમાં પ્રસિદ્ધ છે–વ્યાપી રહ્યો છે તે કન્દિલાચાર્યને હું વંદું છું. પાટલિપુત્ર સંઘ–પરિષદ્ધ જૈન સૂત્રો-આગમોને બને તેટલાં સંકલિત કરવામાં આવ્યાં હતાં, છતાં તે શ્રુતિની છિન્નભિન્નતા ઉત્તરોઉત્તર વધતી ગઈ–એટલે ત્યાર પછી, વીરનિર્વાણથી છઠ્ઠા સૈકામાં-પાટલિપુત્ર પરિષથી લગભગ ચારસે વર્ષે-આર્ય શ્રી સ્કંદિલ અને વજસ્વામીની નિકટના સમયમાં એક બીજી ભીષણ બારદુકાળી આવી. તે હકીકતનું વર્ણન આપતાં જણાવવામાં આવે છે કે : “બાર વર્ષનો ભયંકર દુકાળ પડ્યે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થળે હીંડતા-ફરતા હોવાથી શ્રતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા, એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું અને જ્યારે ફરી વાર સુકાળ થયો, ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી જેને જે સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંઘટિત કર્યું.” આ દુકાળે તો માંડ માંડ બચી રહેલ તે શ્રતની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy