________________
૩૬૪
ધન્ય ધરાઃ
અંકોડા ત્યાં મળી રહે છે, જૈનધર્મનું એક વિશેષ સુજ્ઞકાર્ય છે કે ખંડિત થયેલ મંદિર કે અમુક અંશમાં ખંડિત થયેલ પ્રતિમાની પુન:પ્રતિષ્ઠા કરી તેને ઉપયોગમાં લઈ શકાય છે. અત્રે જૈનધર્મની અતિ પ્રાચીનતાનો પરિચય કરાવે છે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. પં. ભુવનસુંદરવિજયજી ગણિવર મ. તથા પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી મ. સા., જેમનો ૩૩૩૨ વર્ષનો દીક્ષા પર્યાય છે. ચિંતનાત્મક સાહિત્યમાં ખૂબ રસ રુચિ ધરાવે છે.
પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી મ.સા.
પૂ. ગુરુદેવની કૃપાથી અને ધર્મપત્ની ભાનુબહેન તથા સુપુત્રી સાધનાબહેન આદિ ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વક રજા પામી દીક્ષા લીધી-સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહી છે. લાખ લાખ વંદનાઓ. મથુરાનગરી પણ ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્યની દૃષ્ટિએ પ્રાચીન હોવાનું જણાયું છે. પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના આ બન્ને પૂજ્યો તરફથી આ દિશામાં થયેલું સંશોધન દાદ માંગી ભે તેવું છે. આ પૂજ્યોના પરિચય જોઈએ– (પંન્યાસશ્રી ભુવનસુંદરવિજયજી મ.સા.
અત્યારે ઉંમર થઈ ૫૮ વર્ષ. દીક્ષા પર્યાય ૩૩ વર્ષ. તેઓ મૂળ અમરેલીના. નામ કિરીટ. સ્કૂલમાં નામ ભુપેન્દ્ર. માતા લીલાવંતીબહેન. પિતા નવલચંદ કિરચંદ ટોળિયા. દશાશ્રીમાળી જૈન. શ્રી સંભવનાથ ભગવાનની પૂજા કરતા–ધાર્મિક સંસ્કાર સાથે મોટા થયા.
અમરેલી ફોરવર્ડ સ્કૂલમાં મેટ્રિક પાસ કરી, અમરેલી સાયન્સ કોલેજમાં બી.એસ.સી. ફર્સ્ટક્લાસ. કેમેસ્ટ્રી-ફિઝિક્સ વિષયમાં પાસ કર્યું. સાવરકુંડલા કે.કે. હાઇસ્કૂલમાં સાયન્સ ટીચરની સર્વિસ કરી અને ૨૫ વર્ષની નવયુવાન વયે સાધુ-દીક્ષા અંગીકાર કરી. પૂજ્યપાદ્ મહાનજ્ઞાની જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્ય બન્યા. નામ પાડ્યું–મુનિ ભુવનસુંદરવિજયજી મહારાજ. ૮ મહિના પછી મોટાભાઈ ગુણવંતે દીક્ષા લીધી. તે મુનિ ગુણસુંદર વિ.મ. જ્ઞાન ભણતાં, સંયમ સાધતાં, ગામોગામ વિહાર કરતાં-ઉપદેશ આપતાં દીક્ષાજીવનના ૩૩ વર્ષ પૂરા થયાં.
૩૩ વર્ષમાં કુલ ૫૦૫૦ (૧૪.૫ વર્ષ) આયંબિલ કર્યા (દિવસમાં એકવાર લૂખું, બાફેલું, મીઠાઈ, ફૂટ, ફરસાણ, શાકભાજી, ઘી-દૂધ વગરનું અન્ન-કઠોળ જમવું) આમ ૧૪ વર્ષ, ૬ મહિના, ૨૦ દિવસોનાં આયંબિલનું તપ તથા ૧૮ વર્ષ, ૬ મહિના એકાસણાંનું તપ પૂર્ણ કરી ધન્ય બન્યા. પૂ. પંન્યાસ શ્રી ભુવનસુંદર વિ. મહારાજને તા. ૨૮-૧૦-૦૭, રવિવાર શુભદિવસે ૧00મી વર્ધમાન તપ આયંબિલની ઓળીનું પારણું થયું. આ નિમિત્તે તારીખ ૨૬-૨૭-૨૮ ઓક્ટોબર ૨૦૦૭ ત્રણ દિવસના ભવ્ય જિનભક્તિ મહોત્સવનું મુંબઈ–ઇલ (અંધેરી) શ્રી ગુજરાતી જૈન સંઘનું આયોજન હતું. પૂજ્યોને ભાવભરી વંદનાઓ. (નોંધ :-આ ગ્રંથ છપાય છે ત્યારે આ મહોત્સવ અતિ ભવ્ય રીતે શાસનપ્રભાવનાપૂર્વક ઊજવાઈ ગયો.) –સંપાદક
કા
Jain Education Intemational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org