________________
૩૪૬
ધન્ય ધરાઃ
T
t
"
. કા
Nitiii 1
ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના
સંસ્કૃત સ્રોતો ઇતિહાસનાં અનેકવિધ સાધનોમાં અત્યંત મહત્ત્વનું અને વ્યાપક સાધન સાહિત્ય છે. કોઈ પણ કાલમાં રચાયેલી સાહિત્ય- કતિઓ તે તે સમયના ઇતિહાસ અને સામાજિક તેમજ સાંસ્કૃતિક ‘જીવનને સમજવામાં અગત્યની છે. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ એટલે સલ્તનત કાલ (ઈ.સ. ૧૩૦૪થી ૧૫૭૩), મુઘલકાલ (ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૮) અને મરાઠાકાલ (ઈ.સ. ૧૭૫૮થી ૧૮૧૮)ને આવરી લેતો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. આ સમગ્ર કાલખંડની ઐતિહાસિક ઘટનાઓને એક યા બીજી રીતે વર્ણવતા કે પ્રસ્તુત કરતા સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથો પ્રસિદ્ધ છે. પંડિત વિવેકબીર ગણિએ સં. ૧૫૮૭, વૈશાખ વદ ૬ને રવિવારે (૭મે, ઈ.સ. ૧૫૩૧) “શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ' અપર નામ રૂાર્થસાધની રચના કરી. એમાં ગુજરાતના સુલતાન બહાદુરશાહ (સં. ૧૫૮૩–ઈ.સ. ૧૫૨૭) ચિત્તોડની ઓસવાલ જ્ઞાતિના કર્માશાહને શાહી ફરમાન મોકલ્યું અને કર્માશાહે શત્રુંજય પર્વત પર કુલદેવીની સ્થાપના કરી તથા મોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો અને વિદ્યામંડનસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હોવાનું જણાવ્યું છે.
સોમસુંદરસૂરિના શિષ્ય મુનિ પ્રતિષ્ઠાસોમે સં. ૧૫ર૪ (ઈ.સ.
૧૪૬૮)માં સોમસુંદરસૂરિજીના જીવનપ્રસંગોનું વર્ણન કરતું સોમભૌગ્યકાવ્ય” ૧૦ સર્ગોમાં રચ્યું છે. આ જ નામની કૃતિ તપાગચ્છના લમીસાગરસૂરિના શિષ્ય સુમતિ સાધુએ રચી છે. તત્કાલીન ગુજરાતના સામાજિક અને ધાર્મિક જીવન માટે એ કાવ્ય મહત્ત્વનું છે. તપા. ચારિત્રહંસના શિષ્ય સોમચારિત્રગણિએ સં. ૧૫૪૧ (ઈ.સ. ૧૪૮૪-૮૫)માં ગુરુગુણ રત્નાકરકાવ્ય ચાર સર્ગોમાં રચ્યું, જેમાં લક્ષ્મીસાગરસૂરિના જીવન-પ્રસંગો
વર્ણવેલા છે.
મુઘલકાલ આ કાલની ઐતિહાસિક ઘટનાઓને એક અથવા બીજી રીતે વર્ણવતાં હિંદુ-જૈન સંસ્કૃત સાહિત્યનાં સાધનોમાં જૈન કૃતિઓ ઘણી છે. જૈનેતર લેખકોનું ઐતિહાસિક સાહિત્ય અલ્પ છે.
આ કાલના જૈન ઐતિહાસિક સાહિત્યમાં આચાર્ય હીરવિજયસૂરિના જીવન વિશે લખાયેલી કૃતિઓ નોંધપાત્ર છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં આ પ્રભાવશાળી આચાર્ય હીરવિજયસૂરિના અને તેમના શિષ્યવૃંદના વિહારો, સામાજિક અને ધાર્મિક જીવનની એમની પ્રવૃત્તિઓ, મુઘલ સમ્રાટ અકબર અને તત્કાલીન શાસકો સાથેનો એમનો સંપર્ક અને પ્રભાવ, ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિને જીવંત રાખવામાં એમનું પ્રદાન અને શ્રેષ્ઠીવર્ગમાં આત્મવિશ્વાસની ભાવના વિકસાવવા એમણે કરેલા પ્રયત્નો–આ બધાંને લીધે એમના જીવનને કેન્દ્રમાં રાખીને રચાયેલી કૃતિઓ ગુજરાતના ધાર્મિક અને સામાજિક જીવનના અભ્યાસમાં અત્યંત મહત્ત્વની છે. આવી કૃતિઓમાં દેવવિમલ ગણિવિરચિત “હીરસૌભાગ્ય' કાવ્ય અત્યંત મહત્ત્વનું છે. ઐતિહાસિક પ્રસંગોથી ભરપૂર આ મહાકાવ્ય ૧૭ સર્ગોનું અને સટીક છે. એના પ્રથમ સર્ગમાં કવિએ ગુજરાતનું રાજકીય કેન્દ્ર અમદાવાદ, પુરાણું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org