________________
૨૯૬
૪૨૫)માં સંઘિલ અને પદ્માવતીના પુત્ર શંકર દ્વારા ગુફા પર તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. સ્કંદગુપ્તના ગુપ્ત સં. ૧૪૧(ઈ.સ. ૪૬૦)ના કહૌમ શિલાસ્તંભલેખમાં પાંચ અહંતોની સ્થાપના મંદ્ર નામના પુરુષે કરાવ્યાનો ઉલ્લેખ છે. પશ્ચિમ ભારતમાં જૈન ધર્મનો પ્રસાર
ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઈ.સ.ની પ્રથમ શતાબ્દીથી જૈન ધર્મ સુપ્રતિષ્ઠિત રૂપમાં જોવા મળે છે. ષટ્યુંડાગમ સૂત્રોના ટીકાકાર વીરસેનાચાર્યે દર્શાવ્યા અનુસાર વીરનિર્વાણથી ૬૮૩ વર્ષ સુધીની શ્રુતજ્ઞાની આચાર્યોની પરંપરા મુજબ ધરસેનાચાર્ય ગિરિનગરની ચંદ્રગુફામાં નિવાસ કરતા અને એમણે પુષ્પદંત અને ભૂતબલિ નામના આચાર્યોને જ્ઞાન પ્રદાન કર્યું, જેના આધારે આ બે આચાર્યોએ દ્રવિડ દેશમાં જઈ પખંડાગમની સૂત્રરૂપે રચના કરી.
ઈ.સ.ની ૩જી-૪થી સદીની ઢાંક (જિ. રાજકોટ) ગુફાઓની ઉત્તરે ઉપરના ભાગમાં ખડક ઉપર અલ્પમૂર્ત શિલ્પમાં ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર, શાંતિનાથ, અંબિકા અને તીર્થંકરોની પ્રતિમા કોતરેલી છે.
વીર નિર્વાણ પછી ૯૮૦ (ઈ.સ. ૪૫૩-૫૪) કે (ઈ.સ. ૪૬૬-૬૭) વર્ષે વલભીમાં દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં જૈન મુનિઓનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં જૈન આગમોનાં અંગોપાંગો વગેરે ૪૫ ગ્રંથ સંકલિત કરાયા.
ગુપ્તકાલના અંત સુધીમાં વલભી જૈન ધર્મનું અને એની પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર હતું. પ્રાચીન ગુર્જર દેશમાં જૈન ધર્મ વ્યાપક બન્યો. વડોદરા પાસે અકોટામાંથી મળેલી જૈન ધાતુપ્રતિમાઓ પર કોતરેલા લેખો મૈત્રકકાલની પ્રતિમાઓ હોવાનું દર્શાવે છે અને આ કાલ દરમ્યાન (ઈ.સ. ૫મી-૯મી સદી) અંકોટક (અકોટા) એ જૈન ધર્મનું મોટું કેન્દ્ર હોવાનું જણાય છે. મૈત્રક રાજા ખરગ્રહ ૧લાના અમરેલી તામ્રપત્રો (વલભી સંવત ૨૯૭=ઈ.સ. ૬૧૬)માં અનુમંજી નામના સ્થળે આવેલી શ્રાવકવાપીનો નિર્દેશ છે. મૈત્રક કાલની કેટલીક જૈન પ્રતિમાઓ પર લેખો કોતરેલા છે. આ પ્રતિમાલેખોમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પ્રતિમાઓ ભરાવ્યાના નિર્દેશ મળે છે. એમાં જૈન શ્રેષ્ઠીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનાં કુટુંબ અને નિવાસસ્થાન અંગે માહિતી મળે છે. અકોટાના એક પ્રતિમાલેખમાં ચંદ્રકુલની શ્રાવિકા નાગીશ્વરીએ જીવંતસ્વામી (મહાવીર સ્વામીના પૂર્વજીવન)ની પ્રતિમા ભરાવી હોવાનો નિર્દેશ છે. તીર્થંકર ઋષભદેવની ઊભી
Jain Education International
ધન્ય ધરાઃ
પ્રતિમા પરના લેખમાં નિવૃત્તિ કુલના જિનભદ્ર ગણિ વાચનાચાર્યનો નિર્દેશ છે. પાર્શ્વનાથની ત્રિતીર્થિક ધાતુપ્રતિમાના પાછળના ભાગમાં લેખ કોતરેલો છે, જેમાં નાગેન્દ્ર કુલની આર્ટિકા ખંભિલીએ આ પ્રતિમા કરાવી હોવાનું જણાવ્યું છે. ઋષભદેવની બે પ્રતિમાઓ પરના લેખોમાં વિદ્યાધર કુલનો ઉલ્લેખ છે. બેઠેલા જિનની પ્રતિમા પાછળના ભાગમાં કોતરેલા લેખમાં કાશäદ (કાસીન્દ્રા-રાજસ્થાન)ના નિવાસી દાતાનો ઉલ્લેખ છે.
દક્ષિણ ગુજરાતની રાષ્ટ્રકૂટ રાજાઓની લાટ શાખાના કર્કરાજ સુવર્ણવર્ષના શક સં. ૭૪૩, વૈશાખ પૂર્ણિમા (૨૧ એપ્રિલ, ઈ.સ. ૮૨૧)ના સુરતના તામ્રપત્રોમાં નાગસારિકા (હાલનું નવસારી)માંની મૂલ સંઘની જૈન સંસ્થાને એક ખેતર દાનમાં આપ્યાની વિગત નોંધી છે. તામ્રપત્રમાંની વિગતો અનુસાર નાગસારિકા વિષય (જિલ્લો)ના અંબાપાટક (હાલનું આમડપુર–નવસારીથી પાંચ માઇલ દૂર) ગામની ઉત્તર દિશામાં આવેલ હિરણ્યયોગ નામનું ઢાપુના કૂવાવાળું ખેતર દિગંબર સંપ્રદાયના સેન સંઘના મલ્લવાદીના શિષ્ય સુમતિના શિષ્ય જૈન ગુરુ અપરાજિતને મંદિરના નિભાવ માટે આપ્યું. તામ્રપત્રના આરંભમાં જિનેન્દ્રશાસનનો જય અને અંતમાં જૈન ધર્મની પ્રશસ્તિ આપવામાં આવી છે.
સોલંકી કાલ દરમ્યાન જૈન ધર્મને ખૂબ ઉત્તેજન મળ્યું અને આ ધર્મની અસર વધુ તીવ્ર થયેલી જોવા મળે છે. પ્રબંધોમાં સોલંકી રાજાઓએ તેમજ એમના સામંતો અને દંડનાયકોએ કરાવેલાં અનેક જિનાલયો વિશે માહિતી મળે છે. આ ઉપરાંત સમકાલીન અને અનુકાલીન સાહિત્યમાં આ સમયના અસંખ્ય સૂરિઓની તથા સાહિત્યકારોની માહિતી મળે છે. એવી રીતે અભિલેખોમાંથી પણ વિપુલ પ્રમાણમાં માહિતી મળે છે.
ચામુંડરાજ, કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહે જિનાલયોને ઘણાં ભૂમિદાન આપેલાં. ભીમદેવ ૧લાના દંડનાયક વિમલે સં. ૧૦૮૮માં આબુ પર વિમલવસહી નામે પ્રસિદ્ધ આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું, જેનો ઉલ્લેખ આ મંદિરના જીર્ણોદ્ધારને લગતા સં. ૧૩૭૮ (ઈ.સ. ૧૩૨૧-૨૨)ના પ્રશસ્તિલેખમાં થયો છે. વિ. સં. ૧૨૦૬ (ઈ.સ. ૧૧૫૦)માં કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો.
કર્ણદેવ ૧લા અને સિદ્ધરાજ જયસિંહના અનુક્રમે વિ. સં. ૧૧૪૦ (ઈ.સ. ૧૦૮૩-૮૪) અને વિ.સં. ૧૧૫૬ (ઈ.સ. ૧૦૯૯-૧૧૦૦)ના લાડોલ (વિજાપુર પાસે, ઉ. ગુજરાત)નાં
For Private & Personal Use Only
www.jainelibrary.org