________________
૨૫૦
રચના : આ મોટા મંદિરમાં મૂળ પ્રાસાદ સાથે ગૂઢમંડપ, મુખ ચતુષ્કી અને બે બાજુ ખુલ્લી જગ્યા છે. સાંધાર શૈલીના મંદિરના ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણાપથ છે.
મંદિરને ૭૨ દેવકુલિકા છે, જેમાં થાંભલાવાળી પરસાળ ગૂઢમંડપના દ્વારની સમાન ધરી ઉપર છે અને એની સામે માળવાળી બાલનક છે. મુખ્ય મંદિરના કોમ્પ્લેક્ષમાં આ બંધબેસતું નથી. ઈ.સ. ૧૫મી સદીના ચૈત્યપરિપતિ આ દેવકુલિકાઓ વસ્તુપાલે ઉમેરાવી એવો ઉલ્લેખ કરે છે. મંદિરમાં રંગમંડપ નથી.
સમચોરસ જગ્યા ৩০ દેવકુલિકાઓથી અને થાંભલાવાળી પરસાળથી ઘેરાયેલ છે. મંદિરની આજુબાજુનો રસ્તો તેમજ બાજુના મંડપની રચના સીડીવાળી છે. મંડપ, ચોરસ છે, જેમાં વચ્ચે ખુલ્લી જગ્યા છે અને જેની આજુબાજુ ૨૨ થાંભલાઓ છે, જે પરસાળ રચે છે. ખરેખર તો વિમાન કે મંદિરની બહારની ઊંચાઈમાં જ પહેલા મંદિરનાં લક્ષણો દેખાય છે. શિખરમાં ઉરુશ્રૃંગનાં ઝૂમખાં કે જે ઈ.સ. ૧૨મી સદીની સોલંકી શૈલીમાં છે.
મંદિરમાં જાળીવાળા ઝરોખાની બારીઓ છે.
જેસલમેર
જેસલમેર, રાજસ્થાનનો એક જિલ્લો, જેનું મુખ્ય શહેર જેસલમેર છે એ પોતાની શિલ્પકલા માટે પ્રખ્યાત છે. ભારતના
જેસલમેરતી અજોડ કલાકારીગરીતો સુંદર તમૂતો
Jain Education International
ધન્ય ધરાઃ
વાયવ્ય ખૂણામાં આવેલ આ જિલ્લો ભૌગોલિક દૃષ્ટિએ બહુ મોટો છે પરંતુ વસ્તીમાં નાનો છે. ઈંટોના કિલ્લાની દીવાલ અંદર આવેલ આ કિલ્લાએ ઘણી બધી લડાઈઓ જોઈ છે. બધી જ આફતોમાં આ અડીખમ ઊભો રહ્યો અને સુંદર કલા અને શિલ્પકામની રચનાના ફેલાવામાં સાથ આપતો રહ્યો. આ જોધપુર તેમજ અન્ય મુખ્ય શહેરો સાથે એસ.ટી. અને રેલ્વેથી જોડાયેલ છે. અહીંયાં પર્યટકોની ગિર્દી હોય છે એટલે હોટેલ, ધર્મશાળા, રેસ્ટહાઉસ વગેરે છે. પુષ્કળ જૈન મંદિરો
જેસલમેરનાં જૈનમંદિરો સોલંકી અને વાઘેલાશૈલી ઉપર પરંતુ થોડા ફેરફાર સાથે બાંધેલાં છે. આ મંદિરો પરંપરાગત બાંધેલાં છે. જગતી, પડથાર, જેના મધ્ય ભાગે સીડી છે એ શિલ્પકામ અને મોલ્ડિંગથી સુશોભિત છે. એના ઉપર આખું મંદિર ઊભું છે, જેમાં મૂળ પ્રાસાદ, ગૂઢમંડપ, મુખમંડપ (ટ્રીકા) અથવા થાંભલાવાળી પરસાળ અને રંગમંડપ છે. આજુબાજુમાં દેવકુલિકા છે. મંદિરની આજુબાજુમાં થાંભલાવાળી પરસાળ છે.
જેસલમેરનાં મંદિરો કિલ્લાની અંદર આવેલાં છે. પાર્શ્વનાથનું ઊંચું અને શિખરબદ્ધ મંદિર જાણે કે સમૂહનું મુખ્ય મંદિર જોઈ લ્યો! એની ડાબી બાજુ સંભવનાથનું મંદિર છે અને જમણી બાજુ શીતલનાથજીનું મંદિર છે. એની સામેની બાજુ ડાબી બાજુ પર કુંથુનાથજી અને શાંતિનાથજીનાં મંદિરો આવેલાં છે અને આની સામે અને પાર્શ્વનાથની જમણીબાજુમાં ચંદ્રપ્રભુજીનું ભવ્યમંદિર છે. ચંદ્રપ્રભુજીની બાજુમાં જમણી બાજુએ ઋષભદેવનું મંદિર છે. આ બધા સમૂહથી દૂર અને મોતીમહેલની પાછળની બાજુએ કિલ્લામાં મહાવીર સ્વામીનું મંદિર એકલું અટૂલું ઊભું છે.
સંભવનાથ મંદિર
પાર્શ્વનાથ મંદિરની ડાબી બાજુએ આવેલ સંભવનાથના મંદિરમાં પાર્શ્વનાથ મંદિરના રંગમંડપમાંથી જ્વાય છે. આ મંદિરના ભોંયરામાં પ્રખ્યાત જિનભદ્રસૂરિજ્ઞાન-ગ્રંથભંડાર આવેલ છે, જેમાં જૈન હસ્તપ્રત અને મહત્ત્વના ગ્રંથો સાચવેલ છે. આ ગ્રંથાલયનાં પુસ્તકોમાં સૌથી જૂનું પુસ્તક ઈ.સ. ૧૦૬૦નું ‘ઓઘા નિર્યુક્તિ વૃત્તિ’, કે જે તાડપત્ર પર લખેલ હસ્તપ્રત છે.
શીતલનાથજીના મંદિરમાં સંભવનાથના રંગમંડપમાંથી જ જવાય છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ઈ.સ. ૧૪૫૧માં થઈ. પરંપરાગત શૈલી ઉપર જ મંદિર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org