SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ધન્ય ધરાઃ શરીર ભલે સુંદર હોય પરંતુ એની અંદર પણ નાશવંત વસ્તુઓ જ ભરી છે. ઐતિહાસિક કાળની ધાતુપ્રતિમાઓની પાર્શ્વનાથની જૂની મૂર્તિ છે જે હાલના છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય-મુંબઈમાં છે. એના અવયવો લાંબા અને પાતળા છે, ચહેરો પુરાતન કે જેને જૂના ટેરાકોટાની મૂર્તિઓના કે હરપ્પન નૃત્યાંગના સાથે સરખાવેલ છે. ઉત્તરભારતમાં ઈશુની શરૂઆતની સદીઓની કાંસ્ય ધાતુની મૂર્તિઓ બહુ ઓછી છે. કૃષાણકાળ દરમ્યાન ધાતુ કામની માહિતી, બિહારના બકસર પાસે આવેલ ચૌસા કે જ્યાંથી ધાતુ મૂર્તિઓનો સંગ્રહ મળ્યો છે, (હાલમાં પટના સંગ્રહાલયમાં છે એમાંથી મળે છે) એનો સમય છે ઈ.સ.ની પહેલી-બીજી શતાબ્દીથી ચોથી શતાબ્દી સુધીનો. બધી જ મૂર્તિઓ નગ્ન તીર્થકરની છે. એ ઉત્તર ભારતના ધાતુપ્રતિમાના અભ્યાસની ખાલી જગ્યા પૂરી કરે છે અને એમાંની ત્રણ મૂર્તિઓ ગાંધારકાળની અસર દેખાડે છે. ધર્મચક્ર એ ખૂબ જ રસપ્રદ છે. પાર્શ્વનાથની મૂર્તિ ઈ.સ. પૂર્વે ૧લી સદીના કાળમાં મૂકી શકાય ચકેશ્વરી દેવી જૈત-દેરાસર(નવું દેરાસર) વડનગર પશ્ચિમ ભારતમાં આ શૈલી ઈ.સ. પમી સદીથી શરૂ થઈ કે જેનું સૂચન આકોટાની જીવંતસ્વામીની મૂર્તિથી મળે છે, જેનો સમય ઈ.સ. ૫૦૦ની આસપાસ છે. ગળાની રેખા, હાથ અને મુકુટ એ બધાં વહેલા ગુપ્તકાળનાં છે. ધોતીના મધ્યભાગમાં પાટલી અને ઊડતા છેડા છે અને એ શામળાજીની પથ્થરની શિવમૂર્તિ કરતાં ઓછું પારદર્શક છે. ઋષભનાથની કાંસ્યમૂર્તિ જે જિનભદ્ર વાચનાર્થે સ્થાપિત કરી હતી એ પણ ગુપ્તકાળની આકોટાથી જ મળેલ છે. એનો સમય ઈ.સ. ૫૦૦-પ૪૦ની આસપાસનો છે, જે ગુપ્ત શૈલીથી થોડી નવીનતા દેખાડે છે. પશ્ચિમ ભારતની બીજી એક પહેલી મૂર્તિ એ નાગેશ્વરી સ્થાપિત જીવંતસ્વામીની ઊભી મૂર્તિ છે, જેના પેડેસ્ટલ ઉપર લેખ છે, જેમાં ઈ.સ. ૫00ના શબ્દ દેખાય છે. એ પણ આકોટામાંથી મળેલ છે. સીરપુર (M.P.) માં, મુનિ શ્રી જિનવિજયજીના સંગ્રહમાં આવેલ સુંદર તારાની મૂર્તિ ઈ.સ. ૯૦૦ની છે અને ગુપ્તકાળ પછીના ઉત્તરભારતની ઉત્તમ કારીગરીના બેનમુન નમૂના છે. મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના રાજનાપુર ખીનખીનીમાંથી ઘણી જૈન કાંસ્યમૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. જલગાંવ જિલ્લાના ચહારડી ગામમાંથી મળેલ ચોવીસીની મૂર્તિ, જે હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલયમાં છે અને જેની સ્થાપના જલવૃદ્ધમાંના ચંદ્રકુળના પ્રદ્યુમ્ન આચાર્યના શિષ્ય કરી હતી એ રાષ્ટ્રકૂટકામનો ઉત્તમ નમૂનો છે. જૈન મંદિર-તળાજા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy