________________
૨૨૪
ધન્ય ધરાઃ
તો એ પ્રતિમામાં પરમાત્માના પરમાણુનો (દિવ્ય ચેતનાનો) વાસ થયા વિના રહે નહીં. મુહૂર્તની પ્રધાનતા છે, તેટલી જ સાધના અને મંત્રની તેમજ પ્રતિમાશાસ્ત્ર મુજબ સંરચનાની અતિ આવશ્યકતા છે. પ્રતિમામાંથી ઓજ અને ઓરા સાધનાચાર્યનાં આંતરિક બળ, તપ-તેજ દ્વારા સંક્રમિત થઈને બહિ:પ્રગટીકરણ થઈ શકે! દરેક કાર્ય-કારણભાવની દૃષ્ટિએ સર્વોચ્ચ સાધનાથી આર્યસુહસ્તિસૂરિ મહારાજાએ શક્તિપાત કેવો કર્યો હશે? તે આજના કાળના પદસ્થોએ વિચારણીય બાબત જાણવી. મંત્ર- શાસ્ત્રના પ્રકાંડજ્ઞાની યુગપ્રધાન પૂજ્યપાદ આ. ભ. આર્યસુહસ્તિસૂરિજીના ચરણે અનંતશઃ વંદના. ૧૪૪૪ ગ્રંથકર્તા, ચાકિની મહત્તા સુનુ પૂ. પાદ આ. શ્રી હરિભદ્રસૂરિ મ.
ભૂદેવફળમાં ભોમંડલસમા, ચિત્તોડના રાજપુરોહિત, પંડિતશિરોમણી હરિભદ્ર બ્રાહ્મણ પ્રકાંડવિદ્વાન હતા. અતિપ્રજ્ઞતાને કારણે અહંકારમૂર્તિ બની બેઠા હતા. અહંકાર ઓગળે તો જ અંતર ખુલી શકે. તે અંતરને પૂર્ણપણે ખોલવા આગમનું આચમન જરૂરી. અહંકારરૂપી પહાડને તોડવા ખુદને કંઈક ખોવું પડે, કંઈક ખોળવું પડે, પરંતુ તે મદમસ્ત ગજરૂપી હરિભદ્ર વિખે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, જે કોઈ વ્યક્તિ “મેં ન સાંભળ્યું હોય તે, મને ન સમજાય, ન આવડે તેવી શાસ્ત્રપંક્તિ સંભળાવે, તો હું તેનો શિષ્ય બની જઈશ”. સર્વશાસ્ત્ર પારગામી પોતાની જાતને માનતા હરિભદ્ર પુરોહિતજીની આ પ્રતિજ્ઞાએ જીવનપલટો આણી દીધો. રાજમાર્ગથી પસાર થતાં, પાસેના એક ઉપાશ્રયમાં બિરાજમાન જૈન સાધ્વીજી યાકિની મહત્તા નામે, “બૃહતું સંગ્રહણી’ ચક્કીદુર્ગ ચક્કીદુર્ગ પણદુર્ગ ચક્કીદુર્ગ નામે ગ્રંથનો સ્વાધ્યાય મૃદુ અને મંજુલ સ્વરે કરી રહ્યાં હતાં. તે ગાથાઓ સાંભળી વિપ્રશિરોમણિ ઘડીક થંભી ગયા. તે ગાથાઓનો અર્થ તો દૂર રહ્યો, શબ્દ સમજવામાં પણ મૂંઝવણ થવા માંડી. ખૂબ મથામણ કરી પણ આટઆટલાં ભણી ગયેલાં શાસ્ત્રોમાંથી કીમિયારૂપ શ્લોક કે તેનો અર્થ ન પકડાયો. બસ, તત્કાળ ગર્વના ગોવર્ધન પર્વતને ગાળી તળેટીએ પહોંચ્યા. પ્રતિજ્ઞા મુજબ સીધા તે ઉપાશ્રયમાં રહેલાં સાધ્વીજી પાસે ગયાં. પોતાની પ્રતિજ્ઞા જણાવી, અને ગાથાનો અર્થભાવાર્થ આદિ પૂછવા લાગ્યા અને પોતાને શિષ્ય બનાવવાની વિનમ્ર ભાવે અરજ કરી પણ સમયજ્ઞા એવાં મહત્તરા સાધ્વીજીએ તેમને પૂજ્યપાદ આ. ભ. શ્રી જિનભદ્રસૂરિ મ.નો પરિચય કરાવ્યો. પછી તો ભાવતું'તું ને વૈદ્ય બતાવ્યું' સૂરીચક્રવર્તી પાસે રહી દરેક પ્રશ્નોના સમાધાન મળતાં
ગયા. પછી તો પૂછવું જ શું? વિપ્ર મટી વીતરાગ શાસનના વિરલા વિરાગી મહાત્મા બની ગયા. સૂરિજીના ચરણે મનવચન-કાયાથી એવા ઓગળી ગયા કે સૂરિભગવંતને જિનશાસનની શ્રુતસેવા કરનાર અનમોલ રત્નની પ્રાપ્તિ થઈ ગઈ. ખરેખર, તેઓ વેદવિજ્ઞાનના વેત્તા તો હતા જ. વળી ગુરુકૃપાના બળે જિનાગમોનાં રહસ્યવેદી પણ થોડા જ સમયમાં થઈ ગયા અને યોગ્યતાના કારણે સૂરિ ભગવંતે તેમને પરમ શ્રેષ્ઠીના તૃતીયપદે પણ અલંકૃત કર્યા.
પૂજયપાદ હરિભદ્રસૂરિ મહારાજાએ જિનશાસનને ૧૪૪૪ ગ્રંથોની અમૂલ્ય ભેટ આપી છે. પૂજ્યશ્રીએ ન્યાયવ્યાકરણ-કાવ્ય-છંદ-યોગના ગ્રંથોમાં અભુત ખેડાણ કર્યું છે. ઘણાં ઘણાં શાસ્ત્રોની ટીકાઓ પણ રચી છે. બાલજીવો માટે લધુસંગ્રહણી’ જેવી રચના પણ તેમણે જ કરી છે તે જોડશકાદિ ગ્રંથોની ભેટ પણ તેમણે જ આપી છે. “દિનશુદ્ધિ દીપિકા' જેવા
જ્યોતિષગ્રંથો પણ પૂજ્યશ્રીએ લખ્યા છે. તે સિવાય નિમિત્તશાસ્ત્ર-હસ્તરેખા-ફળાદેશનાં ગ્રંથો જૂના ભંડારોમાં હસ્તલિખિતપત્રો રૂપે ભંડારેલા છે. આ બાબતમાં સંશોધન કરવું હિતાવહ છે. પેલા ગરીબ લલિગના ભાગ્યબળે પૂજ્યશ્રીનું જ્ઞાનબળ નિમિત્ત બન્યું. માત્ર વ્યાપાર અર્થે વિદાય થતા ગરીબ શ્રાવકને શ્રેષ્ઠ મુહૂર્ત આપવામાં નિમિત્ત બન્યા તો, તે શ્રેષ્ઠી દ્વારા શાસનનાં કાર્યોમાં વેગ મળ્યો. પોતાના ગુરુદેવની હૃદયની મૂંઝવણ જાણીને અચિત્ત પ્રકાશ પાથરતા રત્નને ઉપાશ્રયમાં એવી જગ્યાએ જડાવી દીધું કે, પૂજ્ય હરિભદ્રસૂરિ મ.સા. રાતે પણ ગ્રંથસર્જનનું કાર્ય ખૂબ જ નિશ્ચિતતાપૂર્વક કરી શકે. ખરેખર, પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મ.સા.ની જોડે આ લલિગ પણ જિનશાસનના ઇતિહાસમાં અમર બની ગયો.
- પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.સા. બૌદ્ધોની સભામાં પડકાર ફેંકીને ૧૪૪૪ કે તેથી પણ વધુ બૌદ્ધપંડિતોને જીતી વાદિવિજેતા બન્યા હતા. તે પછીની વાત તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ દીર્ધદ્રષ્ટા ગુરુદેવ પાસેથી આલોચનારૂપે જે શ્રુતસર્જનની માહિતી મળતાં, તનતોડ ને મનમોડ મહેનતે ચડી પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજાએ આપણને આગમોના આધારે શાસ્ત્રોના અમૃતકુંભો તૈયાર આપી દીધા છે. આપણે તેનો આસ્વાદ માણી સ્વાધ્યાય દ્વારા વાગોળવાનું જ રહ્યું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ મહાનવિભૂતિએ જે ખેડાણ કર્યું છે તે જગતમાં અવ્વલ કક્ષાનું ગણી શકાય. જિંદગીની છેલ્લી ક્ષણો ગણાઈ રહી હતી, ત્યારે પણ સંસાર દાવા...ની રચના ચાલતી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org