SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધન્ય ધરા: પોતાના મુખથી શોક કરી રહેલ જાગનાથ નામના જાવડશેઠના પુત્રને કહી તેનો સંતાપ દૂર કર્યો હતો. (૧૦) સાધ્વી પાહિની કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના સંસારી પક્ષે કહેવાતા માતા પાહિનીએ સુંદર સંયમયાત્રા પૂર્ણ કરતાં આયુપૂર્ણ થવાના સમયે પુત્રાચાર્યજીની ઉપસ્થિતિ ઇચ્છી. શાસનપ્રભાવક ધર્મધુરંધરાચાર્યજી ઉપસ્થિત થઈ ગયા, જેથી સકળ સંઘે મળી મરણમુખા સાધ્વી ભગવંતની સમાધિ નિમિત્તે લાખોનાં દાન જાહેર કર્યા, સાથે શ્રીસંઘે જાહેર કરેલ કુલ ૩ કરોડનું દાન છતાંય ઉદાસ સાધ્વીજી ત્યારે જ સંતોષ-તોષ પામ્યાં જ્યારે પોતાના પનોતા પુત્રાચાર્યજીએ પણ નૂતન સાડાત્રણ કરોડ શ્લોકપ્રમાણ સાહિત્ય અને સવાકરોડ મહામંત્ર નવકારનો જાપ માતા સાધ્વીની સમાધિહેતુ જાહેર કર્યો. જીવિત મહોત્સવ કરતાંય વઘારે સુકૃત બંધાવી સાધ્વીજી સ્વયં સુખેથી દેવલોકે પહોંચી ગયાં. આજેય પણ તે વાત યાદ કરાય છે. (૧૧) શેઠ શાંતિદાસ અકબરના સમયકાળ દરમ્યાન થઈ ગયેલ સિસોદિયા વંશના શ્રેષ્ઠી શાંતિદાસ ખ્યાતનામ જૈન વ્યાપારી. અકબરે તો તેમના પોતાના અંગત ઝવેરી તથા ખુશ થતાં અમદાવાદના નગરશેઠ બનાવી દીધા. વિ.સં. ૧૯૨૫ની સાલમાં તે સમયની નવ લાખ મુદ્રા ખરચી તેમણે મેરૂતુંગ પ્રસાદની રચના કરી પણ વીસ વરસે જ વિ.સં. ૧૯૪પમાં નવા બનેલ અમદાવાદના સૂબા ઔરંગઝેબે આખાય જૈન મંદિરને રાતોરાત મસ્જિદમાં ફેરવી દીધું....પણ તે પૂર્વે જ બધીય પ્રતિમાજીઓને દહેરાસરમાંથી પાછી મેળવી લેવામાં શાંતિદાસજીને સફળતા મળી ગઈ હતી, જેનો તેમને સંતોષ હતો પણ પોતાની ગેરહાજરીમાં વળી નવી આફત મુસ્લિમ બાદશાહ ઊભી ન કરે તેથી બાકીની જિંદગીનાં સારાં એવાં વરસો તીર્થરક્ષાનાં ફરમાનો મેળવી લેવામાં કાઢ્યાં અને જૈન તીર્થોના ખાસ રક્ષક અને રાગી શેઠજી વિ.સં. ૧૮૫૯ની સાલમાં સિત્તેર વર્ષની વયે કાળધર્મની જેમ સમાધિમૃત્યુ પામી દેવલોક સિધાવી ગયા. આજેય પણ તેમનું બંધાવેલ દહેરાસર ખંડિયેર સ્થિતિમાં મસ્જિદરૂપે આણંદજી કલ્યાણજીના કબજામાં છે. (૧૨) ઉદારદાતા જગડૂશાહ વિ.સં. ૧૩૧૩, ૧૪ અને ૧૫ની સાલના ત્રિવરસીય ભયાનક દુકાળમાં પોતાના ઉપકારી ગુરુદેવ પરમદેવસૂરિજીની પ્રેરણાથી ૧૧૨ જેટલી દાનશાળાઓના માધ્યમે લગભગ આઠ અબજ, સાડા છ કરોડ મણ અનાજનું વિતરણ વિનામૂલ્ય કરી જગડૂશા તો પરમદાનવીરનું બિરુદ પામી ગયા, પણ સાથે રાજાઓ પણ તેમની પાસેથી દાન મેળવી કતાર્થ થઈ ગયા, તેવો પ્રસંગ નિકટના કાળમાં જોવા-જાણવા નથી મળતો. આવા જૈન જગતના જવાહર શ્રેષ્ઠીનું જ્યારે નિધન થયું ત્યારે મુખ ઉપર લોકોપકારની ખુમારી નહીં પણ ઉત્તમસમાધિ હતી. જેમના માનમાં સિંધપતિએ બેદિવસ અન્નપાણી ન લીધાં, રાજા અર્જુનદેવ રડી પડ્યા અને દિલ્હીના મુસ્લિમ બાદશાહે માથેથી મુગટ ઉતારી લીધો તેમનું મરણ પણ મહોત્સવરૂપ હતું. (૧૩) મુલુંડવાસી માવજીભાઈ આજથી થોડાજ વરસો પૂર્વે મુલુંડમાં રહેતા માવજીભાઈને અચાનક લકવો થયો. દેહની વ્યાધિમાં એક દિવસ રાત્રે બાર વાગે દેવી સંકેત થયો કે તમે અંતિમ આરાધના કરી લ્યો. તરત સવારના પહોરમાં એક પણ ઉપવાસ ન કરનારા તેઓએ અણસણ લઈ લીધું. ઘરનાં લોકો તેમનાં પારણાંની વાટ જોતાં રહ્યાં તેટલામાં તો દસમા ઉપવાસે અકડાયેલા હાથ-પગ હાલતા-ચાલતા થઈ ગયા અને ચાલું ઉપવાસના તપમાં થોડા જ દિવસો પછી સીમંધરસ્વામીનો જાપ કોઈકે રાત્રે કાન માધ્યમે આપ્યો. ચોવીસ કલાક તે જ જાપમાં લીન બનતાં છેક ૯૦ ઉપવાસે પહોંચી ગયા. ડૉક્ટરોએ, સાધુસંતોએ તથા સંઘના ભાવિકોના આશ્ચર્ય વચ્ચે લગીર તકલીફ વગર પોતાનું બધુંય વોસરાવી, ધન-દૌલતનું મમત્વ પણ ત્યાગી, સાધુ જેવી સીધીસાદી જીવનદશા સાથે દસમા ઉપવાસે માવજીભાઈએ તા. ૪૯-૯૩ના દિવસે શનિવારે રાત્રે ૧=૩૦ વાગ્યે નવકારસ્મરણ સાથે દેહ ત્યાગી દીધો અને જાણે અધૂરી ઝંખના–ભાવનાની સિદ્ધિ માટે મહાવિદેહ તરફ વિચરણ કરી દીધું. (૧૪) રતિલાલ જીવણભાઈ વઢવાણનિવાસી ચુસ્તધર્મી શ્રાવક જેમના ઘેર રાત્રિભોજન મહેમાનોને તો ઠીક પણ પોતાના વ્યાવસાયિક શેઠ ઇન્દોરવાસી હુકમીચંદજીને પણ ન કરાવતાં ઘરમાં દેકારો મચી ગયો અને અંતે ભરી સભામાં જેમની મક્કમતા તેમનાં જ શેઠે વખાણી હતી. સગી દીકરીનાં લગ્ન પ્રસંગે જાનૈયાઓને પણ સાંજે મોડેથી ઘેર આવતાં ચા-પાણી પિવડાવી મહેમાનગતિ પતાવી દીધેલ. સારણગાંઠના ઓપરેશન પછી પણ હોસ્પિટલમાંથી નર્સ સાથે પતાવટ કરી ઉપરાઉપરી સાત દિવસ પ્રભુદર્શન કર્યા, ઉપરાંત Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy