________________
૧૦૬
ધન્ય ધરા:
૧૦૦ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં સંઘ આગળ વધી રહ્યો હતો ત્યાં સોપારક નગરમાં ૬0,000 ટંક વાપરી નગરજનોને જિનશાસનના રાગી બનાવ્યાં હતાં. તેમજ પ.પૂ. મુનિસુંદર વિજયજી મ.સા.ના ઉપાધ્યાય પદવીમાં ૨૦,000 સોનૈયા ખર્ચીને અભુત લાભ લીધો હતો. (ઉપરનાં બધાં જ દિષ્ટાન્તો શત્રુંજય-કલ્પવૃત્તિના આધારે).
જૈન પરંપરાના ઇતિહાસમાં તો સં. ૧૯૫૭માં નીકળેલ સંઘવી હેમરાજનો સંઘ, જેમાં ૧૨૦૦ ગાડાં, ૫00 ઊંટ, ૭૦૦ યાત્રિકો, ૫00 હાથી, ૫00 ઘોડાઓનો સમાવેશ હતો તેમજ થરાદના આભૂ સંઘવીનો સંઘ ૭૦૦ લાકડાંનાં દેરાસર, ૪૭ બળદો, ૧૫૧0 ઘોડાઓ, ૧૪,000 ગાડાંઓ, ૨૨૦૦ ઊંટ, ૧00 રસોઈયાઓ, ૯૦ પાલખીવાળાઓ, ૧૪ લુહાર, ૭૬૦ પાણી માટે પાડાઓ, ૭ પાણીની પરબો, ૧૫૧૦ જિનબિંબો, ૩00 પાણીની પખાલો, ૧૦0 તંબોળી, 100 પંચકુલ, ૨૬૦ દુકાનો, ૧૭૫૨ કાજુના ભારા વહન કરનારાં, ૩૬ આચાર્યોભગવંતોની નિશ્રામાં સંઘમાળ વખતે બધાંને વસ્ત્રોની લહાણી કરી હતી. આ સંઘમાં આશરે બાર કરોડ સોનામહોરો ખર્ચીને લાભ લીધો હતો. (સુકૃતસાગર તેમજ ઉપદેશ સપ્તતિકા ગ્રંથમાં આનો ઉલ્લેખ સરસ આપેલ છે.)
માંઢવગઢનો રાજિયો નામે દેવ સુપાસ (શ્રી સુપાર્શ્વનાથ ભ.)ની દિવ્યકૃપાથી મંગલપ્રયાણ કરી-ઝાંઝણમંત્રી શ્રી શત્રુંજય-ગિરનાર તીર્થનો મહાસંઘ કાઢે છે, જેમાં–૧૨ લાકડાનાં દેરાસર, ૨૦ આચાર્ય ભગવંતોની દિવ્યનિશ્રામાં, બાર મોટા સંઘવીઓ સાથે અઢી લાખ શ્રાવક-શ્રાવિકાઓ, ૧૨,૦૦૦ ગાડાંઓ, ૧૨00 ઊંટો, ૨૫૦૦ સૈનિકો, ૫૦,૦૦૦ પોઠિયા (સામાન માટે), ૧000 ઘોડેસવારો અને તીર્થપ્રવેશ વખતે ૭. લાખ માણસો હતા. તે વખતે લક્ષ્મણજી નગરીમાં ૧૦૧ જિનાલયો અને ૨૦00 જૈનનાં ઘર હતાં. ઝાંઝણ મંત્રીનો સંઘ સં. ૧૩૪૦ મહા સુદ ૫ નાં દિવસે મંગલપ્રયાણ કર્યું હતું, જેમકે ઝાંઝણ મંત્રીના સંઘભક્તિની વિશિષ્ટતા.....આ પુણ્યપ્રભાવક ભક્ત શ્રી શત્રુંજય ગિરિરાજની આપણાં દ્રવ્ય અને ભાવમાં પ્રાણ પૂરે તેવી અતિ સુંદર ભક્તિ કરી છે. મહા દાનવીર એમનાં પિતા પેથડ અને દાદા દેદાશાહનાં નામને પણ જેમણે ચાર ચાંદ લગાવે તેવી તેમની ભક્તિને આપણે જાણીએ.
આ મંત્રી જ્યારે માંડવગઢથી અઢી લાખ યાત્રીઓ સાથે સંઘ લઈ શત્રુંજય પહોંચે છે ત્યારે પરમાત્મા શ્રી આદિનાથ પ્રભુની સોના-રૂપાથી પૂજા કર્યા પછી ત્રણ કરોડ સુગંધી પુષ્પો
વડે પ્રભુની પુષ્પપૂજા કરે છે. એજ સમય દરમ્યાન થરાદના આભૂ સંઘવીના સંઘનું મિલન થાય છે. બે સંઘોનાં મિલનથી સર્વત્ર આનંદ છવાયો ત્યારે બન્ને સંઘનાં સ્વામીવાત્સલ્યનો લાભ આભૂ સંઘવીને-યાત્રિકોને યાચના કરીને ઝાંઝણ શાહે લીધો હતો. બીજી નવીનતા એ કે એક મૂડાપ્રમાણ પહોલી ઉપર સોનાની પાટથી ભરેલી નીચે ચાંદીના પાટથી ભરેલી વચ્ચે રેશમી વસ્ત્રવાળી શત્રુંજયના શિખરથી ગિરનારના શિખર સુધી લાંબી ધજા બાંધે છે, જે ધજામાં ૫૪ ઘડી સુવર્ણ વાપર્યું હતું.
આ ચઢતાં પરિણામોની ધારા છેક સંઘ જ્યારે અમદાવાદ પહોંચ્યો હતો ત્યારે રાજાની અનુમતિ લઈને સમગ્ર ગુજરાતની પંદર લાખની વસ્તીને ભોજન કરાવે છે. મોટા મોટા સો મંડપો બાંધે છે. છ દિવસે આખું ગુજરાત જમે પછી પણ ઘણી મીઠાઈ વધવાથી રાજાને દેખાડી આશ્ચર્ય પમાડે છે. આ સંઘ સાબરમતીમાં નદી કિનારે ગુજરાતને જમાડવાની તૈયારી માટે મહિના સુધી રોકાય છે. આ મંત્રીનો સંઘ જીરાવલી પહોંચ્યો ત્યારે મંત્રીએ છ મણ કપૂરથી ધૂપ-પૂજા અને કરોડ પુષ્પથી પુષ્પપૂજા કરેલ અને જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની ઉપર સોનાના તારથી ભરેલો ચંદરવો તે સમયે લાખ રૂપિયાનો હતો. (આધાર-સુકૃતસાગર).
વસ્તુપાલ-તેજપાલનો સંઘ ૨૪ રથ હાથીદાંતના, ૧૧૦૦ દિગંબર સાધુઓને પણ આવકારી સાથે લીધા હતા. ૪૫૦૦ સહેજવાળા, ૪૦૮ ઊંટ, ૪૫૦૦ ગાડાં, ૪,૫૦૦ ગાયકો, ૧૧૦૦ વહેલ, ૧૦૦ માત્ર મીઠાઈઓ બનાવવા માટે કંદોઈઓ, ૫00 પાલખીઓ, ૩૩00 ચારણો, ૭૦) સુખાસન, ૩૮૦૦ ભાટચારણો, ૨૦૦ સાધુઓ, ૧૩૫૦ કુંભારો, ૭ લાખ દીવીધરા, ૫૦૦ સુથારો, ૪,૫00 રથો, ૧,૮00 પીત્તળની પાલખીઓ, ૭00 આચાર્ય ભગવંતોની નિશ્રામાં મંગલ સંઘપ્રયાણ કર્યું હતું. આગળ પાછળ મળી ૩000 ઘોડાઓ, ૩000 હાથીઓ, ૭00 પાડાઓ પણ હતા. (આધાર-પ્રભાવક ચરિત્ર).
મહાન દાનેશ્વરી એવા વસ્તુપાલ-તેજપાલના ૧૨T સંઘનો સમય :—6 પ્રથમ સંઘ ૧૨૪૯માં માતાપિતાની હાજરીમાં.
બીજો સંઘ ૧૨૬૩માં માતપિતાના આત્મશ્રેયાર્થે કરેલ. પછી જે ૧૨ા સંઘો કાઢ્યા તે પણ. આ બંધુબેલડીની શ્રી શત્રુંજય તીર્થ પ્રત્યેની અપૂર્વ ભક્તિ એક બેજોડ શાસન
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org