________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૫૧
વિશેની વિચારણા છે અને વળી ક્યારેક જન્મ-મરણના ફેરાના સંદર્ભમાં ગતલોક કે આવનારા લોકની પણ વાત આવતી હોય છે. આગમદર્શન આ પ્રકારના વિચારથી છેક મુક્ત નથી તો, સાંસારિક વિટંબણાઓથી ઘેરાયેલા સંસારી જીવો સંસારમાં રહીને સજીવન વ્યતીત કરી શકે છે અને છેક વીતરાગીની સ્થિતિએ પહોંચે ત્યારે સંસારત્યાગ કરવા છતાં સંસારને આદર્શરૂપ માર્ગદર્શક પણ બને છે. જૈન આગમો, આ અર્થમાં મુનિઓ-નિગ્રંથો વિશે પણ વિસ્તારથી કહે છે. સાધુના વ્યવહારો. વ્રતો, સંસારની આસક્તિઓથી મુક્તિ મેળવવાના વ્યવહારિક-ધાર્મિક-જ્ઞાની માર્ગો, શરીર ટકાવવા જરૂરી અલ્પતમ જરૂરિયાતો, તપ, અસ્વાદ અને અનશનનું મહત્ત્વ, દેહકષ્ટથી માંડીને આહારત્યાગ અને સંથારા સુદ્ધાં વિશે મનોસંકલ્પ. સંસારજીવોનો સહજ સર્વ મર્યાદાઓનો ત્યાગ, આહાર અને વિહાર વિશેની ચોક્કસતા, વિહાર વિશેનાં ધોરણો, તપત્નશીલ-સંયમ માટેની માનસિક તૈયારી, શ્રમણો સાથેના વ્યવહાર, સ્વધર્મ અને પરધર્મ સાથેનો પણ વ્યવહાર, જીવમાત્ર સાથેના વ્યવહાર, સ્વીકાર્ય હોય તેવી ન્યૂનતમ ચીજો અને ત્યાજ્ય વિશેની ચેતના ભાષાવિવેક, વિવેકી અને શુદ્ધ જીવનવ્યવહાર, પાપનિવૃત્તિ અથવા પાપકર્મનિવૃત્તિ વિશેનો આગ્રહ, સંસર્ગ નિષેધના ધોરણે, સમ્યકત્વ અને સંયમપાલન, પાપ-માયામોહનો નિષેધ–સંસારને સમ્યક કરવાના આથી વિશેષ સારાં ધોરણો ક્યાં હોઈ શકે?
આગમોએ સંસારી અને નિગ્રંથો વચ્ચે ભેદ પાડ્યા છે. નિગ્રંથ કે મુનિ થવાનો માર્ગ આલેખ્યો છે છતાં સર્વ સંસારીઓએ સંસારત્યાગ કરવાનું કહ્યું નથી. સંસારમાં રહીને પણ મનુષ્યના મનને જકડનારી મર્યાદાઓથી મુક્ત થવાના માર્ગો આ સાહિત્ય દર્શાવ્યા છે. જન્મથી માંડીને જીવન વ્યતીત કરવા જરૂરી એવાં તમામ કર્મો કરતાં રહીને પણ સમ્યક અને શુદ્ધ જીવન જીવી શકાય છે તેવી આશાએશ આગમસાહિત્ય પૂરી પાડે છે. જો જીવન પોતે બંધન હોય તો જીવનની સર્વ મર્યાદાઓથી મનુષ્ય ઘેરાયેલો છે અને છતાં તેવી મનુષ્યસહજ સર્વ મર્યાદાઓ થકી મુક્ત થવાના સ્યાદ્વાદને તો આગમ સાહિત્ય આવરી જ લે છે. જો, મનુષ્ય કેવળ નિયતિવાદમાં જ રચ્યા-પચ્યો રહે તો તેનું જીવન ઇહવાદી-લોકવાદી-પાર્થિવવાદી બની જાય. આયુષ્યને મર્યાદા છે, અસ્થિરતા તેની સૌથી મોટી મર્યાદા છે. ત્યારે અનાસક્ત ભાવે, મનુષ્યસહજ સર્વ મર્યાદાઓ પર નિગ્રહ લાવી શકાય છે. જે આવો નિગ્રહ-પરિત્યાગ લાવે તે જ સાચો નિગ્રંથ તેવો કંઈક અર્થ આપણે કરી શકીએ.
જ્યાં, મનુષ્ય તેની મર્યાદાઓને જીતી શકતો નથી તે જિન બની શકતો નથી, મોક્ષાભિલાષી થઈ શકતો નથી, તેણે કરેલાં કર્માનુસાર તે ભવભ્રમણ કરતો રહે છે, પરિવારજનોના મોહનાં બંધનોમાં જકડાયેલો રહે છે. ધર્મશ્રવણથી વેગળો થતો જાય છે અને અજ્ઞાનમાં ડૂબે છે. જે ધીર છે તે અસંયમી જીવન વ્યતીત કરતો નથી અને તેથી તેને જીવનનો ક્યારેય પસ્તાવો થતો નથી, પરિણામતઃ સર્વ અંતરાયોને દૂર કરતો જાય છે. જો આસક્તિ જ બધાં મનુષ્યસહજ બંધનનું અનેક કારણોમાંનું મુખ્ય કારણ હોય તો તેનાથી પ્રમાદ અને હિંસા ઉદ્દભવે છે. તેથી, ધીર અને સંયમીએ કાચબાની પેઠે પાપકમોને સંકોરવાં જોઈએ. નરક એટલે જ ઘોર અંધકાર, જીવનપર્યત વેદના સહન કર્યા કરવી. માટે સંબંધ ત્યાગ કરવો, અપ્રતિબદ્ધ વિહારી બનવું, અનાસક્ત બનીને રહેવું, ઉણોદરીથી સંતોષ માનવો, ભાષા અને વ્યવહારમાં વિવેક રાખવો, ક્રોધ અને આક્રોશથી જોજન દૂર રહેવું, કષાયોનો ત્યાગ કરવો, પ્રશંસા અને પૂજાથી દૂર રહેવું, એકત્વની ભાવના રાખી ધનસંચય જેવી પરિગ્રહી વૃત્તિનો ત્યાગ કરવો, મિથ્યાષ્ટિને દુર્ગતિ માનવી. અનાસક્તિ અને અહિંસા એટલે શૂન્યવાદ નથી. શૂન્યવાદ છેવટે અક્રિયાવાદ પરત્વે લઈ જાય છે. સાચો સંયમી અને આત્મનિગ્રહી ક્રિયાવાદી છે, કર્મક્ષય કરે છે, ધર્મોપદેશ કરે છે, લોક-મોક્ષ-સંસાર-જન્મમરણાદિથી જ્ઞાત બને છે, જીવમાત્ર પર પ્રેમ રાખે છે, સરળ વાવ્યવહાર કરે છે, સર્વજીવ પરત્વેના ભાવથી આત્મશુદ્ધિ કરે છે અને તે સાથે એટલું પણ જાણે છે કે દેવગતિ માટે મનુષ્યાવતાર જરૂરી છે, આવશ્યક છે.
આગમોએ ઈહલોકના માનવસંસારની વાત કહી છે તે સાથે મનુષ્યતર જીવોની પણ વાત કહી છે. ભૂલોકની વાત કહી છે તો અંતરિક્ષ અને તેના પદાર્થોની વાત પણ કહી છે, મેરુ પર્વતની વાત કહી છે તો સૂર્યમંડલની વાત પણ કહી છે. તો નક્ષત્રમંડળ, ઇહલોકની નદીઓ, વિવિધ પર્વતો, સમયના માપ સમાં મહિના અને તેના ભેદ, ત્રિવિધ ઋતુઓ, તિથિઓ, સંવત્સર અને તેના પેટા ભેદો, વિવિધ કુટો, અંતરિક્ષ અને ઇહલોકની દિશાસૂચન માટેની દિશાઓ, વૃક્ષો-વનરાજિઓવનો-ઈહલોકના વિવિધ પ્રદેશને વિશે પણ વાત કહી છે. જે સમયે આગમોની રચના થઈ હશે ત્યારે આજનાં વૈજ્ઞાનિક સાધનો ક્યાં હતાં? આજે, આ બધાં સાધનો આવવાં છતાં માનવજાત પ્રકૃતિથી વિમુખ થતી જાય છે એ પણ સત્ય છે. આગમસાહિત્યને જિનધર્મના શાસ્ત્ર તરીકે ક્ષણભર વીસરી જઈએ તો પણ આજથી સેંકડો વર્ષો પહેલાં રચાયેલા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org