________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શ્રુત એ છઠ્ઠા આરાના આક્રમણોને સ્થંભિત કરનાર અમોઘ શસ્ત્ર છે.
શ્રમણોપાસકોની શ્રુત-ભક્તિ
ૐ વસ્તુપાલ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચી જ્ઞાનભંડારો બનાવ્યા, સર્વ આગમોની એકેક પ્રત સોનાની શાહીથી લખાવી, બાકીની પ્રતો તાડપત્ર અને કાગળો પર લખાવી, તેમજ સ્વહસ્તે ધર્માભ્યુદયાદિ વિવિધ ગ્રન્થોનું લેખન કર્યું, જે વર્તમાનકાળે ખંભાતમાં મોજૂદ છે.
(પ્રભાવક-ચરિત્ર) વિ.સં. ૧૪૭૨માં આ. શ્રી સોમસુંદરસૂરિજીના ઉપદેશથી ખંભાતમાં રામ અને પર્વત નામના બે ભાઈઓએ અગિયાર અંગો લહિયાઓ પાસે લખાવેલાં.
મથુરા નગરીમાં પદ્મશાહે સવાલાખ સોનૈયા ખર્ચી ભગવતી સૂત્રનો મહામહોત્સવ કરેલ અને ‘ગોયમા' પદની ઉપર ૧-૧ સુવર્ણ મુદ્રા મૂકવાપૂર્વક પૂજા કરેલ.
(પાર્શ્વનાથ પરંપરાનો ઇતિહાસ) કુમારપાલ રાજાએ એવો નિયમ કર્યો હતો કે જ્યાં સુધી ગુરુએ રચેલા ગ્રંથોને તાડપત્ર ઉપર ન લખાવું, ત્યાં સુધી દહીંનો ત્યાગ. તેથી ૭૦૦ લહિયાઓને બેસાડી આગમો– ગ્રંથો લખાવવા માંડ્યા. લખતાં લખતાં તાડપત્રો ખૂટી ગયા એટલે રાજાએ એવો નિયમ કર્યો કે, જ્યાં સુધી તાડપત્રો ન મળે ત્યાં સુધી અન્ન જલનો ત્યાગ, ત્રીજા દિવસે ક્ષેત્રદેવતા પ્રસન્ન થવાથી બગીચામાં વૃક્ષો તાડપત્રોથી લચી ઊઠ્યાં. વનપાલકે વધામણી આપતાં રાજાએ પારણું કર્યુ
Jain Education Intemational
અને જીવન દરમિયાન કુલ ૬,૩૬,૦૦૦ ગ્રન્થો લખાવ્યા તેમજ સિદ્ધહેમ વ્યાકરણની ૨૧ પ્રતિઓ લખાવેલ અને આગમોની સુવર્ણાક્ષરી ૭-૭ નકલો આલેખિત કરાવી. (ઉપદેશ તરંગિણી) થરાદના આભૂ સંઘવીએ એક કરોડ સોનામહોર ખર્ચી ૬,૩૯,૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથોનું લેખન કરાવેલ. (ઉપદેશ તરંગિણી)
૮. પેથડ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચી ત્રણ જ્ઞાનભંડાર બનાવેલ અને ભગવતી સૂત્રમાં આવતા ‘ગોયમ’ પદ દીઠ એક સોનામહોર અર્પણ કરી જ્ઞાનક્કિ કરેલી. ઝાંઝણશાહે ૩૬,૦૦૦ સોનામહોર ખર્ચી સોનેરી સ્યાહીથી ગ્રંથો લખાવેલ.
(સુકૃત-સાગર) માંડવગઢના સંગ્રામ સોનીએ ભગવતીસૂત્રમાં આવતાં ‘ગોયમ’ પદ દીઠ એક સોનામહોર, તેમની પત્નીએ અડધી સોનામહોર, પુત્રવધૂએ પા (૦।) સોનામહોર મૂકી જ્ઞાનભક્તિ કરેલ. ૩૬+૧૮+૯ = ૬૩ કુલ ૬૩,૦૦૦ સોનામહોરનો સદ્યય કર્યો અને તે દ્રવ્યથી સોનેરી સ્યાહીથી આગમગ્રંથો લખાવેલ.
૯૫
(માંડવગઢ કા ઇતિહાસ) ભૈસા શેઠે દેવગુપ્તસૂરિના ચોમાસામાં ભીનમાલમાં સવા લાખ દ્રવ્ય ખર્ચી આગમમહોત્સવ કરેલ અને ભગવતી સૂત્રની વાચનામાં ‘ગોયમ પદ દીઠ એક સોનામહોર મૂકેલ. (પાર્શ્વનાથ પરંપરાનો ઇતિહાસ) શ્રુત કંઠસ્થ કરવા દ્વારા મહાપુરુષોએ કરેલી મ્રુતસાધનાની ઝાંખી
૧. આ. દુર્બલિકા પુષ્પમિત્ર રોજ ૭૦૦ શ્લોક. ૨. આ. બપ્પભટ્ટી સૂરિજી મ. રોજ ૧૦૦ શ્લોક, ૩. આ. ધર્મઘોષ સૂરિજી મ. ૪. આ. મુનિસુંદર સૂરિજી મ.
૫. ઉપાધ્યાય યશોવિજયજી
For Private & Personal Use Only
૬ ઘડીમાં ૫૦૦ શ્લોક. ૧૦૦૦ જુદા જુદા સ્વર સાંભળી પારખી શકતા.
બાલ્યવયે સાંભળીને
ભક્તામર કંઠસ્થ.
www.jainelibrary.org