________________
૯૦
શ્રુત એ માનરૂપી હાથી માટે અંકુશ છે જગતના સર્વજ્ઞાનની જનની શ્રુત-અધિષ્ઠાત્રી માતા શારદા એટલે જ સરસ્વતી.
વૈશાખ સુદ-૧૦મના દિવ્ય દિવસે, અપરાહ્ન સમયે, ૠજુવાલિકા નદીના કિનારે, શાલવૃક્ષની શીતળ છાયામાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કેવળજ્ઞાન' પામ્યા.
શુક્લધ્યાનની ઉજ્જવળ ધ્યાન-ધારામાં ચારે ય ઘાતી કર્મોનો ક્ષય કરીને વિમલ કેવળજ્ઞાનના ધારક પરમાત્મા સ્વયં પરમતત્ત્વસ્વરૂપ બની ગયા. સમવસરણમાં વિરાજમાન હિમાલય-સમ ધવલ એ પરમતત્ત્વમાંથી નીકળતી પરમ શ્વેતવર્ણસમ સમુજ્જવલ વાણી તે જ છે માતા સરસ્વતી. જેને શાસ્ત્રો બીજા શબ્દોમાં ‘શ્રુતગંગા’ અથવા ‘શ્રુતદેવતા’ સ્વરૂપે સંબોધે છે. વિશ્વના સર્વ સૌભાગ્યની સર્જક છે આ શ્રુતગંગાની આરાધના. આ મા શારદાની સાધના.
આ સાધના એટલે પરમ સુખની કેડીએ પગરણ. આ આરાધના એટલે જ્ઞાનાવરણીય કર્મોનું વિદારણ.
આ ઉપાસના શ્રુતત્વજ્ઞાનના શ્વેતપુંજમય સૂર્ય કરતાં વધુ તેજસ્વી બનીને આત્માને સ્ફટિક સમાન નિર્મળ બનાવીને કર્મના કુટિલ કવચને છેદીભેદીને શુદ્ધ-વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે. શ્રુતગંગાનો અસ્ખલિત પ્રવાહ
“જિનમુખ પદ્મદ્રહ થકી, પ્રગટી ત્રિપદી ગંગ; મુનિ માહણ ઝીલે સદા, અર્થ પીયે ગૃહીચંગ.” —પંડિત રૂપવિજયજી મ.
“શ્રી જિનેશ્વર પરમાત્માના મુખરૂપી પદ્મસરોવરમાંથી ત્રિપદી રૂપી શ્રુત ગંગોત્રી પ્રગટી, જેને મુનિરૂપી બ્રાહ્મણો હંમેશાં સ્વાધ્યાય કરીને ઝીલી રહ્યા છે અને ગૃહસ્થો એના અર્થનું પાન કરે છે.’
Jain Education International
ધન્ય ધરાઃ
અપાપાપુરીના મહસેન વનમાં વીરપ્રભુના મુખરૂપી હિમાલયમાંથી પ્રગટ થયેલ ત્રિપદી રૂપ શ્વેતગંગાના પ્રવાહમાં સ્નાન કરતાં બીજબુદ્ધિના સ્વામી ગૌતમાદિ ગણધર ભગવંતોએ ૧૪ પૂર્વયુક્ત વિશાલ દ્વાદશાંગી આગમની રચના માત્ર અંતર્મુહૂર્તમાં કરતાં વૈશાખ સુદ ૧૧ના પવિત્ર દિને ધર્મતીર્થ જિનશાસનની સ્થાપના થવા પામી.
શાસનની સ્થાપના અને સંચાલન શ્રુતજ્ઞાનને આભારી
તીર્થંકરોને જન્મ આપનારી માતા માત્ર દેહનો જન્મ આપવામાં કારણભૂત છે, પણ તીર્થંકરત્વ તરીકેનો જન્મ આપનાર તો વીશસ્થાનક પૈકી ૧૯મું ‘શ્રુત પદ' જ કારણભૂત છે. ત્રિશલાદેવીએ શ્રી વર્ધમાન સ્વામીના દેહને જન્મ આપ્યો, પરંતુ શ્રી વર્ધમાન સ્વામીને તીર્થંકર બનાવનાર તો ‘શ્રુત’ છે. ભગવાને સાડાબાર વર્ષની ઘોર સાધના બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાની બનેલા પ્રભુએ સમવસરણમાં ‘દેશના’ ફરમાવી. આ દેશના જ શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનના માધ્યમે શાસનની સ્થાપના અને સંચાલન થાય છે. કેવળજ્ઞાનીને પણ ધર્મ પમાડવા માટે શ્રુતજ્ઞાનનો સહારો લેવો પડે છે. કેવળજ્ઞાની પણ બીજાને ધર્મબોધ શ્રુતજ્ઞાન દ્વારા જ કરાવી શકે છે. શ્રી તીર્થંકર દેવો કેવળજ્ઞાન પામ્યા બાદ રોજ ૨ પ્રહર દેશના આપે છે. આ શ્રુત ધર્મનો મહિમા છે. સવારે પ્રથમ પ્રહરની તીર્થંકર દેવોની દેશના પૂર્ણ થયા બાદ બીજા પ્રહરની દેશના શ્રુતજ્ઞાની એવા ગણધર દેવો ફરમાવે છે. કેવળજ્ઞાનીની પર્ષદા પણ સમવસરણમાં હોય, પરંતુ કેવળજ્ઞાની દેશના ન આપે. ગણધરો દેશના ફરમાવે. આની પરથી શ્રુતજ્ઞાનનો મહિમા બરાબર સમજી શકાય છે.
For Private & Personal Use Only
શ્રુતોપાસક મંત્રીશ્વર પેથડશા
www.jainelibrary.org