SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય મવિશ્વરિય પણ એક લૌકિક કથા છે. આ જ વિષય ઉપર ભવ્યકુટુંબચરિત્ર” કે “ભવ્યકુટુંબસજઝાય” એવા નામથી પાછળના જૈન કવિઓએ અનેક કાવ્યો રચેલાં છે. પ્રવચન્તામળના કર્તા મેતુંગે જે અનેક દૂહાઓ વગેરે ઉતાર્યા છે, તેમાંના કેટલાક, તે વખતે ગૂજરાત-કાઠિયાવાડમાં પ્રચલિત રાણકદેવી-નવઘણ વગેરે સંબંધી છે, જ્યારે કેટલાક કાઈ સળંગ કથા-વાર્તાનાં પુસ્તકોમાંથી લીધા હોય એવું અનુમાન થાય છે. આ પ્રમાણે ગુજરાતનું લોકકથાનું સાહિત્ય બહુ પ્રાચીન છે. વિક્રમ, નંદ, ઉષા, માધવાનલ, સદયવત્સ, ચન્દનમલયાગિરી વગેરે લોકપ્રસિદ્ધ વિષયો ઉપર એકથી વધુ ગૂજરાતી કવિઓએ પિતાની કલમ ચલાવી છે. આ એક જ વિષય ઉપરની જુદા જુદા કવિઓની રચનામાં સમયાનુસાર, પ્રસંગાનુસાર અને ધર્માનુસાર વિવિધ ફેરફારો માલૂમ પડે છે. કઈ કઈ વાર પુરોગામીઓની સબળ અસર પછીના કવિઓ ઉપર પડેલી દેખાય છે. રચનાર જૈન હોય કે વૈદિક હોય તે પિતપોતાના મત પ્રમાણે, વૃદ્ધમાન્ય વાર્તાઓના કોઈ પ્રસંગ વધારીઘટાડી પિતાને મનમાનતા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. કવચિત કવચિત એકની એક વાર્તા કશાયે જીવ જેવા ફેર વગર -શોધિતવર્દિત આવૃત્તિ જેવી–જોવામાં આવે છે. ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં તો શું, પણ પરસ્પર વ્યાપાર ઇત્યાદિનો પ્રસંગ હોય ૫. એ વખતની અપભ્રંશ ભાષાની જૈન શાસ્ત્રથાઓ જેવી કે સુસીલ્યાન, વરસાવરિય તથા બીજી નાની કૃતિઓ પુષ્કળ છે; લોકવાર્તામાં ગણાવી શકીએ તેવી તે ભવ્ય કુંવરિય જેવી એક-બે જ છે. એ સર્વની હાથuતો હું જૈન જ્ઞાનમન્દિર-વડોદરામાંથી જોઇ શકો હતો તે માટે પ્ર. કાન્તિવિજયજી મહારાજનો અત્યંત આભારી છું. ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy