SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ooo સેવા નિવૃત્ત થયા છે. ૧૯૮૧-૮૨માં મહારાષ્ટ્ર સરકાર તમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો હતો. ૧૯૮૯માં સરકારે તેમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિયુક્ત કર્યા હતા. વેસ્ટ સસેક્સ (યુ. કે.)ના હેડમાસ્ટર્સ એસોસિએશનના આમંત્રણથી તેઓએ ઇંગ્લેન્ડની છ અઠવાડિયાની શૈક્ષણિક યાત્રા કરી અને ત્યાંની શિક્ષણસંસ્થાઓનો અભ્યાસ કર્યો હતો. વળતાં યુરોપના દેશોની મુલાકાત લીધી હતી. ૧૯૭૮ થી ૧૯૮૦ સુધી ઓલ ઇન્ડિયા રેડિયોના શૈક્ષણિક પ્રસારણ માટેની સલાહકાર સમિતિના તેઓ સભ્ય રહ્યા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેઓ શેક્ષણિક અને સામાજિક વિષયો પર અવારનવાર વાર્તાલાપો આપે છે. શૈક્ષણિક પ્રશ્નો પર તેઓ વર્તમાનપત્રોમાં લેખો લખે છે. સમકાલીન', “મુંબઈ સમાચાર', “જન્મભૂમિ', “ગુજરાત સમાચાર', “સંદેશ” વગેરેમાં તેઓના લેખો પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં છ વર્ષથી સમકાલીનમાં દર ગુરૂવારે “શિક્ષણ” ની કટાર તેઓ નિયમિત રીતે લખે છે. “જન્મભૂમિ‘માં “શિક્ષણ સમસ્યા' કટાર લખતા હતા. તેઓએ નીચેનાં પુસ્તકો લખ્યાં છે : - (૧) શિક્ષણની શિક્ષાપત્રી' –આ પુસ્તકનો લોકાર્પણવિધિ તા. ૮-૯-૮૯ના રોજ ભારતીય વિદ્યાભવનમાં શ્રી સુરેશ દલાલના પ્રમુખ સ્થાને તત્ત્વચિંતક શ્રી હરિભાઈ કોઠારીના હસ્તે થયો. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. (૨) બાલ્યાવસ્થા અને કુમારાવસ્થાની શિક્ષણ સમસ્યાઓ . (૩) શિક્ષણ : માધ્યમ અને પરીક્ષા (૪) શિક્ષણ : સર્વાગીણ વિકાસની કેડી (૫) સંસ્મરણો હૈદરાબાદનાં :–શ્રી કનૈયાલાલ મુનશીના અંગ્રેજી પુસ્તક “ધી એન્ડ ઓફ એન એરા” નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું. (૬) પાંચ દાયકાનો શૈક્ષણિક વિકાસ :–આ પરિચય પુસ્તિકા છે. (૭) શાળા કક્ષાનાં પુસ્તકો :–અર્થશાસ્ત્ર, ભૂગોળ, કાર્યાનુભવ તથા અંગ્રેજીના વિષયો પર પુસ્તકો તથા કાર્યપોથીઓ લખી છે. - માતૃભાષા દ્વારા શિક્ષણ અભિયાન : પથપ્રદર્શક વર્તમાન સમયેમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ વાલીઓમાં વધતો જાય છે. અંગ્રેજી માધ્યમ દ્વારા સમગ્ર શિક્ષણ બાળકના શારીરિક તથા માનસિક વિકાસ પર વિપરિત અસર કરે છે એટલું જ નહિ તેના ધર્મ, સંસ્કાર, રહેણીકરણી, પોષાક, ખોરાક અને જીવનના લગભગ બધા જ પાસાઓ પર અસર કરે છે. જીવન કુદરતી રહેવાને બદલે કૃત્રિમ બનતું જાય છે. અંગ્રેજી ભાષા શીખવી એક વાત છે જ્યારે અંગ્રેજી માધ્યમ દ્વારા આખું શિક્ષણ લેવું એ તદ્દન જુદી વાત છે. આ બે વચ્ચેનો તફાવત સમજાવવાનો શ્રી હિંમતભાઈ મહેતા સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આ માટે મલાડ, કાંદિવલી, માટુંગા, ઘાટકોપર અને મુલુન્ડમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમો દ્વારા વાલીઓની માધ્યમ અંગેની ઘણી ગેરસમજો દૂર કરી છે. આ સાથે જ ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીભાષાનું શિક્ષણ સદ્ધર બને તે માટેના પ્રયત્નો પણ હાથ ધર્યા છે. ગુજરાતી વિચારમંચના નેજા હેઠળ આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગુજરાતી વિચારમંચના સલાહકાર તરીકે તેઓ આ પ્રવૃત્તિઓના સંચાલનમાં સક્રીય કાર્ય કરે છે. શાહ કવિનચંદ્ર માણેકલાલ જન્મ સ્થળ : વેજલપુર, જન્મ તારીખ ૩૦, જુન ૧૯૩૬, એમ.એ., એમ.એ., ટી.ડી., એલ.એલ.એમ., પી.એચ.ડી., ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક, ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ખંભાત, ભાદરણ, કપડવંજ અને બીલીમોરા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. જૈન સાહિત્યમાં “કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન’ પર પીએચ.ડી. તે બદલ “યશોભૂમિ સ્મારક ચંદ્રક', એનાયત થયો. ૧૯૭૦ થી ૧૯૭૨ અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ અને સંસ્કૃતિ તથા ધર્મવિષયક વાર્તાલાપો આપ્યા. શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કોલેજ બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર અને એવોર્ડપ્રાપ્તિ.. વીશા નીમા જૈન દીપક ચંદ્રક' મુંબઈમાં એનાયત થયો હતો, ૨૦૦૩માં પ્રગટ થયેલાં પુસ્તકોમાં ખાસ કરીને સંશોધન અને સંપાદનો છે. નેમિ વિવાહલો (હસ્તપ્રત સંશોધન), કવિરાજ દિપવિજય, કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન (મહાનિબંધ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy