SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ બળવંતભાઈએ બી.એ. ગુજરાતી, અંગ્રેજી સાથે કર્યું અને એમ.એ.માં અર્થશાસ્ત્ર વિષય લઈને અભ્યાસ કર્યો પણ કામે લાગી જતાં પરીક્ષા ન આપી. ૧૯૪૨ના એપ્રિલમાં તેમનું પદ્માબહેન સાથે લગ્ન થયું. ચાર જ મહિનામાં પિતા ગુમાવ્યા અને ઑગષ્ટમાં ‘હિંદ છોડો'ની ચળવળમાં ભાગ લેવાને કારણે સપ્ટેમ્બરમાં જેલમાં જવું પડ્યું. ૧ વર્ષ પૂરો જેલવાસ. ૧ વર્ષ પછી છૂટ્યા. ગાંધી ચીંધ્યા માર્ગે ચાલ્યા અને લગ્નજીવનને કસોટીની એરણે ચડાવી જેલવાસ ભોગવ્યો એનું પતિ-પત્નિ ઉભયને ગૌરવ છે. પત્રકારત્વના શિક્ષણમાં પણ બળવંતભાઈ એટલો જ રસ લે છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, નવગુજરાત મલ્ટીકોર્સ ઇન્સ્ટીટ્યૂટ, આર. એ. ભવન્સ કૉલેજ અને હીરામણિ ઇન્સ્ટીટ્યૂટ ઑફ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી અધ્યાપક તરીકેની સેવાઓ આપે છે. ૧૯૪૮માં ૨૬ વર્ષની ઉંમરે ગુજરાત સમાચારમાં તેઓ પત્રકાર તરીકે જોડાયા. ૧૯૬૫માં અન્ય પત્રકારોની જેમ તેમણે પણ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું અને ‘સંદેશ’માં આવ્યા. ત્યારથી માંડીને નિવૃત્ત થયા ત્યાં સુધી ‘સંદેશ’ સાથે જ રહ્યા. સતત પ્રવૃત્તિશીલ રહેવાના સંસ્કારને લીધે આજે ૮૨ વર્ષે પણ બળવંતભાઈ સક્રિય છે. ‘સંદેશ', ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાત ટાઈમ્સ' જેવા દૈનિકમાં તંત્રીલેખ લખે છે. બળવંતભાઈનું કહેવું છે કે, ‘ઉત્પાદન, મૂડીરોકાણ, રોજગારી, ખરીદી, વેચાણ અને ભાવો દ્વારા જ આર્થિક સત્તા ભોગવવામાં આવતી નથી બલ્કે પ્રચારનાં જે સાધનો છે તેના ઉપર કાબૂ મેળવીને પણ આ સત્તા ભોગવવામાં આવે છે. પ્રચારના આ સાધનોમાં સૌથી મહત્ત્વનું સાધન છે વર્તમાનપત્ર. એટલે જ વર્તમાનપત્રો અને મોટા મૂડીપતિઓ વચ્ચે જોડાણ છે. કોઈ વેપારી કે ઉદ્યોગપતિ ખોટનો ધંધો કરે નહીં. તેઓ કાળા બજાર કરે કે, અછતનો લાભ ઉઠાવવા સંગ્રહાખોરી કરે કે નફાખોરી કરે ત્યારે અખબારો જ એમને સામાજિક જવાબદારીની સલાહ આપતા લેખો અને તંત્રીલેખો લખે છે.” “હવે ગુજરાતી દૈનિકોમાં સમાચારોને બદલે મોટીમોટી આકર્ષક તસવીરો છાપી નવી પેઢીના માનસને અનુકૂળ થવાનું આપણે પશ્ચિમના દૈનિકો પાસેથી શીખ્યા છીએ, પણ આપણે વિવેક ચૂકી ગયા છીએ. પુરુષો કરતાં મહિલાઓ વધુ ધ્યાનથી વર્તમાનપત્રો વાંચે છે, ખરીદી પણ કરે છે. એમને લગતી વધુ સામગ્રી દૈનિકોમાં અપાય તો કંઈ ખોટું નથી.’’ Jain Education Intemational ૪૧ “આજનું અખબાર મેગેઝીન બન્યું છે તો એના કારણો આ મુજબ છે : એક તો દૈનિકો હવે આબાલવૃદ્ધ સૌનું ધ્યાન ખેંચવા મથે છે. છતાં રાજકારણના પ્રમાણમાં સાંસ્કૃતિક ગતિવિધિને ઓછું સ્થાન આપણા દૈનિકોમાં મળે છે. જો કે હવે પરિસ્થિતિ સ્પર્ધા વધવાને લીધે બદલાઈ રહી છે." આજે ૮૨ વર્ષની ઉંમરે પણ શ્રી બળવંતભાઈને અંગ્રેજી દૈનિકો જોયા વગર ન ચાલે. ઉત્તમ પુસ્તકોના ચાહક, નાટક અને દૃશ્ય કળાઓમાં પણ રુચિ ધરાવનારા, વિદ્યાર્થીઓના ‘બળવંતદાદા’ ન્યૂઝ ચેનલો પણ બધી જ જોઈ લે છે. ને કોઈ હાથ પકડીને પગથિયાં ઉતારવાની કે ચઢાવવાની વાત કરે તોએમની અંદરનો પેલો ‘હિંદ છોડો' ૪૨ ની ચળવળવાળો યુવાન વિનયપૂર્વક ના પાડી દે છે. બળવંતદાદા પત્રકારત્વ ક્ષેત્રે ૫૫ વર્ષથી વધુ કાર્યરત રહ્યા છે. તેમના અનુભવો અને સંસ્મરણો લખાય તો સાચે જ પત્રકારત્વ જગતને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. ભૂપતભાઈ વડોદરિયા ‘સમભાવ’, ‘જનસત્તા’, ‘અભિયાન' જૂથના માલિક તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયાને પત્રકારત્વ અને સાહિત્ય એમ બંને ઠેકાણે જાણનારો અને માનનારો બહુ બહોળો વર્ગ છે. પચાસથી વધુ પુસ્તકોના લેખક શ્રી ભૂપતભાઈની બહુવિધ ઓળખ છે. સિદ્ધહસ્ત લેખક, કૉલમીસ્ટ, પીઢ પત્રકાર, નિવૃત્ત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ પ્રમુખ, ગૌરવ પુરસ્કારથી સન્માનિત એમ વ્યક્તિત્વનાં અનેક પાસાં વચ્ચે તેઓ પોતાની વોરાશિયસ રીડર' ‘અઢળક વાંચનાર' તરીકેની ઓળખાણ અકબંધ રાખી શક્યા છે. તા. ૧૯-૨-૧૯૨૯ના રોજ તેમનો જન્મ તેમના મોસાળમાં ધ્રાંગધ્રાના પાળિયાદ ગામમાં થયો. પિતાશ્રી છોટાલાલ વડોદરયા ભૂપતભાઈની માત્ર ૩ વર્ષની ઉંમરે જ અવસાન પામ્યા. માતા ચતુરાબહેને એકલે હાથે હિંમતથી બાળકોને ઉછેર્યા અને તેમને બાહોશ અને સંસ્કૃત બનાવ્યા. માતા ચતુરાબહેનની શિખામણ મુજબ ‘નિષ્ફળતાથી કંટાળ્યા વિના, હિંમત હાર્યા વિના સતત કામ કરતા રહેવું, એજ ભૂપતભાઈનો જીવનમંત્ર આજ દિન સુધી છે. સત્યશીલતા, પ્રમાણિકતા અને સખત મહેનતના સંસ્કારને પચાવીને ઊભા થયેલ ‘વડોદરયા' કુટુંબની શાખ આજે પત્રકારત્વ અને સાહિત્યજગત એમ બંને જગ્યાએ મહોરી ચૂકી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy