SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પJકાશે : કટાર લેખકો –ડો. પુનિતા અરુણ હર્ણ પત્રકારત્વને પરિણામે આજે માહિતી રેડિયો, ટેલીવિઝન, અખબાર અને સામયિકો મારફતે ઘરેઘરમાં પહોંચતી થઈ ગઈ છે. મનોરંજન માટે પણ આ સમૂહ માધ્યમો એટલાં જ સક્રિય થઈ કામ કરે છે. સમૂહ માધ્યમોનું કામ ઘણું કરીને ચાર વિભાગોમાં આપણે વિભાજિત કરીએ છીએ; માહિતી આપવી, મનોરંજન કરવું, શિક્ષણ આપવું અને લોકમતનું ઘડતર કરવું. અહીં દરેક માધ્યમો પોતાના લક્ષિત વાચકો, શ્રોતા, દર્શકોને ધ્યાનમાં રાખીને આ કામ કર્યું જાય છે. એશિયાખંડમાં સૌથી જૂનું અને હાલ ચાલુ આજપર્યંત ચાલે છે એવું અખબાર “મુંબઈ સમાચાર છે. આમ ભારતમાં પત્રકારત્વની શરૂઆતના દિવસોમાં ગુજરાતી ભાષાના દૈનિક અને ગુજરાતીમાં બીબાં બનાવનાર ફરદુનજી મર્ઝબાનને સૌ કોઈ આદરથી યાદ કરે છે. દૈનિક અખબાર કે સામયિક ચલાવવું એ કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં. અહીં તંત્રીને એક સબળ ટીમ મળે એ જરૂરી હોય છે. ગુજરાતી પત્રકારત્વમાં આપણા આદ્યપત્રકારો અંગે અગાઉ ઘણું લખાઈ ગયું છે. પ્રસ્તુત લેખમાં કેટલાંક ઓછા જાણીતા પણ વધુ ખંતીલા અને મહેનતુ તથા પોતાનો આગવો ચીલો ચાતરનારા પત્રકારો, સંપાદકો, કોલમલેખકોનો પરિચય કરાવવાની કોશિષ કરી છે. આમાં હજુ ઘણાં નામ સમાવિષ્ટ કરવાના બાકી છે, તે અંગેનું કામ ચાલુ જ છે. કેટલાક સાહિત્યકારો કટારલેખનના રસ્તેથી સાહિત્યકાર બન્યા છે તો કેટલાંક કટારલેખકો રોજે રોજ લેખનના ફરજિયાતપણામાંથી આગવું લખતા થયા છે. | ગુજરાતી પત્રકારત્વ ૧૯મી સદીમાં શરૂ થયું, ૨૦મી સદી અને હવે ૨૧મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે. સદીમાં પ્રવેશવું એ કોઈ મોટી ઘટના નથી. આપણા કોઈપણ ખાસ પ્રયત્નો વગર પણ એ થતું જ હોય છે. પણ આ દોઢ સદી સુધી પહોંચવા આવેલા ગુજરાતી પત્રકારત્વને અનેક સિદ્ધહસ્ત લેખકોએ જીવંત રાખ્યું છે. ગુજરાતી પત્રકારત્વના વિશાળ ક્લિક પર એવાં અનેક નામો છે જેમણે કોઈને કોઈ રીતે જુદો ચીલો ચાતર્યો હતો છે. તેમના અંગેની નાનકડી નોંધનું આ સંકલન છે. માહિતીના આક્રમણના આ યુગમાં આપણા જીવનનું મુખ્યતત્ત્વ જ જ્યાં માહિતી' બનીને રહી ગયું છે ત્યાં આપણે એ પણ જાણવું જોઈએ કે, તંત્રી તરીકે, પત્રકાર તરીકે અને ક્યારેક તંત્રી–માલિકના સ્થાનેથી પોતાને સાબિત કરવા માટે, અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને તેમણે પોતાના કેવાં આગવાં સાધનો શોધ્યાં, કેવી રીતે સ્વાધ્યાય કર્યો એવું પણ થોડું જણાવવાનો અહીં પ્રયાસ છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પુનિતા અરુણ હણેનો જન્મ ૧૨-૪-૧૯૬૮ના રોજ સમેતશિખરની પોળ, માંડવીની પોળ-અમદાવાદમાં. માતા દેવયાની ભટ્ટ અને પિતા ડૉ. જગદીશચંદ્ર ત્રિવેદીને ત્યાં થયો. પ્રાથમિક શિક્ષણ વનિતા વિશ્રામમાં, ધોરણ-૭થી નદીપારના વિસ્તારની શ્રી સમર્થ હાઈસ્કૂલમાં, બી.એસ.સી. (ફિઝીક્સ) સાથે એમ.જી. સાયન્સ કૉલેજમાંથી. ૧૯૮૮થી શ્રી રઘુવીર ચૌધરીએ ગુજરાત યુનિ.માં પત્રકારત્વનો અભ્યાસક્રમ (બેચલર ઇન જર્નાલીઝમ કમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન્સ) શરૂ કર્યો. તેની પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવી ૧૯૮૯માં ઉત્તીર્ણ. ૧૯૮૯ માર્ચથી ૧૯૯૩ સુધી “ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” (ગુજરાતી આવૃત્તિ)માં પૂર્તિ વિભાગના સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy