SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ધરાવતા શિક્ષકોમાં શ્રી બાબુલાલ અંધારિયાનું નામ આગલી હરોળમાં આવે. બાબુલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં તા. ૧૯-૧૦-૧૯૧૯ના રોજ થયો હતો. તેમના દાદા મગનદાદા અંધારિયાએ જયપુરના ઉસ્તાદ અમીરખાન પાસેથી ગાયકી ગ્રહણ કરેલી. મગનલાલે પોતાની ગાયકીનો વારસો પોતાના પુત્ર ગોવિંદજીને આપ્યો અને ગોવિંદજીએ પોતાના પુત્ર બાબુલાલને નાનપણથી જ તે તાલીમ આપી હતી. બાબુલાલને કુદરતી મધુર અવાજ પ્રાપ્ત થયેલો. કુટુમ્બના વાતાવરણમાંથી નાની વયે જ જરૂરી તાલીમ મળી હતી. ૧૭ વર્ષની ઉંમરે બાબુલાલ વ્યવસ્થિત શાસ્ત્રીય ગાન રજૂ કરતા થઈ ગયા હતા. પછીથી કિરાના ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ વહીદખાં ચિશ્તીના ગાયનથી પ્રભાવિત થઈ, તેમને ગુરુ માની, તે મુજબના રિયાઝ દ્વારા બાબુલાલે પોતાની ગાયકી કિરાના ઘરાના જેવી બનાવી. આકાશવાણીના વડોદરા, અમદાવાદ અને રાજકોટ કેન્દ્રો ઉપરથી ઘણા કાર્યક્રમો આપ્યા. ગુજરાતનાં ઘણાં શહેરો ઉપરાંત ભૂજ, ઔરંગાબાદ વ. સ્થળોએ કાર્યક્રમો આપ્યા. આકાશવાણી રાજકોટ પરથી ‘સંગીતપત્રિકા' નામનો કાર્યક્રમ ખૂબ પ્રચલિત બન્યો. જેમાં બિલાવલ, મલ્હાર, બિહાગ, કલ્યાણ જેવા મુખ્ય રાગો અને તેના પ્રકારોની સમજ સાથેની રજૂઆતના તેમના કાર્યક્રમોનું વિશેષ ધ્વનિમુદ્રણ થયું હતું, જે મૂલ્યવાન ખજાનો બની રહ્યો છે. ઓછા પ્રચલિત એવા રાગોમાં ચાલીસ જેટલી બંદિશની તેમણે રચના કરી છે. તેઓ ૧૩ વર્ષ ભાવનગરની ઘરશાળામાં અને પછીથી રાજકોટ સૌરાષ્ટ્ર સંગીત અકાદમી (નાટ્યભારતી)માં અધ્યાપક તરીકે રહ્યા. ૧૯૭૮માં નિવૃત્તિ પછી પણ સંગીત તાલીમ આપવાનું કામ ચાલુ રાખ્યું. રસિકલાલ અંધારિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, ફિરોઝખાં, ગિરીશ અંતાણી, હરિકાંતસેવક, અરુણકાંત સેવક, ગજેન્દ્ર બક્ષી, શ્રીમતી વર્ષા ત્રિવેદી વ. વ.ને તેમણે માર્ગદર્શન તાલીમ આપ્યાં છે. સંગીત અકાદમીની ગુજરાત રાજ્યે નીમેલી સલાહકાર સમિતિમાં કુલ નવ વર્ષ સુધી તેમણે સેવા આપી. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો. પ્રીતિબહેન ભટ્ટ સુશ્રી પ્રીતિબહેન રવિશંકર ભટ્ટનો જન્મ તા. ૨૯-૧૦૧૯૪૦. તેમનું શિક્ષણ ન્યુ એરા સ્કૂલ અને પછીથી Jain Education International પથપ્રદર્શક એસ.એન.ડી.ટી. યુનિ.માં મુંબઈમાં થયું. તેમનો વિષય સંગીત રહ્યો છે. સંગીત સાથે એમ.એ. થયા બાદ દક્ષિણ ગુજરાતનાં લોકગીતો અંગે સંશોધન કરીને Ph.D. ની પદવી પ્રાપ્ત કરી એસ.એન.ડી.ટી. યુનિ.ના સંગીત વિભાગમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયાં. ભાવનગરની ન. ચ. ગાંધી મહિલા કોલેજનાં સંગીતનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ભાવનગર આવવાનું થતાં વર્ષો સુધી પ્રીતિબહેનના કંઠનો લાભ ભાવનગરનાં શ્રોતાજનોને મળ્યો છે. તેઓ હરીન્દ્ર દવેનાં ગીતો, કબીરનાં પદો, રવીન્દ્રનાથનાં બંગાળી ગીતો, કૃષ્ણજન્મ વખતે કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા તે સંદર્ભનાં ગીતો અને તે ઉપરાંત મેઘાણી, કાન્ત, પ્રિયકાંત મણિયાર, નરસિંહ મહેતા, કેશવકૃતિમાંની રચનાઓ, ભજનો ગાય છે. કબીરનાં નિર્ગુણ ભજનોની ૭૫થી વધુ કેસેટ સુજ્ઞોમાં વેચાય છે. વિવિધ કવિઓની રચનાઓના ગાનની લગભગ ૫૦થી વધુ કેસેટો વેચાઈ છે. પ્રીતિબહેનને જેમણે સાંભળ્યાં છે તેઓ જાણે છે કે ભજન ગાતી વખતે પ્રીતીબહેન પૂરી તન્મયતાથી ગાય છે, જાણે સંગીત સમાધિ ન લગાવી હોય! તેમના ગાનમાં એક કક્ષા જળવાય છે. મુંબઈમાં તેમના નિયમિત કાર્યક્રમો થતા રહેતા હોય છે. તેઓ ધંધાદારી રીતે ગાતાં નથી. ખાનગી બેઠકો, શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો થતાં રહેતા હોય છે. તેમના કાર્યક્રમો ઉત્તર હિન્દ, દક્ષિણ હિન્દ, શ્રીલંકા, સિંગાપુર, બેંગકોકમાં શાસ્ત્રીય સંગીતના જાહેર કાર્યક્રમો યોજાયા છે. ભાવનગર રાજ્યના નાયબ દીવાનની પુત્રી પ્રીતિબહેન રવિશંકર ભટ્ટ ભાવનગરના સંગીતપ્રેમી શ્રોતાજનો માટે પ્રતિવર્ષ એકવાર તો ઉપસ્થિત રહેતાં જ હોય છે. જશવંત ગાંગાણી ફિલ્મજગતમાં કાઠું કાઢનાર ભાવનગરીઓની શ્રેણીમાં શ્રી જશવંત ગાંગાણીનું નામ તરોતાજા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામે જન્મેલા શ્રી જશવંત ગાંગાણીની ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી માનતુંએ સર્વત્ર ટિકિટબારી પર અવનવા વિક્રમો સર્જ્ય છે. શ્રી ગાંગાણી આ ગુજરાતી ફિલ્મ પરથી જ મૈકે મેં દિલ લગતા નહીં' નામથી એક હિન્દી ફિલ્મ પણ બનાવી રહ્યા છે. લેખક, નિર્માતા, દિગ્દર્શક અને ગીતકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી જશવંત ગાંગાણી મૂળ લેખક હતા. લેખકમાંથી નિર્માતા બનીને તેમણે મન સાહ્યબાની મેડીએ’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy