SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ SCO સેવાની કદરરૂપે જે નામ આપ્યું જે અત્યારે ગુજરાતભરમાં પ્રથમ હરોળનું નામ ધરાવે છે. પરમાર્થપરાયણ સજ્જન શ્રી ગુલાબરાયને સુદીર્ઘ આયુષ પ્રાપ્ત થાઓ એવી પ્રભુપ્રાર્થના છે. ચંપકલાલ ગિરધરલાલ મહેતા ધનજી ધોળા'ના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત એવા મોટા સંસ્કારી કુટુંબમાં સં. ૧૯૭૫માં ચંપકભાઈનો જન્મ થયો. સં. ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી અઢાર વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગિરધરલાલભાઈનો સેવા-સંસ્કારનો વારસો ત્રણે બંધુમાં સરખે હિસ્સે વહેંચાયો છે. તથા વડીલ બંધુ પાસેથી પદ્મશ્રી પ્રતાપભાઈ ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બન્નેને મોટાભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબદારીમાં શ્રી ચંપકભાઈને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત કર્તવ્ય પરાયણતા અને સંપૂર્ણ જાગૃતપણું રાખી અમરેલીની સમગ્ર જનતાનો પ્રેમ સંપાદિત કરી શક્યા. સાથે સાથે અમરેલી કપોળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ, માર્કેટિંગ યાર્ડ, ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ દોશી પોળ બોર્ડિંગ તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાલાશ્રમ, અમરેલી સાર્વજનિક પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા તેના સંચાલનમાં પોતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળો આપતા રહ્યા. શ્રી જગજીવનભાઈના નેતૃત્વ નીચે સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી અનુભવ મેળવી આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે રહ્યા. પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી સિકન્દરાબાદ જઈને વસવાટ કર્યો. ત્યાં પણ નાની મોટી અનેક સંસ્થામાં કાર્યરત રહ્યા. થોડા સમય પહેલાંજ સ્વર્ગવાસી થયા. જીવનભર અનેકને ખૂબ જ ઉપયોગી થયા. તેમના પુત્ર પરિવારે પણ સેવાભાવનાનો આ વારસો જાળવી રાખ્યો છે. મહુવાના કર્મઠ સમાજસેવક શ્રી દોલુભાઈ જયંતીલાલ પારેખ મહુવા શહેરની વિવિધ સંસ્થાઓની સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસ યાત્રાના સહભાગી એવા શ્રી દોલુભાઈની જીવનયાત્રાનાં ૭૫ વર્ષ પૂરાં થવા સમયે હમણાં જ શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવા તથા શ્રી મહુવા યુવક સમાજમુંબઈ દ્વારા જેમનો અમૃતમહોત્સવ યોજાયો. તે ઉપલક્ષમાં Jain Education International પથપ્રદર્શક તેમની સરળતા-સહૃદયતા અને માદરે વતન મહુવા માટેની લાગણી છેક સંવત ૨૦૦૪થી શરૂ કરેલ સમાજસેવાને અનુલક્ષીને ‘શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવા તથા શ્રી મહુવા યુવક સમાજ-મુંબઈ' તેમજ મહુવા શહેરની વિવિધ સંસ્થાઓના હ્રદયંગમ ભાવોની અભિવ્યક્તિરૂપે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મોરીરાબાપુના વરદહસ્તે સેવા સમ્માનપત્ર અર્પણ થયા. મહુવાના પ્રતિષ્ઠિત અને ખમીરવંત શ્રી દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠીરત્ન શ્રી જયંતીલાલ પ્રાગજીભાઈ પારેખ તથા માતા શ્રીમતી મોંઘીબહેનની કૂખે તા. ૬ઠ્ઠી મે ૧૯૨૯-ચૈત્ર વદ ૧૩ના જન્મ લઈ ઉચ્ચ વૈષ્ણવ કુટુંબની સંસ્કારપરંપરામાં ઊછરી બજાર ગેઈટ હાઇસ્કૂલ-મુંબઈમાં અભ્યાસ અધૂરો છોડી પિતાએ ફેલાવેલ વિશાળ ધંધાકીય સામ્રાજ્યમાં જીવનના અઢારમાં વર્ષથી પિતાશ્રીની છત્રછાયા નીચે ઝંપલાવી સતત ચાલીશ વર્ષ સુધી કાપડના ધંધાકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા અને એ સમયથી જ તેમની સમાજસેવાયજ્ઞનો આરંભ થયો. ધંધાકીય પ્રવૃત્તિ સાથે કાપડ એસોસિએશન–મુંબઈના કારોબારી સભ્ય અને ૧૯૪૨થી ૧૯૮૨ સુધી સિલ્કમરચન્ટ એસોસિએશનના માનમંત્રી તરીકે સેવાઓ આપી. મુંબઈમાં વસતા મહુવાવાસીઓને એકત્ર કરી–મુંબઈમાં મહુવાવાદ સંગઠન દ્વારા ઊભો કરી સંવત ૨૦૦૪માં મહુવા યુવક સમાજ-મુંબઈની સ્થાપનાથી જ સંસ્થાના માનમંત્રી તરીકે કાર્યશીલ થઈ મહુવાના નવસર્જન માટે સતત પ્રયત્નશીલ રહી મુંબઈ વસતા મહુવાનાં શ્રેષ્ઠીરત્નોને માતૃભૂમિનું ઋણ અદા કરાવવા તેમના અમૂલ્ય દાનની ભાગીરથીનો ધોધ મહુવામાં વહાવરાવી ગ્રામ્ય મહુવામાંથી નૂતન મહુવાનો વિકાસ શક્ય બનાવરાવવામાં ટીમવર્ક દ્વારા તેઓ સફળતાને પામ્યા આ માટે મહુવા યુવક સમાજ-મુંબઈ તથા આપના મિત્રોનો ટીમ સ્પિરિટ તથા મહુવા માટે કંઈક કરી છૂટવાની ભાવના ફળદાયી બની રહી. ૧૯૮૪ અને ૧૯૯૪માં પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનું મહુવા શહેરમાં આયોજન કર્યું અને કેળવણી તથા તબીબી સુવિધા માટે જબરદસ્ત નાણાંકીય ભંડોળ એકઠું કરી શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ તથા મહુવા હોસ્પિટલ બંન્ને સંસ્થાઓની નાણાંકીય ખાદ્ય અને રિનોવેશન કાર્યને ગતિ આપવામાં સફળ રહ્યાં. ૧૯૮૮-૮૯માં ધંધાકીય નિવૃત્તિ લઈ સંપૂર્ણપણે સમાજસેવાના કાર્યમાં પ્રવૃત્ત થવા વતનની વાટ પકડી મહુવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy