SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૯ પ્રતિભાઓ મંદિરના વ્યવસ્થાપકો-ટ્રસ્ટીઓ દ્વારા ક્યારેક ધર્મપ્રવચનો, વાર્તાલાપો ગોઠવાય. આમ, એ નિમિત્તે ગુજરાતી સમાજ એકબીજાના સંપર્કમાં પણ રહે છે. ૧૯૯૮થી મંદિરમાં ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો શરૂ થયા. ચન્દ્રિકાબહેને મંદિરમાં ગુજરાતી ભાષા શીખવવાનું કામ સ્વીકાર્યું. અહીંથી તેમને જીવન જીવવાની દિશા મળી. નાની ઉંમરનાં બાળકો, યુવાનો અને ૪૫ વર્ષના પ્રૌઢો પણ મંદિરમાં આવીને ગુજરાતી શીખવા લાગ્યાં. મંદિરમાં પાંચ વર્ગો અને ૧૪ શિક્ષિકાઓ છે. ચન્દ્રિકાબહેનને મંદિરમાં જોડાયાં પછી ગુજરાતી શીખવવામાં બહુ આનંદ આવ્યો. પછી તો જ્યાં કોઈ સ્થળે ગુજરાતીના વર્ગો શરૂ કરવાની વાત આવે ત્યાં ચન્દ્રિકાબહેનને સૌ પ્રથમ જવાબદારી સોંપાય. એક—બે કુટુંબમાં ઘેર ટયૂશન માટે જવાનું શરૂ કર્યું. એક સ્થળે આઠ અને દસ વર્ષના બે કિશોરો અને ૪૦ તથા ૪૫ વર્ષના બે મોટા ભાઈઓ અને બે કૉલેજમાં ભણતા યુવાનોને ગુજરાતી ભાષા શીખવવા જવા લાગ્યાં. એક સ્થળે હોટેલના મિટિંગરૂમમાં વર્ગો ગોઠવાયા. જ્યાં ૫ થી ૧૬ વર્ષ સુધીનાં ૨૬ બાળકો ભણવા આવતાં હતાં. માતૃભાષા શીખવવાનો આનંદ, સાથોસાથ સાદી સરળ ભાષામાં ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્ય કૃતિઓનો પરિચય આપવાનું કામ–આ બધામાં તેમની નિરાશા ઓસરતી ગઈ. જીવનનો ખાલીપો ભરાતો ગયો. દૂર પરદેશમાં ગુજરાતી ભાષા શીખવવાની જે તક મળી તેનો અનેરો આનંદ અનુભવ્યો. અનુકૂળ વાતાવરણ મળ્યું તેને તેઓ ઈશ્વરનો ચમત્કાર ગણે છે. “મને મારું કામ મળી ગયું. બસ, માતા સરસ્વતીની મીઠી કૃપા મારા ઉપર રહે તેવું માગું છું.” સમય પિતા સાથે રૂના વેપારમાં કામ કર્યું. ત્યાર બાદ “ડાયમન્ડ સ્ટેશનર્સ અને પ્રીન્ટર' તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. હાલમાં સ્ટેશનરી-પ્રિન્ટીંગનું નાનું મોટું કામ કરે છે, પરંતુ વ્યવસાયની દૃષ્ટિએ સિનિયર સિટીઝન-નિવૃત્ત જેવા. નાનપણથી પત્તાં રમવાનો અને ગણિત ગમ્મતનો અનહદ શોખ. જે ધીમે ધીમે પત્તાંની કરામતો, ગણિતના કોયડાઓ, બુદ્ધિચાતુર્યભર્યા નવા નવા કોયડાઓ રચવામાં કેળવાતો ગયો. ૧૯૬૦થી મુંબઈસમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, કુમાર, નવનીત ઉપરાંત લંડનથી પ્રસિદ્ધ થતાં Games and puzzles' મેગેઝિનમાં (અંગ્રેજી) તેમના ગણિતના કોયડાઓ, આંકડાઓના કોયડાઓ, પત્તાંની કરામતો વગેરે પ્રસિદ્ધ થતા હતા. ૧૯૭૦ના અંતમાં લંડનના મેગેઝિનના તંત્રીનાં સૂચનથી International Playing cards societyના સભ્ય બન્યા. અહીથી તેમના અભ્યાસની નવી દિશા ખુલી. જીવનમાં વળાંક આવ્યો. દેશ-વિદેશના પત્તાના સંગ્રાહકો અને મ્યુઝિયમો સાથે પત્રવ્યવહાર દ્વારા પરિચય થયો અને માત્ર શોખની વાત હતી તે અભ્યાસ અને સંશોધનનો વિષય બની ગઈ. પત્તાંના સંગ્રાહકોમ્યુઝિયમો સાથે પત્તાંની આપલે શરૂ થઈ. ભારતના ગોળ ગંજીફા, હસ્તચિત્રિત રમવાનાં પત્તાં, બાવન + જોકરો વગેરેનો અભ્યાસ શરૂ કર્યો. ગંજીફાની શોધમાં સાવંતવાડી (મહારાષ્ટ્ર), બિરનુપુર (વેસ્ટ બેંગાલ), ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હૈસૂર વગેરે સ્થળોએ જઈને, પારંપરિક શૈલીના ચિત્રકારો પાસેથી માહિતી એકત્ર કરવા લાગ્યા. ક્યારેક પોતાના તરફથી નવાં સૂચનો પણ આપતા હતા. - આજ સુધીમાં કિશોરભાઈએ ભારતના જુદા જુદા પ્રાંતના ૫00 થી પણ વધારે ગંજીફા વિદેશના સંગ્રાહકો અને સંગ્રહાલયોમાં મોકલ્યા છે. પત્તાંની રમત રમવાની દુનિયામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ છે, તો ભારત એક માત્ર એવો દેશ છે કે જયાં પારંપરિક રમવાનાં પત્તાંનો આકાર ગોળ છે. ગંજીફાની મુખ્ય બે જાતો છે : (૧) ૯૬ પાનાંના મોગલ ગંજીફા (૨) ૧૨૦/ ૧૪૪ પાનાંના દશાવતાર ગંજીફા. - ગંજીફાના શોખને કારણે અને વ્યક્તિગત સંગ્રાહકોની માગણીને કારણે તેમણે ગંજીફાની હૂબહૂ નકલ (Fassimile) કરાવવાની શરૂઆત કરી. (3) પત્તા અને ગઇકાના ગ્રાહક અને સંશોધક શ્રી કિશોરભાઈ ન. ગોરધનદાસ જ્ઞાનની ક્ષિતિજો ક્યારેય સીમિત હોતી નથી. એવા એક અનોખા સંશોધક વ્યક્તિ છે કિશોરભાઈ. ૧૯૩૭માં જન્મ. જન્મસ્થળ-કરાંચી. મૂળ વતન સૂરત. પિતા નટવરલાલ ગોરધનદાસ રૂના વ્યવસાયમાં જોડાયા અને મુંબઈમાં સ્થાયી થયા. કિશોરભાઈએ મુંબઈ અને બેંગલોરમાં અભ્યાસ કર્યો, માઇનિંગ એન્જિનિયર થયા. એન્જિનિયર તરીકે માર્યા ગોવા (ગોવા)માં સાત વર્ષ સર્વિસ કરી. એ પછી મુંબઈ આવી થોડો Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy