SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ નવમી પંચવર્ષીય યોજનાના સંદર્ભમાં ‘કૃષિ વિકાસનું યથાર્થદર્શન' વિશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટઅમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. એક્સેલના સંચાલનમાં તેમણે તેમનું ઉત્તરદાયિત્વ સંપૂર્ણપણે નિભાવ્યું. તેમને લાગ્યું કે એ કર્તવ્ય હવે પૂરું થયું, એટલે ૧૫મી જૂન ૧૯૯૫ના રોજ મેનેજિંગ ડાયરેક્ટરના પદેથી કાકા નિવૃત્ત થયા. કાકા બે વર્ષના હતા ત્યારે તેમના પિતા કચ્છ-વતન છોડીને મુંબઈ જઈને વસેલા, પરંતુ સમગ્ર શ્રોફ કુટુંબે વતન સાથેનો સંબંધ અને સંપર્ક જાળવી રાખેલો. વતનમાં કુદરતી આફતો આવી ત્યારે વતનનાં લોકોને મદદ કરવા તેઓ દોડીને પહોંચી જતા. એવી જ ઘટના શ્રીમતી ચન્દાબહેનને ‘શ્રુજન’ સંસ્થા શરૂ કરવા માટે નિમિત્તરૂપ બની હતી. નિવૃત્ત થયા પછી કાકા એક્સેલ ઓફિસ અને જુહુનો બંગલો છોડીને કાકી સાથે કચ્છના નાનકડા એવા ભુજોડી ગામે જઈને વસ્યા છે. પુનઃ વતનમાં સ્થાપિત થયા છે. વતનના લોકોનાં સુખદુઃખના ભાગીદાર બન્યા છે. ત્યાંના તેમના વિશાળ કુટુંબના સભ્યો છે ઃ ખેડૂતો, ગ્રામજનો, કલાકારો, ભરતકામ કરનારી મહિલાઓ–તેમનાં સંતાનો, વિદ્યાર્થીઓ અને સર્વે. કચ્છનાં ગામડાંઓમાં કામ કરીને તેમણે વિનોબા ભાવેનું સૂત્ર ‘જય જગત્' સિદ્ધ કર્યું છે. દેશ-વિદેશમાંથી લોકો કાકાને મળવા માટે હવે ભુજોડી આવે છે. અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની જવાબદારી અદા કરનારા કાકા પોતાનાં કુટુંબીજનોને પણ પૂરતો સમય આપે છે. ચન્દાબહેનને ‘શ્રુજન’ના કામમાં મદદ કરે છે. રજાઓમાં પૌત્ર--પૌત્રીઓ કચ્છ આવે ત્યારે તેમના સહવાસમાં-વાતચીતમાં સમય ગાળે છે. વહેલી સવારના ૫=૩૦ વાગ્યે વાચનમનનથી તેમની દિનચર્યા શરૂ થાય છે. રાત્રે દૈનંદિનીની નોંધ સાથે પૂરી થાય છે. શહેરી વિસ્તારમાં વધતાં જતાં પ્રદૂષણોની તેમને ચિંતા છે. પ્રદૂષણ નિવારણના ઉપાયો માટે વિચારતા રહે છે. સૌને જાગૃત થવા કહે છે. વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે સતત અભ્યાસ અને પ્રગટપણે વિચારણા કરે છે. કાકાના એક ઉદ્યોગપતિ મિત્ર નરોત્તમ સેખસરિયાએ કહ્યું છે કે “શ્રોફ દૃષ્ટિવાળા માણસ છે, તેમની ઉત્તમ શક્તિ વિચારને આચારમાં પરિવર્તિત કરવામાં રહેલી છે.' Jain Education International ૬૦૧ કાકા વર્ષો સુધી જીવનના બહુવિધક્ષેત્રે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. આ કાર્યો વિશે તેઓ નમ્રતાથી પોતાની વાત જણાવે છે કે “મેં તો એક જવાબદાર નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવવાનો પ્રયત્ન કર્યો છે.” કાકાએ તેમની માર્મિક શૈલીમાં માનવીને આજ અને આવતીકાલ માટેનાં કર્તવ્યનો રાહ દર્શાવ્યો છે. તેઓ કહે છે : “આ સર્વત્ર વસતો સર્જનહાર આપણને વધારે ને વધારે જવાબદારીઓ આપતો જ રહે છે. જેવી આપણે જવાબદારી સ્વીકારીએ એટલે આપણો હાથ પકડીને આપણને આગળ અને આગળ લઈ જાય છે. અત્યારે તો બહુ ચોખ્ખું દેખાય છે. આ પૃથ્વી માતાની આપણે ભેગા મળીને સેવા કરવાની છે. અબજો વર્ષોથી આ પૃથ્વી પોતાનાં અનેક સંતાનોના હાથથી સરસ રીતે ક્યાંય કચરો પેદા કર્યા વગર ખૂબ વિવિધ સ્વરૂપે સજાતી રહી હતી. ધ્રુવપ્રદેશથી વિષુવવૃત્ત સુધી. છેલ્લાં ૩૦૦ વર્ષમાં માનવજાતે વધારે ને વધારે ખરાબી કરી નાખી છે. એ બધું આપણે-જે સંસ્કૃતિએ ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્' અને ‘સહનાવવતુ' શીખવ્યું છે એ જ સંસ્કૃતિએ આ પૃથ્વી માતાની સેવા કરી તેને સરસ બનાવવાની છે. Act globaly-think localy. એ રસ્તે આગળ વધવાનું છે.” વ્યક્તિગત સ્તરેથી વૈશ્વિક સ્તરે માનવજીવનના વિકાસ માટે સતત ચિંતન કરનારા અને તેને આચારમાં મૂકનારા કાકા વ્યક્તિ નહિ, સંસ્થારૂપ છે. સર્જકતા અને સૂઝભરી કાર્યશૈલીનો અનોખો સમન્વય શ્રીમતી ચન્દાબહેન કાંતિસેનભાઈ શ્રોફ શ્રીમતી ચન્દાબહેનના પરિચય વિના શ્રી કાંતિસેનભાઈનો પરિચય અધૂરો ગણાય. કાકાનાં સહધર્મચારિણી ચન્દાબહેન એક્સેલ પિરવાર અને સ્નેહીજનોનાં વહાલસોયાં કાકી આગવું વ્યક્તિત્વ ધરાવે છે. કાકાએ રસાયણના કારખાનાનું કામ પ્રાપ્તધર્મ તરીકે સ્વીકારેલું, પણ મૂળે કલાકારનો જીવ. ચંદાબહેન ગાંધીવાદી વિચારધારાથી રંગાયેલાં કુટુંબનું સંતાન. ભરત-ગૂંથણ, સીવણ, ચિત્રકલાનો શોખ. કાંતિસેનભાઈ પાસે તેઓ ચિત્રકામ શીખતાં હતાં. જીવન અને કલા પ્રત્યેની સમાન વિચારધારાને કારણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy