SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪. છે. ધંધામાંથી સમય મેળવીને પણ સામાજિક સંસ્થાઓમાં સમય-શક્તિનો ભોગ આપે છે. ભાવનગરની બહેરાં-મૂંગાં શાળાસંચાલન સમિતિમાં; અંધ ઉદ્યોગશાળામાં, ચેમ્બર ઓફ કોમર્સમાં એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં પણ આ બધી સંસ્થાઓમાં સારી એવી રકમની સખાવત કરી છે. ભાવનગરમાં રામમંત્રમંદિરમાં પ્રાથમિક શાળામાં મોટું દાન, ભાવનગરમાં નવા વૃદ્ધાશ્રમમાં મોટી રકમનું દાન, તખ્તસિંહજી હોસ્પિટલમાં આંખની હોસ્પિટલ માટે મોટું દાન, વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં મોટું દાન, મહુવામાં બી.એડ્. કોલેજ ચાલે છે-તેમાં મોટું દાન, રાધેશ્યામ પરિમલ ચેરિ. ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. હોસ્પિટલમાં વોટરકૂલર મૂકવા માટે; વિકાસગૃહમાં, આંખના દવાખાનામાં, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અને ફૂી ડિસ્પેન્સરી ચલાવવામાં તથા નાનાંમોટાં ફંડફાળાઓમાં શ્રી રમણિકભાઈના દિલની અમીરાતનાં દર્શન થાય છે. મનમોટેરા માનવી લાભુભાઈ ત્રિવેદી લાભુભાઈ ત્રિવેદીનો જન્મ ૧૯૨૫માં ધ્રોળ મુકામે ડોક્ટર વજુભાઈને ત્યાં થયો હતો. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સ્નાતક થયા. કોલેજકાળથી વિદ્યાર્થીપ્રવૃત્તિથી તેમણે જાહેર જીવનની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘની સ્થાપના કરી તેમના પ્રથમ પ્રમુખ અને પ્રણેતા બન્યા. તેમનામાં વિદ્યાર્થીઓના પ્રશ્ન સમજવાની અને તેમાં માર્ગદર્શન આપવાની આગવી કુનેહ હતી. ગુજરાતની યુવા પેઢીના મિત્ર, મુરબ્બી અને માર્ગદર્શક હતા. સહુ તેમને પ્રેમથી ‘ગુરુ' જ કહેતા હતા. તેઓ અખંડ કોંગ્રેસના મહામંત્રી પદ સુધી પહોંચ્યા હતા. તેમના આગવા વ્યક્તિત્વને કારણે વિરોધપક્ષના નેતાઓ પણ તેમને માનપૂર્વક જોતા હતા. ૧૯૬૬માં કસ્તુરબા વિદ્યાલયથી શરૂ થયેલી સર્જનયાત્રામાં ૨૭ વર્ષમાં લગભગ ૩૨ સંસ્થાઓ સ્થાપી. બાલમંદિરથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાઓ તેમનાં પરિણામની ગુણવત્તા માટે જાણીતી છે. સ્થૂળ આંકડાની ભાષામાં કહી શકાય તેવું ઘણું લખી શકાય તેવું છે, પણ સંસ્થાઓ સ્થપાયા પછી જાત ઘસી નાખે તેવા સંચાલકો મેળવવાનું સૌભાગ્ય રાજકોટની પ્રજાને સાંપડ્યું હતું. Jain Education Intemational પથપ્રદર્શક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક તરીકે ૧૯૮૫થી ૧૯૯૦ના સમય દરમિયાન રહ્યા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અભ્યાસક્રમ વહીવટને લગતા જટિલ પ્રશ્નો માનવીય અભિગમથી સરળતાથી ઉકેલ્યા. તેઓએ સ્થાપેલ ‘સાંસ્કૃતિક સમાજ', સંસ્કાર પ્રવૃત્તિની યશકલગી બની રહેલ છે. તેમાં લોકમેળાઓ, આનંદબજાર, બાલમેળાઓ, સામાન્યજ્ઞાન સ્પર્ધા, પ્રતિભાશોધ, વસંતોત્સવની ઉજવણી, નાટ્ય, નૃત્ય, ચિત્ર, સંગીત, છબીકલા જેવી લલિત કલાઓનું આયોજન, કલાકારોના સમ્માનકાર્યક્રમ, ચિંતકો અને વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોનાં પ્રવચનો, રામકથા અને ભાગવતકથાનાં આયોજનો એમ વિવિધ કલા-સંસ્કાર પ્રવૃત્તિઓ લાભુભાઈના માર્ગદર્શન હેઠળ ધબકતી રહી છે. આ પ્રકારનાં આયોજનો અને પ્રવૃત્તિઓના વ્યાપમાં સમાજલક્ષી સેવાપરાયણ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. તેઓના કાવ્યસંગ્રહ એક દિવસ અને એક રાત્રિ’ અને ‘હું અને તું’ છે, જેમાં કવિત્વની સૂઝ અને ચિંતનાત્મક સર્જનની અનુભૂતિ થાય છે. વ્યક્તિગત સ્વાર્થ અને અંગત જીવનના મોહનો સદંતર અભાવ લાભુભાઈના જીવનની ઉચ્ચ ભૂમિકાના પાયામાં હતો. નિઃસ્વાર્થ લોકસેવા, જાત ઘસીને અન્યને ઉપયોગી થવાની તૈયારી, ભારતીય સંસ્કારની ત્યાગમય પરંપરા અને મહાત્મા ગાંધીજી તથા રામકૃષ્ણ પરમહંસના ઉદાત્ત વિચારોની પ્રેરણાથી ઘડાયેલ વિચારસરણીથી લાભુભાઈનું વ્યક્તિત્વ આધ્યાત્મિક છાંટ સાથે ખીલતું રહ્યું હતું અને શ્રેયસાધનાનો વિકાસ થતો રહ્યો હતો. ગર્ભશ્રીમંત કુટુંબમાંથી આવતા લાભુભાઈએ પ્રવૃત્તિઓ પાછળ ગાંઠનું ગોપીચંદન ઘસ્યું છે. લક્ષ્મી કે વૈભવની પ્રાપ્તિ કરી નથી. ઉચ્ચ પ્રકારની કાર્યદક્ષતા, આયોજન અને વ્યવસ્થામાં ચોક્સાઈ, તેમ જ સાદાઈ અને સરળતા એ લાભુભાઈના વ્યક્તિત્વના ન ભૂલી શકાય તેવા ગુણો હતા. તેમનો જન્મ ૧૯૨૫માં થયો હતો. ઉદાર મનોવૃત્તિ : સાદી જીવનશૈલી સમસુદ્દીનભાઈ છતરિયા મહુવાનું છતરિયા કુટુંબ સાહસિકતા, દીર્ઘર્દષ્ટિ અને વ્યવહારદક્ષતા માટે જાણીતું છે. એ કુટુંબના યુવાન સભ્ય શ્રી સમસુદ્દીનભાઈએ મહુવાના ઔદ્યોગિકક્ષેત્રે એક નવી ભાત પાડી છે. નોનમેટ્રિક સુધીનો અભ્યાસ પણ ઔદ્યોગિકક્ષેત્રે કંઈક કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy