SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ છે. ૩૦ વર્ષથી ભગવાનની પૂજા કર્યા સિવાય કાંઈ વાપરતા નથી. ૭૯ વર્ષની ઉંમરે પાલિતાણા, સમેતશિખર, ગિરનાર વગેરે પર્વતો ઉપર પગે ચાલીને યાત્રા કરે છે. ટૂંકમાં કહીએ તો તેમના જીવનમાં જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરવું.....તો માનવસેવાનું એક પણ કાર્ય કરવામાં ચૂક નહીં. તેઓ માને છે સારા કાર્ય માટે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. એકવીસમી સદી ખરેખર વસમી સદી છે ત્યારે મનુભાઈ શેઠ જેવી વ્યક્તિઓનાં સમૂહની દેશને તાતી જરૂર છે. સંકલન :-ભાસ્કરભાઈ ભાવસાર, પી.એન.આર. સોસાયટી, ભાવનગર. શ્રી રમણભાઈ ભાઈલાલભાઈ અમીન પશ્ચિમ ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં જેઓનું આગળ પડતું સ્થાન છે તેમાં શ્રી ૨મણભાઈ બી. અમીનને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. ૧૯૧૩ના મે માસની ૧૯મી તારીખે વડોદરા મુકામે તેમનો જન્મ થયો. બચપણથી જ શ્રી રમણભાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાનાં દર્શન કરાવ્યાં. તેમના પિતા સ્વ. રામિત્ર ભાઈલાલભાઈ ડી. અમીન કે જેઓ ૧૯૦૭માં સ્થપાયેલ એલેમ્બિક કેમિકલ વર્ક્સના મુખ્ય આયોજક હતા. શ્રી રમણભાઈએ શિક્ષણ પૂરું કરીને મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જર્મની તરફ પ્રયાણ કર્યું અને ત્યાં ચારેક વર્ષ ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૩૪માં દેશમાં પાછા આવી ધંધા પ્રત્યેની તેમની આગવી સૂઝ, સમજ અને આવડતને બળે વડોદરાના સુપ્રસિદ્ધ એલેમ્બિક કેમિકલ વર્ડ્સમાં જવાબદારીભર્યુ સ્થાન સ્વીકાર્યું. નવાં મશીનોની શોધ, કેમિકલ ગ્લાસ ફેક્ટરીમાં નવું આયોજન અને નવી દૃષ્ટિને પરિણામે અવનવા પ્રયોગો કરતા રહ્યા અને તેમનું વાસ્તવિક મંડાણ અનેકોને પ્રેરણાદાયી બન્યું. ધંધાના વધુ વિકાસ અર્થે ૧૯૩૭માં યુરોપ અને અમેરિકા જઈ ત્યાંનાં કારખાનાંમાં થતાં ઉત્પાદન, વેચાણ વગેરે બાબતોનો પણ અભ્યાસ કર્યો. ઓટોમેટિક પ્લાન્ટ સૌ પ્રથમ હિન્દુસ્તાનમાં આ કંપનીએ અમેરિકાથી ખરીદી લાવીને ઘણો જ વિકાસ કર્યો. માનવજીવન માટે અનિવાર્ય એવું ‘પેનિસિલિન’સંપૂર્ણ ભારતીય ઢબે બનાવવાનું માન એલેમ્બિકને ફાળે જાય છે. બરોડા અને ગુજરાતમાં ઉદ્યોગોનાં મૂળ ઊંડાં નાખવામાં તેમની વિચક્ષણ બુદ્ધિશક્તિએ કામ કર્યું છે. ૧૯૪૫માં વડોદરામાં પણ તેમણે એલેમ્બિક ગ્લાસની સ્થાપના કરી હતી. Jain Education International Exe શ્રી રમણિકલાલ મનોરદાસ માનવજીવનની ફલશ્રુતિ માનવી પાસે કેટલી ધનદોલત અને ભૌતિક સંપત્તિ છે અગર તો કેટલું વધુ જીવ્યો તેના ઉપરથી નહીં પણ માનવીએ પોતાના દીર્ધ જીવનકાળ દરમ્યાન મંગલ દાનધર્મને ક્ષેત્રે પોતાની સંપત્તિનો કેવા મનોભાવથી સદ્યય કર્યો છે, સમાજસેવાને ક્ષેત્રે કેટલા નિઃસહાય-નિરાધાર માનવકંકાલોના ઉત્કર્ષ માટે ઉપયોગી બન્યો છે, તેના ઉપરથી જ માનવજીવનનું મૂલ્ય આંકી શકાય છે. માનવજીવનની શ્રેયયાત્રામાં જ પોતાની લક્ષ્મીનો છૂટે હાથે ઉપયોગ કરનારા શ્રેષ્ઠીવર્ય શ્રી રમણિકલાલભાઈ શેઠ પણ એવા જ ગુલાબી આદમી છે. ભાવનગરના આગેવાન વેપારીઓ અને ઉદારરિત દાનવીરોમાં તેમની પ્રથમ હરોળમાં ગણના થાય છે. તેમની વિનમ્ર સૌજન્યતાએ જ તેમને આજે ઊંચે આસને બેસાડ્યા છે. વ્યાપારિક કાર્યકુશળતા, ઊંડી હૈયા-ઊકલત, મનનભરી વિચારશીલતા; મેધાવી બુદ્ધિશક્તિ અને સુદીર્ધ દૃષ્ટિ તેમને વારસામાં સાંપડ્યાં છે. સેવા-સૌરભથી મહેકતી આ યુવાશક્તિએ સોળ વર્ષની નાની ઉંમરથી ધંધામાં જોડાઈને વ્યાપારની પ્રગતિકૂચને ચાલુ રાખી. લોખંડ, સિમેન્ટ અને પેઇન્ટ્સના ધંધામાં ગુજરાતમાં આ પેઢી નામાંકિત બનેલી તેમાં શ્રી રમણિકભાઈએ યશકલગી ચડાવી સાથે સમાજસેવાના ઉચ્ચતમ આદર્શોનું જતન કરતા રહ્યા. નવું જોવા, જાણવા અને સમજવાની લગની બચપણથી હતી જ. એ તમન્નાને કારણે સમસ્ત ભારતનાં દર્શનીય સ્થાનોનો પ્રવાસ કર્યો. યાત્રાર્થે ઘણાં તીર્થસ્થાનોની કુટુંબીજનો સાથે મુલાકાત પણ લીધી અને જીવનબાગને મધમધતો કરતા રહ્યા. વિશાળ વાચન અને સ્પોર્ટ્સનો પણ ભારે શોખ. ધર્મગ્રંથો અને શિષ્ટ સારાં સામયિકો વાંચવાની અભિરુચિ, સાહિત્યકારો તરફની પણ એટલી જ ઉમદા લાગણી એમના જીવનમાં જોવા મળી. પોતે પૂજાપાઠમાં મગ્ન હોય કે ઘેર લગ્નપ્રસંગની ધમાલમાં હોય કે વ્યાપારમાં રચ્યાપચ્યા હોય તેવે વખતે પણ અજાણ્યા અતિથિને મધુર સ્મિત અને મધુર વાણીથી સત્કારે છે. આવનાર એમને આંગણેથી હંમેશાં રાજી થઈને ગયો છે, એ એમના પરિવારની ઉચ્ચ પ્રણાલિકા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. ભાવનગરમાં પરિમલ ચોક પાસે સત્યનારાયણનું મંદિર તેમના વડીલોએ બંધાવ્યું. ભાવનગરમાં ધંધાનું કુશળ સંચાલન ઉપરાંત રાજકોટમુંબઈ-અમદાવાદમાં પણ તેમની શાખાઓ સંગીન રીતે ચાલે For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy