SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ હોવા છતાં તેમનામાં નાના-મોટાનો ભેદભાવ ન હતો. તેઓ ખૂબ જ કુટુંબપ્રિય વ્યક્તિ હતા. ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને મમતાવાળા સ્વભાવને કારણે તમામ લોકગણમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ બનેલા હતા. તેમને વાચનપ્રેમ હોવાથી સાંસારિકતા અને વ્યાવસાયિકતાનાં દરેક ક્ષેત્રે ખૂબ જં જ્ઞાન હતું. એમનું વ્યક્તિત્વ અનેક પાસાંવાળું હતું. તેઓ એક વડીલ, એક મિત્ર, કોઈને પણ કામ આપવા તૈયાર સજ્જન, એક કુશળ વ્યાપારી, એક પ્રોત્સાહક અને સૌથી વધુ એક સાફ હૃદયના માનવી હતા. ઈ.સ. ૧૯૨૯માં પોતાની નાની વયથી જ સ્વપ્રયત્ન જ્વલંત કારકિર્દી અને જીવનગાથા ઊભી કરી અવિરતપણે આ કર્મયોગીએ દરેક ક્ષેત્રમાં પોતાના અથાગ પરિશ્રમ, સ્વશક્તિ અને સાહસથી એક પછી એક સફળતાના શિખરો સર કરી સમાજની સેવા કરી, ઋણ ચુકાવી આ મહામાનવે તા. ૧૫-૭- ૧૯૯૦ના પોતાનો નશ્વર દેહ આપણ સર્વેને રડતાં મુકી પંચમહાભૂતમાં વિલીન કરી ત્યાગ કરેલ છે. તેઓશ્રીનો આત્મા ઈશ્વર પાસે પહોંચી ગયેલ હોવા છતાં પણ તેમના કુટુંબ વચ્ચે રહી સર્વેને પ્રેરણા આપે છે. તેઓએ આપેલ અમૂલ્ય સંસ્કારનો વારસો વ્યાવહારિક કુશળતા, નિખાલસતા, કુટુંબપરાયણતા અને ઉચ્ચ આદર્શોની સ્મૃતિઓ તેમના પરિવારનાં સૌના જીવનમાં સદેવ દીવાદાંડી બની ચિરંજીવ રહેશે. તેઓએ પ્રચંડ પુરુષાર્થથી અનેરા આત્મવિશ્વાસથી સમ્માનપૂર્વક જીવન જીવી સર્વને વાત્સલ્ય અને સ્નેહની સરિતામાં ભીંજવી ઋણાનુબંધ પૂર્ણ થતાં પરિવારથી વિદાય લીધી. સદ્ગત પોતાની પાછળ પરિવારમાં પોતાનાં ધર્મપત્ની અંબાબહેન તથા પુત્રો કિશોરચંદ્ર અને કૈલાસચંદ્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્રપૌત્રીઓના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેઓશ્રીના આત્માને ચિર શાંતિ અર્થે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. માનવસેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રેરક અને ચાલક ઃ મનુભાઈ શેઠ ભાવનગર શહેરમાં અનેક જૈન દેરાસર આવેલ છે તેમાંનું એક છે “દાદાસાહેબ જૈન દેરાસર', જેને હમણાં જ ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં “જૈન તીર્થ' બન્યું છે. ભાવનગરના શહેરીજનો શિયાળાની ઠંડીનો પ્રથમ આસ્વાદ માણતા હતા. દિવસ હતો પથપ્રદર્શક માગશર સુદ એકમ અને બેસતો મહિનો, નિત્યક્રમ મુજબ દેરાસર દર્શનાર્થે જતાં દાદાસાહેબનાં પટાંગણમાં જ ભગવાન મહાવીરની પૂજાવિધિ પતાવી પરત નીકળતા શ્રેષ્ઠીશ્રી મનુભાઈ શેઠનાં દર્શનનો લાભ મળ્યો. પૂરી ૬ ફૂટની ઊંચાઈ, ઘઉંવર્ણી કાયા, તેજસ્વી લલાટ પર કેસરનો ચાંદલો, પ્રતાપી અને પ્રેમાળ આંખો, પોપટિયું નાક, લાંબા અને મોટા કાન, લાંબા હાથ, વાંકડિયા વાળ અને દઢ મનોબળવાળો દેહ, સફેદ ધોતી, સફેદ ખેસ અને ગળામાં પૂજાનો રૂમાલ, છટાદાર ચાલ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. માનવામાં ન આવે આ વ્યક્તિએ ૭૮ વર્ષ પૂર્ણ કર્યા હશે, પણ ઈશ્વરે તેમને ઘણું બક્યું છે અને તેનો તેઓ સતત સઉપયોગ કરતા રહે છે. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ભૂમિ-પાલિતાણા ખાતે તા. ૧૮-૦૮-૧૯૨૪ના શુભદિને સુખી અને સંસ્કારી કુટુંબમાં શ્રી મનુભાઈનો જન્મ થયેલ. પિતા નરોત્તમદાસ અને માતા ચંચળબહેન પુત્રને લાડકોડથી ઉછેરે. પાલિતાણા જૈન તીર્થે પધારતા મુનિવરો પાસે આ દંપતી બાળકને કાંખમાં નાખી મહારાજશ્રીનાં દર્શનાર્થે લઈ જતાં. મહારાજશ્રી આ બાળકનાં માથે હાથ ફેરવી વાસક્ષેપ નાખે અને બાળક ખિલખિલાટ હસે, આવું તો અનેક વખત બનતું. કહેવાય છે પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં બારણાંમાં. બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતા અને દેશદાઝનાં સંસ્કાર મળેલ હોય તેઓશ્રી જૈનસેવા સમાજમાં આઠ વર્ષની ઉંમરે જોડાઈ, સામાન્ય સેવાના પાઠ ભણી, સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા થયા. સૌ પ્રથમ પાલિતાણા ગોડીજી જૈન દેરાસર અને આગમમંદિરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી. નાનપણથી જ તેઓને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઘણી રુચિ. એ જમાનામાં સિનેમા કરતાં રંગભૂમિનું મહત્ત્વ ઘણું હતું. સમાજે સ્ત્રીઓને હજુ રંગભૂમિના સ્ટેજ પર ઊતરવાની સ્વીકૃતિ આપેલ નહીં, પુરુષો જ સ્ત્રી પાત્ર ભજવતા. આવા સમયે સને ૧૯૪૪માં પાલિતાણાના રાજાના રાજ્યાભિષેકની સિલ્વર જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. પાલિતાણાની હેરિઝ હાઇસ્કૂલ દ્વારા નાટિકા “ગોપિકા' કવિ નાનાલાલ લિખિત ભજવાતાં, મનુભાઈ દ્વારા રાજકુમારનું પાત્ર એવું સુંદર ભજવેલ કે લોકોની વાહ વાહ અને કર્તશ્રીની શાબાશી પ્રાપ્ત કરેલ. આ પ્રસંગે કવિશ્રી નેહાનાલાલની હાજરીમાં પ્રથમ પારિતોષિક જામનગરના શ્રી દિગ્વિજયસિંજીના હસ્તે પ્રાપ્ત કરેલ. જૂનાગઢના નવાબ સહિત જુદા જુદા સ્ટેટના પંદરેક રાજવીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy