SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સમાજ્ઞેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રણેતાઓ ગુજરાતમાં મહાજન પરંપરા પહેલેથી જ જોવા મળે છે. એક સમયે મહાજનો કે જેઓ શ્રેષ્ઠીઓ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ગુજરાતના વિકાસમાં ઘણી રીતે સહાયભૂત બનતા હતા. તેઓનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું મજબૂત હતું. આજે પણ ગુજરાતનાં કેટલાંક શહેરો અને કસબાઓમાં તથા ગુજરાતની બહાર આવા શ્રેષ્ઠીઓ જોવા મળે છે. આ મહાનુભાવોના ત્યાગ, સંયમ, ધૈર્ય અને નીડરતાએ સમાજને એક નવી જ દિશા આપી છે. સેવા, સંયમ, ત્યાગ અને સમર્પણની સુવાસ મહેકતી હોય તેવા ઘણાનાં આદર્શ ચરિત્રો આપણા રોજિંદા જીવનમાં સેવાભાવનાની ભવ્ય ભરતી લહેરાવી જાય છે. સંપાદક દક્ષિણ ભારતમાં વિવિધ સામાજિક સેવામાં અગ્રેસર શ્રી કાન્તિલાલ એ. કામદાર (મદ્રાસ) ઔદ્યોગિક ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત જલતી રાખતા મદ્રાસના મહારથી ગુજરાતી અગ્રેસર શ્રી કાન્તિલાલભાઈ અમીચંદ કામદારનું સમગ્ર જીવન આગે કદમીના ઉજ્જ્વળ ઇતિહાસનું દર્શન કરાવે છે. સૌરાષ્ટ્રના સ્વામીનારાયણના ગઢડાના સુવિખ્યાત સુખી સમૃદ્ધ જૈન વણિક પરિવારમાં શ્રી કાન્તિલાલભાઈનો જન્મ ઈ.સ. ૧૯૨૫ના માર્ચની ૨૭ તારીખે થયો હતો. વતનમાં અભ્યાસ પછી પિતાનાં પગલે યુવાન શ્રી કાન્તિભાઈ કિસ્મતના ખેલ ખેલવા પ્રથમ મુંબઈ, સાંગલી, આદોની અને બાદમાં મદ્રાસને આંગણે ઈ.સ. ૧૯૫૬માં આવી આયાતનિકાસના વ્યાપારમાં સામેલ થયા હતા. આગે કદમનાં ઉન્નત સ્વપ્નો સદાય હૈયામાં ઘોળાતાં આ યુવાને સ્ટેનલેસ સ્ટીલના વ્યવસાયમાં ઝંપલાવી ‘ઝેનિથ ઇન્ટરનેશનલ'ના નામે સ્ટેનલેસ સ્ટીલના કારખાનાના પાયા નાખ્યા હતા. આજે આ ઉદ્યોગક્ષેત્રથી તેમની ઉન્નતિ ઉજ્જ્વળ સ્વરૂપ પામી છે. ધંધાના વિકાસ અર્થે વિદેશોમાં અન્ય વખત ગયા ને નિકાસ માટે યથાગત પ્રયાસો કરી નામના મેળવી, જેથી ભારત સરકારે તેમને સ્ટેનલેસ સ્ટીલના શ્રેષ્ઠ નિકાસ માટે એવોર્ડ પણ આપ્યો છે. તેઓશ્રી તામિલનાડુ મેટલવેર એસોસિયેશનના પ્રમુખપદે ૧૯૮૨થી ૧૯૮૭ સુધી રહી ખૂબ જ સુંદર સેવા આપેલ છે. હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે રહી ચેમ્બરનું ગૌરવ વધાર્યું છે. ૬૩૯ Jain Education Intemational ‘રાજયોગ કન્સ્ટ્રક્શન લિ.'ના ચેરમેન છે, જે આજે સમગ્ર તામિલનાડુમાં અગ્રણી સ્થાન ધરાવે છે. સમાજસેવામાં શ્રી કાન્તિલાલભાઈ મોખરે છે. શ્રી ZPH ગુજરાતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના સતત નવ વર્ષ સુધી પ્રમુખ રહી બાલિકાઓની શિક્ષણ કેળવણીમાં ખૂબ જ પ્રગતિ સાધી, તેમ જ શ્રી AB પારેખ વિદ્યામંદિરમાં પણ ઉપપ્રમુખ તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે. હાલ તેઓ શ્રી ચેન્નાઈ (મદ્રાસ)ની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી મંડળના પ્રમુખ છે અને શ્રી ગુજરાતી મંડળ બિલ્ડિંગ ટ્રસ્ટના (અતિથિગૃહ) ટ્રસ્ટી છે. ધાર્મિક ક્ષેત્રે તેઓએ શ્રી સૌરાષ્ટ્ર જૈન સંધ, શ્રી સૌરાષ્ટ્ર જૈન વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ રહી તેમ જ શ્રી દક્ષિણ ભારત સૌરાષ્ટ્ર જૈન મહાસંઘના સ્થાપક પ્રમુખ, જૈન સોશ્યલ ગ્રુપ મદ્રાસ સેન્ટ્રલના સ્થાપક પ્રમુખ અને જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના ઉપપ્રમુખ રહી ખૂબ જ સેવા આપી. એ સંઘો અને સંસ્થાઓએ પ્રગતિ સાધી છે. શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ટ્રસ્ટના હાલ ઘણા સમયથી પ્રમુખ છે. લાયન્સ ક્લબના પ્રમુખ થઈ ક્લબને ઘણા એવોર્ડ પ્રાપ્ત કરાવેલ છે. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને લાયન્સ હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન ૧૯૯૨થી આજ દિવસ સુધી ચાલુ છે. PTB ગુજરાતી સહાયકારી હોસ્પિટલ, લાયન્સ કન્યાશરણ, લાયન્સ આઇ બેંક ફાઉન્ડેશન, લાયન્સ ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડ, શ્રી ગુજરાતી સ્ત્રી મંડળ, શ્રી જૈન મહિલા સંઘ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ફાઉન્ડેશન વગેરે અને સંસ્થાઓના બિલ્ડિંગ ટ્રસ્ટોના ટ્રસ્ટી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy