SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કોકોશ તેમણે કરી, તેનાં ફળ આપણે મેળવી રહ્યા છીએ, ત્યારે એ મહામાનવને વંદના કર્યા વગર રહી શકતા નથી. તેમણે માત્ર લેઉવા પટેલ જ્ઞાતિનું જ હિત હૈયે રાખ્યું નથી પણ કડવા પટેલ જ્ઞાતિને પણ પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. તેઓ માત્ર શિક્ષક હતા પણ સમાજ સેવામાં પડી લોક શિક્ષક બની ગયા. પહેલાં માત્ર બાળકને શિક્ષણ આપતા હતા પણ પછી તેમણે બાળકથી માંડી બુઢ્ઢા સુધી સૌને શિક્ષણ આપવા માંડ્યું. આ મહાનુભાવ શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે તેમણે તેમના આખરી શ્વાસ પણ પોતે સ્થાપેલ બોર્ડિંગમાં જ છોડ્યા, ઇ. સ. ૧૯૩૩માં ટી.બી. હોવા છતાં અનશન ઉપવાસથી આત્માને દેહથી અળગો ર્યો અને પ્રભુએ એક પરોપકારી, પરદુઃખભંજન, સેવાભાવી સજ્જન અને અડીખમ આગેવાનને આપણા સમાજ પાસેથી ઉપાડી લીધો. ભલેને તેમના ક્ષર દેહે આપણી પાસેથી વિદાય લીધી હોય પણ હજી તેનાં અક્ષર દેશ અને અલીને આપણી વચ્ચે પડ્યાં છે. અને પ્રેરણાના પીયૂષ પાયા કરે છે. તેને યાદ કરીને યત્કિંચિત પણ સમાજ ઉદ્ધારક મહામાનવને આપણા લાખો વંદન હજો. બેચરદાસ લશ્કરી શ્રી બેચરદાસ અંબાઈદાસ લશ્કરી કડવા કણબી જ્ઞાતિના સંનિષ્ઠ અને ક્રાંતિકારી સમાજ સુધારક હતા. તેમની શરાફી પેઢીઓ ગુજરાતના અનેક નગરો અને ગામડાઓમાં ફેલાયેલી હતી. આ પેઢીઓના વિકાસથી તેમણે ૧૮૬૭માં અમદાવાદમાં કાપડની મીલ પણ શરૂ કરી, ગુજરાતના સાંસ્કૃતિક અને ઉદ્યોગ ક્ષેત્રોમાં ક્રાંતિ કરી હતી. શિક્ષણ અને બાળલગ્નો બંધ કરવાના અને બાળકીઓને દૂધપીતી બંધ કરવાના કાર્યમાં અંગ્રેજોને લશ્કરીએ સહયોગ આપ્યો. અને તેના કાર્યની કદર સ્વરૂપે તેમને ‘રાવબહાદુર'નો માનવંતો ખિતાબ મળ્યો હતો. ઉપરાંત રાણી વિક્ટોરીયાએ કંપેનિયન સ્ટાર ઔફ્ર ઇન્ડિયાની માનદ પદવી અર્પણ કરી હતી. શેઠ શ્રી બેચરદાસ લશ્કરી સુધારાઓના સમરાંગણમાં એક સુધારક યોદ્ધાની જેમ ઝઝૂમ્યા અને સફળતાને વર્યા હતા. લશ્કરીના અવિરત પ્રયાસોથી ૧૮૭૦નો યાદગાર પુત્રીરક્ષક કાયદો પાસ થયો. આથી કન્યાઓને દૂધપીતી કરવાની ચાલ પર અંકુશ મૂકાયો. લગ્નના ચાંલ્લા પર પણ પ્રતિબંધ આવ્યો. આમ લગ્ન પાછળ ખોટા ખર્ચ બંધ થવાથી દીકરીઓના માબાપ તેમના ઉછેરમાં વિશેષ કાળજી લેતા થયા. શેઠ થી બેચરદાસના Jain Education International ૬૧૯ પ્રયાસોથી કોલેજ પણ શરૂ થઈ અને કડવા બોકિંગની પણ અમદાવાદમાં વ્યવસ્થા થઈ હતી. પાટડી દરબાર જોરાવરસિંહજી પાટડી દરબાર જોરાવરસિંહજીએ ઇ.સ. ૧૮૬૫માં કન્યાઓ માટે સંરક્ષણના નિયમો બનાવ્યા. ગુજરાત કોલેજ અને કડવા બોર્ડિંગ હાઉસ સ્થાપવામાં તેમણે મદદ કરી હતી અને વિદ્યાર્થીઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે માટે આગળ ભણવા ઇચ્છે તેવા હોનહાર યુવાનોને શિષ્યવૃત્તિ આપવા દાન પણ કર્યું હતું. આમ કડવા પાટીદારોનું ‘કડવા પાટીદાર હિતવર્ધક મંડળ' અમદાવાદમાં અસ્તિત્વમાં આવ્યું. જ્ઞાતિઓમાં લગ્નોના ગોળ રચાતા ઉલટી કન્યા વિક્રય વધી પડથી અને પૈસાદારના પુત્રો જ ધરે રમવા માંડવા ગરીબના છોકરા બિચારા વાંઢા રહી ગયા ચોગરદમ જ્ઞાતિના આ ભયંકર કુરિવાજોના અજગર ભરડાના ચિત્તારની ચોંકાવનારી વિગતો તે સમયના પાટડીના દરબાર શ્રી જોરાવરસિંહજીએ જાણ થતાં ઉદારદિલ રાજવીનું અંતર કોચવાયું. તેમણે ૧૮૬૯ના ફેબ્રુઆરી માસમાં રાજ્યના પાટનગર પાટડીમાં જ્ઞાતિ સુધારા માટે વિશાળ સંમેલન બોલાવી સુધારાઓના ઠરાવો પસાર કરાવ્યા. કડવા પાટીદારોના સુધારાના ઇતિહાસમાં જોરાવરિસંહજીનું નામ અમર બન્યું હતું. વીર વસનદાસ ખેડા જિલ્લામાં પીપળાવ ગામના હર પટેલના વંશમાં ચોથી પેઢીએ વીર વસનદાસ' નામે સમાજના એક મહાપરૂપ થઈ ગયા. ઇ.સ. ૧૭૦૩માં તેમણે સમસ્ત કણબી કોમનો એક મેળાવડો થોજ્યો હતો. તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે તેઓ સારા સંબંધ ધરાવતા હતા. આ પ્રસંગે બાદશાહના શાહજાદા બધ્ધદુરશાહને ખાસ નિમંત્રણ આપ્યું. આ સમારંભમાં વીર વસનદાસે સરકારી દફ્તરમાં કણબી ને બદલે ‘“પાટીદાર” શબ્દ દાખલ કરવા ખાસ હુકમો કરાવ્યાં હતાં. અને પાટીદારોને મહેસુલના ઇજારાઓ અપાવ્યા હતા. તેમજ બાદશાહીના સમયમાં જમીનો પડતર રહેતી હતી તથા ખેડાની જમીનનું મહેસુલ પણ ખેડૂતો બરાબર ભરતા નહીં. તેથી મોગલ બાદશાહ અને ગુજરાતના સૂબાઓ પાસે વગ વાપરીને વસનદાસે જમીનના ટુકડા એટલે કે પટ્ટા કરાવી ઉધડ રકમો ભરવાના જોખમી રાખી, ઘણી મહેનતે દૂર દૂરથી ખેડૂતોને વસાવ્યા. નવી જાતનાં બિયારણ મંગાવ્યાં તથા કુવાઓ ગળાવી એ વિસ્તારને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy