SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ સરકારે તેમને દશ લાખ ડોલરની ગ્રાન્ટ આપી છે, અને ન્યૂજર્સી રાજ્યની જનરલ એસેમ્બલીએ, ખાસ ઠરાવ પસાર કરી, તેમને સન્માનપત્ર એનાયત કર્યો છે. દૈનિક-દિવ્ય ભાસ્કર, અમદાવાદ : પૃ. ૧૨; તા. ૨૯ જૂન, ૨૦૦૩). બ્રિટનમાં પટેલો અમેરિકાની પૂર્વે અને વધુ મોટી સંખ્યામાં વસ્યા છે. તેમાંના કેટલાકે વિવિધ ક્ષેત્રોમાં નામના પણ મેળવી છે. એક કામના દેસાઈ (પટેલ) તેમના પતિ સાથે ઇંગ્લેન્ડમાં એસેક્સમાં રહે છે. તેઓ “બોન-ચાઈના અને પોર્સીલેઈન પર ચિત્રકલા અને એનેમલીંગ (મીનાકારી) કરનારાં ઉચ્ચ કક્ષાના કલાકાર છે. એમણે એક એવું ફૂલદાન બનાવ્યું હતું, જેની ચાર બાજુએ ચાર અતુઓ (વસંત, ગ્રીષ્મ, પાનખર, શિશિર)નાં છાયાચિત્રો છે. પછી આ “ધ ફોર સીઝન્સ' કૃતિ નાઈરોબી (યુગાન્ડા, આફ્રિકા)ની એક બાળકોની હૉસ્પિટલને ભેટ આપી હતી, જેના પાંચ લાખ ડોલર ઊપજ્યા હતા અને એ દાનરૂપે અપાયા હતા.” (ચન્દ્રકાન્ત બક્ષી, સ્ત્રી વિશે–પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૬૭). યુગાન્ડાથી, ઇદી અમીનના ત્રાસે કરી, હિજરત કરી બ્રિટનમાં આવી વસેલા બેરિસ્ટર ડાહ્યાભાઈ પટેલ-કવિ ‘દિનેશ’ તેજસ્વી કાનૂનવિદ હોવાની સાથે પ્રતિભાશાળી સાહિત્યસર્જક અને પરમ ગાંધીભક્ત વ્યક્તિ છે. તેમના સંખ્યાબંધ કાવ્યસંગ્રહ (અંકુર, કાવ્ય પરિમલ, ફુરણા, દર્દિલ ઝરણાં), વાર્તાસંગ્રહ (શાલિની, પદ્માવતી, કલાવતી, પુનર્મિલન), નવલકથા (વનની વાટે, આમમંજરી, અમરપ્રેમી, ઊર્જિતા, અનુરાગ અને ઉત્થાન) પ્રકાશિત થયેલ છે. ગાંધીજીના પરમ ભક્ત હોઈ તેમણે લંડનમાં ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જેના તે પ્રમુખ છે. આ ફાઉન્ડેશનને ઉપક્રમે ગુજરાતી-અંગ્રેજીમાં ગાંધીવિષયક કાવ્યોલેખોનું સંકલન ગ્રંથરૂપે, “ગાંધીજ્યોત' ને નામે, અવારનવાર પ્રકાશિત થાય છે. બેરિસ્ટર કવિ “દિનેશે” “મોહન ગાંધી મહાકાવ્ય', દળદાર નવ ગ્રંથોમાં, વિવિધ અક્ષરમેળ-માત્રામેળ વૃત્તોમાં, સર્યું અને પ્રકાશિત કર્યું છે, જે ગુજરાતીનું દીર્ઘતમ મહાકાવ્ય છે. કવિ “દિનેશ' યાને બેરિ. ડાહ્યાભાઈ પટેલ મૂળ સુણાવ (તા. પેટલાદ) ના લેઉવા પાટીદાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનોમાં હાજરી આપવા માટે તેઓ બ્રિટનથી ગુજરાત-ભારત નિયમિત રીતે આવે છે! ગાંધી ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી સ્વ. ઈશ્વરભાઈ પટેલ ‘આઈ. કે.’ અને ‘સાહેબ” ને નામે બ્રિટનના ગુજરાતી સમાજમાં જાણીતા છે. ગુજરાતીઓ અને પટેલોની સામાજિક, સાંસ્કૃતિક, પથપ્રદર્શક શૈક્ષણિક, વ્યાપારિક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં મોખરે રહેતા આઈ. કે. મૂળ પાળજ (તા. પેટલાદ) ના લેઉવા પટેલ સી. બી. પટેલ લંડનથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર'ના તંત્રી અને સામાજિક કાર્યકર છે. તેઓ ભાદરણના વતની લેઉવા પટેલ છે. કોકિલાબહેન પટેલ નામનાં લેખિકા એમના ગુજરાત સમાચાર'માં લેખો, પ્રસંગચિત્રો, વાર્તાઓ લખતાં રહે છે. નારણભાઈ પટેલ, જેઓ અગાઉ યુગાન્ડામાં હાઈકોર્ટ–કંપાલા ખાતે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ હતા તે, હાલ બ્રિટનમાં રહે છે; સાહિત્યના રસિયા છે; અને ગુજરાતી સામયિકોમાં કાવ્યો-લેખો લખે છે. “અસ્મિતા ગુજરાતની’ પુસ્તક (પ્ર. આ. ૧૯૯૮)માં ચન્દ્રકાન્ત બક્ષી કલાકાર અરવિંદ પટેલ વિશે માહિતી આપે છે કે “લંડનનું ‘ટાઈમ્સ' વિશ્વનાં શ્રેષ્ઠ સમાચારપત્રોમાંનું એક ગણાય છે, અને એના ટાઇપફેસ બનાવનારા કલાકાર–એટલે કે ‘ટાઈમ્સ રોમન' બનાવનાર કલાકાર ગુજરાતી અરવિંદ પટેલ છે.” (પૃ. ૨૦૦) એક બીજા પટેલ પદાધિકારી છે! ચન્દ્રકાન્ત બક્ષી, ‘દેશ ગુજરાત પુસ્તક (પ્ર. આ. ૧૯૯૯, પૃ. ૨૧૯) માં, તેમના વિશે લખે છે : “ઈગ્લેંડના રૉયલ એરફોર્સમાં સેવા માટે એમબી–ઈ ઇલ્કાબ ૧૯૯૫માં મેળવનાર જયંતીલાલ પટેલ પ્રથમ ગુજરાતી છે. સુરત પાસેના કુચડના છે. ૨૮ વર્ષથી એ આર. એ. એફ.માં સિનિયર એર ઑપરેશન કન્ટ્રોલર તરીકે છે. ૧૯૬૭માં એ બ્રિટિશ વાયુસેનામાં જોડાયા હતા.” “લંડનમાં ગુજરાતી પોલીસ તરીકે બે-ત્રણ છે, પણ બ્રિસ્ટોલમાં બે ગુજરાતી પટેલ પોલીસ છે.” (કાન્તિ ભટ્ટ, ‘સેક્સ લાઇફ મુંઝવણ અને ઉકેલ પૃ. ૧૭૫') અંગ્રેજ લેખક જ્હોન ડોડુ બ્રિટનવાસી પટેલો વિશે વિગતપ્રચુર માહિતી આપે છે. જગપ્રસિદ્ધ અમેરિકન માસિક ‘રિડર્સ ડાયજેસ્ટ' ના એક અંક (સપ્ટેમ્બર, ૧૯૯૮)માં પ્રકાશિત તેમના લેખમાં તેઓ બ્રિટીશ પટેલો વિશે આવું લખે છે : “બ્રિટનમાં પટેલ અટકધારી પર ૧ ડૉક્ટર છે; ફાર્માસિસ્ટ અને કેમિસ્ટ ૧000 કરતાં વધુ છે. પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટટસ્ ૨૭૭ છે. કાનૂનક્ષેત્રે ૭૧ સૉલિસિટર્સ પટેલો છે, જેમાં ૭ બેરિસ્ટર છે. તેમાં એક ગીતા પટેલ પ્રથમ સ્ત્રી–બેરિસ્ટર છે, જે પારિવારિક ઝઘડાઓની બાબતોનાં નિષ્ણાત છે...લંડનની વૈભવી પબ્લિક સ્કૂલ-ડલવિચ કૉલેજમાં ૩૭ પટેલનાં નામ રજિસ્ટર પર છે, જ્યારે બ્રિટનમાં બહુસંખ્ય લેખાતા) ‘સ્મિથ’ માત્ર ૧૧ છે..... લિસેસ્ટરમાં પટેલ અટકધારી ૧૫ર વિદ્યાર્થીઓ છે.....પટેલોની નુક્કડ દુકાનો જ્યાં ત્યાં જોવા મળે છે......૩૪000 જેટલા પ્રણાલિકાગત અખબારી એજન્ટોમાં ૬૦ ટકા એશિયન છે, જેમાં Jain Education Intemational ation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy