SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક ૧૯૬૦ થી શરૂ કરી અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આઈ કેમ્પોનું આયોજન કર્યું છે. આનો લાભ વીસ હજારથી પણ વધારે ગરીબોએ લીધેલો છે. સને ૧૯૯૯ અને ૨૦૦૦ના દુષ્કાળ સમયે રિલિફ વર્કની સાથે-સાથે જળસંચયનું કામ તેમણે કરેલું છે. સને ૨૦૦૧માં આવેલા ભૂકંપ સમયે પુનઃરચના અને નવસર્જનના કાર્યમાં અગ્રેસર રહ્યા છે અને અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભા છે. તેઓ ઘણી બધી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય-હોસ્પિટલ જેવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી કૃષ્ણકાંત વખારીઆની પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિત્વવાળી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન તરીકે, જી.આઈ.ડી.સી. (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના ડાયરેક્ટર તરીકે, નેશનલ ટેક્ષટાઇલ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે અને સહકારી મંડળોના હાઇ-પાવર કમિટીના સભ્ય તરીકે તેઓએ અથાગ પરિશ્રમ લઈ કાર્ય કરેલું છે. તેઓ ૧૯૯૪ના જાન્યુઆરી માસથી વિશ્વ ગુજરાતી સમાજના સભ્ય તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ સમય દરમ્યાન વિશ્વ ગુજરાતી સમાજે ભારે કાઠું કાઢીને વિશ્વભરનાં ગુજરાતીઓમાં એકમાત્ર સ્વીકાર્ય સંસ્થા તરીકે નામના મેળવી છે. ૫૪ તેમના કાર્યકાળ દરમ્યાન ત્રણ આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદો, ઘણા બધા પરિસંવાદો અને બીજા ઘણા કાર્યક્રમો થયા છે. દેશ-વિદેશના ગુજરાતીઓમાં વિશ્વ ગુજરાતી સમાજને સ્થાન અપાવવામાં શ્રી કૃષ્ણકાંત વખારીઆનો અમૂલ્ય ફાળો છે. દેશ-વિદેશના અસંખ્ય ગુજરાતીઓ સાથે એકસૂત્રે કામ કરીને તેમને ગુજરાત તરફ આકર્ષિત કરવામાં શ્રી વખારીઆએ ભારે જહેમત ઉઠાવી છે. વિશ્વ ગુજરાતી સમાજમાં તેમની સાથે ટ્રસ્ટી તરીકે મુંબઈના શ્રી હેમરાજભાઈ શાહ, અમદાવાદના ડો. આર. કે. પટેલ, શ્રી શ્રેયાંસભાઈ શાહ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પરિમલભાઈ નથવાણી અને ખંભાતના શ્રી ભગવતીલાલ ડી. રાવ વગેરે કાર્ય કરે છે. ઉપપ્રમુખોમાં દુબઈના શ્રી ભરતભાઈ શાહ, મુંબઈના શ્રી લલિતભાઈ સેલારકા, કોઇન્તુરના શ્રી હરીશભાઈ શાહ, જયપુરના શ્રી મનુભાઈ પટેલ, સંયુક્ત મહામંત્રી તરીકે ડો. મીનાક્ષી ઠાકર અને મંત્રીઓમાં વડોદરાના સુશ્રી અરુણાબહેન ચોક્સી, અમદાવાદના શ્રી જિતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હસમુખભાઈ પંચાલ, સુરતના શ્રી સવજીભાઈ વેકરિયા, ધનબાદના શ્રી પરેશભાઈ દાણી, ભૂજના શ્રી મોહનભાઈ શાહ અને ખજાનચી તરીકે અમદાવાદના શ્રી હિમાંશુભાઈ વ્યાસ વગેરે કાર્ય કરે છે. a All India Conference of Intellectuals નામનો ખિતાબ પ્રાપ્ત થયો છે. વિપસ્ય સાધનાથી વિકાસમાં વિશ્વાસ : સુરેન્દ્ર નાયક જુદી છાવણીઓમાં રહીને કામ કરેલું. સરઘસો કાઢેલાં અને અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ કરેલી. મા પાર્વતીબેન તેમના પિતા ભીમભાઈને ત્યાં હતાં ત્યારે ૧૯૨૮ની લડતમાં સભા સુરેન્દ્રભાઈ મૂળે વલસાડ તાલુકાના તલાવચોરાના સરઘસમાં પહોંચી જતાં. આ પછી ૧૯૩૦-૩૧ વખત દાંડીકૂચ પછી સત્યાગ્રહની લડતમાં જેલવાસી બની યરોડા જેલમાં ગયેલાં. ત્યારે કસ્તૂરબા અને જાણીતાં મહિલા આગેવાનો આ જેલમાં. બધાનાં સહવાસે પાર્વતીબેનની દેશદાઝ ઉગ્ર બની. સત્ય માટે સહન કરવાની ભાવના દેઢમૂલ થઈ તે ભવિષ્યમાં મોટા પુત્ર સુરેન્દ્રમાં ઘર કરી ગઈ. લગ્ન પછી સુરેન્દ્રભાઈએ ઝાંબિયાના તાંબાની ખાણોના અનાવિલ. ૧૯૩૫માં મોસાળના ગામ સુપાકુરેલમાં જન્મેલા. બે વર્ષની વયથી તેમને આફ્રિકામાં ઉછરવાનું થયું. પિતા ભીખુભાઈ ૧૯૦૪ જન્મ્યા હતા. તેઓ તે જમાનામાં બી.એસ.સી., બી.ટી. થયેલા. ૧૯૨૮ની બારડોલીની લડતમાં જેલવાસી બનેલા. ૧૯૩૦-૩૧ની લડતમાં તેમણે ચીખલી તાલુકાની જુદી Jain Education International 2 SON OF THE SOIL' સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy