SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પછo, પ્રતિભાઓ અને યુનિવર્સિટી કક્ષાએ બાર વર્ષ શિક્ષણ કાર્ય કર્યા બાદ તેઓ સુરતની સુપ્રસિદ્ધ સંશોધન સંસ્થા “સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ' ખાતે ફેલો (રીડર) તરીકે જોડાયા હતા. ત્યાર બાદ અમદાવાદની ગાંધી શ્રમ સંસ્થાનમાં વર્તન વિજ્ઞાનના પ્રોફેસર તરીકે તેમણે કામ કર્યું. ૧૯૯૫-૯૮ તેઓ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યાર બાદ ત્રણ વર્ષ સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના નિયામક હતા. વિધુતભાઈને જો કોઈ એક જ કાર્યથી ઓળખવા હોય તો નર્મદા યોજનાના પુનઃવસવાટની યોજનાથી. સંશોધન દ્વારા પુનઃવસવાટની નીતિ અને કાર્યક્રમમાં ફાળો આપી તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે યાયાવર Migrant શ્રમિકો, બંધુઓ, શ્રમિકો, અસંગઠિત શ્રમિકો, જલ સંચાલનમાં લોકભાગીદારી, તથા સાગરકાંઠાના સમાજશાસ્ત્ર જેવા વિષય પર સંશોધન કરી ૩૦ અહેવાલો, ૨૨-પુસ્તકો, ૨૦૦-અભ્યાસ લેખો લખ્યા. જેમાંથી ૧૦ અંગ્રેજીમાં, ૧૨ ગુજરાતીમાં. ગુજરાતીમાં પ્રખ્યાત થયેલા તેમના પુસ્તકોમાં “આ પણ ગુજરાત છે દોસ્તો”, સરસ્વતી, સરસ્વતી તે મોરી માં, જાગો દુર્બલ અશક્ત” તથા “સાહિત્ય અને સમાજ' છે. પરંપરાગત સમાજશાસ્ત્રીય પ્રણાલીથી અલગ પડતા ડો. વિધુતભાઈ જોષી ગુજરાતના પ્રથમ કર્મશીલ સમાજશાસ્ત્રી છે. નર્મદા તરફી આંદોલનમાં, કામદાર સંઘોમાં અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં તેઓ સક્રીય રહ્યા છે. સંસ્થાઓના સંચાલનમાં પણ ભાવનગર યુનિવર્સિટીના વહીવટમાં તેમની આગવી શૈલી દ્વારા તેમણે યુનિવર્સિટીને ચાલના પૂરી પાડી હતી. તેમણે વર્લ્ડબેંક, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, શાસ્ત્રી ઇન્ડો કેનેડિયન ઇન્સ્ટીટ્યૂટ તથા યુનિસ્કોના સલાહકાર તરીકે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. યુનેસ્કોની વેબસાઈટ પર તેમના સાગરકાંઠાના અભ્યાસોની ઝલક જોવા મળે છે. સમાજશાસ્ત્રીય સંશોધનના અનેક ક્ષેત્રોમાં તેમણે પહેલ દાખવી છે. ખાસ કરીને નર્મદા પુનઃવસન, નર્મદા પાણી મંડળી તથા સાગર કાંઠાના સમાજશાસ્ત્રીય અભ્યાસો આમાં મહત્ત્વના ગણી શકાય. હળવી શૈલીમાં ગંભીર વાતને મૂકી દેનાર વિધુતભાઈ એક નીવડેલા વક્તા અને લેખક છે એટલું જ નહી પરન્તુ ગુજરાતના સમતોલ વિકાસ માટે નિસ્બત ધરાવતા સમાજશાસ્ત્રી છે, આ નિસ્બતના ભાગ રૂપે તેઓ જે વિસ્તારમાં રહે છે તે વેજલપુર-જુહાપુરા વિસ્તારમાં તેમણે કોમી તોફાનો રોકવા માટે તેમણે કરેલું કાર્ય આજે પણ લોકો યાદ કરે છે. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા, ધડ દઈને કહી દેવાની ટેવ તથા સચોટ વિશ્લેષણને કારણે શરૂઆતમાં તેમનાથી અળગા રહેતા લોકો જેમ જેમ તેમની નજીક આવતા જાય છે તેમ તેમ તેમને ચાહતા થાય છે. માનવ સ્વભાવના પારખનાર વિધુતભાઈએ કેટલીક કટોકટી ભરેલી સ્થિતિમાં બાજી સંભાળી લઈને સંગઠનોને તૂટી પડતા બચાવ્યા છે. સમાજશાસ્ત્રના ક્ષેત્રે આદિવાસી વિકાસ, શિક્ષણનું સમાજશાસ્ત્ર, દરિયાકાંઠાનું સમાજશાસ્ત્ર તથા ગુજરાતના વિકાસના સમાજશાસ્ત્રમાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. “સહુના પ્રેરણાદાયી ઉમદા વ્યક્તિત્વના પ્રતીક’ (વ.) ડો. પી. એસ. જેઠવા સાહેબ ડો. જેઠવા સાહેબનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં થયો. ગુજરાતમાં જ સમાજશાસ્ત્રમાં પ્રથમ પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરવા તેઓ પહેલા હતા. (૧૯૬૨-૬૩) ગુજરાતમાં પ્રથમ વાર વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાં તેમની વિદ્યાકીય યાત્રા નીકળી. સમસ્ત દક્ષિણ એશિયાથી ભારત અને ત્યારથી સૌરાષ્ટ્રના સમાજજીવનમાં સમાજશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ જરૂરી છે તે અંગે તેઓ સતત વિચારતા હતા. જેઠવાસાહેબે ભીલ, પઢારના અભ્યાસો કર્યા જે સરકારના અનેક વિભાગોએ સ્વીકાર્યા અને આજે પણ એ અભ્યાસો એટલા જ પ્રસ્તુત છે. હાલમાં યુ.જી.સી. curriculaman જે ચર્ચા છેડી છે, તે નવા curriculuman ની ચર્ચા સાહેબ ૧૯૭૫-૮૦ના દસકામાં કરતા હતા અને તે આજે મૂર્તિમંત બની છે. ડો. જેઠવા સાહેબના હંમેશા પ્રાદેશિક અભ્યાસો અત્યંત મહત્ત્વના છે તેમ કહેતા અને તેમનું તે સ્વપ્ન આજે યુ.જી.સી. એ સાકાર કરેલ છે. તેઓ સમાજશાસ્ત્રના સંદર્ભમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ બાબતોના અભ્યાસ પરત્વે ખાસ ભલામણ કરતા હતા. (૧) લોક વિધાનો અભ્યાસ સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુથી થવો જોઈએ. (૨) પ્રાથમિક અને સ્થાનિક કક્ષાએ સામાજિક સંસ્થાનો મૂળભૂત અભ્યાસ. (૩) પ્રાદેશિક આંતર માળખાનો અભ્યાસ જેમાં પ્રદેશની તમામ બાબતોનો માનવીય સમાજના સંદર્ભમાં સમાવેશ થઈ જાય. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અને અનેકવિધ કાર્યક્ષેત્રમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy