SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ પથપ્રદર્શક આપણા ખગોળલેખકો -ડો. સુશ્રુત પટેલ ખગોળશાસ્ત્ર એ આપણું પ્રાચીન જગપ્રસિદ્ધ શાસ્ત્ર છે. આકાશી તમામ પદાર્થોનું જ્ઞાનવિજ્ઞાન આ શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય છે. આવા શાસ્ત્રને પોતાના લખાણો દ્વારા ગુજરાતીમનાં સુલભ કરી આપનાર આપણા કેટલાક જૂનાનવા વિજ્ઞાન લેખકોનો પરિચય ડૉ. સુશ્રુત પટેલ અહીં કરાવે છે. આકાશ પટલે વિહરતાં જ્યોતિર્મડલોના નિરીક્ષણ–અભ્યાસ માટે જાતને ઘસી નાખનારા જે આણંદદાઓ થયાં તે સૌનો પરિચય કરાવે છે. સુશ્રુત મોતીભાઈ પટેલ, જન્મ : અમદાવાદ, ૯ જુલાઈ, ૧૯૪૪. અભ્યાસ : ગુજરાત યુનિવર્સિટીમાંથી MBBS; DMRE; MD (Radiology). શેક્ષણિક કારકિર્દી : અગાઉ અમદાવાદની એલ.જી. જનરલ (ટિચીંગ) હૉસ્પિટલમાં તથા ગુલાબબાઈ જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના વડા તરીકે સેવા આપ્યા પછી ૧૯૭૭ થી કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ તરીકે અમદાવાદમાં છેલ્લાં ૨૭ વર્ષથી સ્વતંત્ર પ્રેકિટસ. લેખનકાર્ય : ૧૯૬૦ થી વિજ્ઞાનવિષયક લેખનનો આરંભ. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં વિજ્ઞાનવિષયક લેખો અને કટારલેખન. મુખ્યત્વે ફ્રીલાન્સીંગ. બાળકો માટે પણ લખ્યું છે. રેડિયો અને ટી.વી. પર પણ પ્રોગ્રામ આપેલા છે. બાળકો માટે રેડિયો-નાટિકાઓ, રેડિયો-રૂપકો અને વિજ્ઞાનના શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કર્યા છે. ૧૯૯૨-૯૩ દરમિયાન અમદાવાદના આકાશવાણીમાં વૈજ્ઞાનિક પ્રસારણ સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણૂક. એકકાળે અમદાવાદના વિક્રમ એ. સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ગુજરાતની શાળાઓ માટે ઑડિયો-કેસેટમાં લેખનની કામગીરી. “ગુજરાતી વિશ્વકોશ” નામે ગુજરાતીમાં અવતરિત થઈ રહેલા એન્સાઈક્લોપીડિયા શ્રેણીના ગ્રંથોમાં ખગોળ અને અંતરિક્ષ વિભાગના સહસંપાદક તરીકે કોશના આરંભિકકાળમાં તેનું આયોજન અને માળખું તૈયાર કરી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં વિશ્વકોશ માટે અંતરિક્ષવિજ્ઞાન અને મુખ્યત્વે ખગોળશાસ્ત્રના વિવિધ અધિકરણોના લેખનની કામગીરી. હાલમાં રવિકૃપા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અને તેના દ્વારા ચાલતા વિજ્ઞાન સામયિક “વિજ્ઞાનદર્શન'ના સહસંપાદક તરીકે સેવા આપે છે. તેમણે “બ્લેકહોલ શું છે?” (૧૯૮૨), “ઇસરો” (૧૯૯૩), અને “આકાશદર્શન” (૨૦૦૨) અને “અવકાશ વિજ્ઞાનમાં પ્રવેશ” (૨૦૦૩) અને “બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી” (૨૦૦૪) નામની પરિચય પુસ્તિકાઓ લખી છે. “ધૂમકેતુ હેલી” (૧૯૮૫) નામના તેમના પુસ્તકને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી શ્રી બી. એન. માંકડનું પ્રથમ પારિતોષિક તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીક તેમ જ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પણ પ્રથમ પારિતોષિક મળ્યું છે. બાળકો માટેની “ચાલો અવકાશમાં રીંછ શોધી કાઢીએ” (૧૯૯૦) નામની પુસ્તિકાને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે. “ડૉ. યશવંતરાય ગુ. નાયક સ્મારક ફંડ'ના ઉપક્રમે ડૉ. ય. ગુ. નાયક નિબંધ સ્પર્ધામાં કુવાફર્સ : પદાર્થના મૂળભૂત ઘટકો તરીકે નામના ભૌતિક શાસ્ત્રના વિસ્તૃત નિબંધ બદલ ૧૯૮૪ના વર્ષનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ૧૯૭૮માં તેમને વર્ષના શ્રેષ્ઠ વિજ્ઞાન લેખ માટેનું અને ૧૯૮૧માં શ્રેષ્ઠ જોડણીશુદ્ધ લખાણ માટેનું ‘કુમાર'નું પારિતોષિક મળ્યું હતું. વિજ્ઞાનનો ઇતિહાસ, વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન લેખકોનાં જીવનચરિત્રો, પુરાતત્ત્વ, સમુદ્રી વિજ્ઞાન, અને ખગોળ તેમના પ્રિય વિષયો છે. “બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી', ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત ગણિત મંડળ વગેરે, રેડિયોલોજી અને અન્ય મેડિકલ સંસ્થાઓના આજીવન સભ્ય શ્રી સુશ્રુતભાઈ પટેલને ખૂબખૂબ ધન્યવાદ. - સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy