SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કેમિકલ્સમાં રિસર્ચ કેમિસ્ટ તરીકે તેમણે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૪૬માં અમદાવાદમાં એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ. જયંતીલાલભાઈ એ જ વખતે ત્યાં સહાયક અધ્યાપક તરીકે જોડાયા અને ઇ.સ. ૧૯૬૧ સુધી અહીં ચાલુ રહી અધ્યાપન કાર્ય તેમજ સંશોધનકાર્ય કર્યું. ઇ.સ. ૧૯૬૧માં બી.સી. જલુંધવાલા સાયન્સ કોલેજ શરૂ થઈ. જયંતીભાઈ તે કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે જોડાયા. કોલેજમાં એમ.એસ.સી. તથા ડૉકટરેટની ડિગ્રી માટેનો અભ્યાસ થઈ શકે એવી સગવડ ઊભી કરી. ત્યાર પછી ઇ.સ. ૧૯૭૦ થી ઇ.સ. ૧૯૮૦ સુધી તેઓ એમ.જી. સાયન્સ કોલેજના આચાર્ય તરીકે જોડાયા. નિવૃત્ત થયા બાદ જ્યારે ગુજરાતી વિશ્વકોશના સંપાદનની કામગીરી શરૂ થઈ ત્યારે તેમણે વિજ્ઞાનશાખાના સંપાદનની જવાબદારી ઊઠાવી. તદુપરાંત વિશ્વકોશના સમગ્ર આયોજનમાં પણ તેમનો સહયોગ મળતો રહ્યો. ઇ.સ. ૧૯૯૨માં તેઓ બીમાર પડ્યા. આ બિમારીથી તેમની કામ કરવાની ઝડપ ઘટી હોવા છતાં નિષ્ક્રિય રહ્યા નહીં. રસાયણવિજ્ઞાન વિષે જયંતીભાઈનું જ્ઞાન ખૂબ જ ઊંડું હતું. તે સિવાય વિજ્ઞાનની અન્ય શાખાઓમાં પણ તેઓ એટલા જ તૈયાર હતા. તેઓ Ph.D. ડિગ્રી મેળવવા ઇચ્છનારાઓના માર્ગદર્શક પણ હતા. તેમના માર્ગદર્શન હેઠળ ૩૫ જેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા અને પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી શક્યા. તેમણે પોતે વિજ્ઞાનના વિવિધ વિષયો પર ૭૫ સંશોધન લેખો પ્રસિદ્ધ કર્યા હતા. સંશોધનક્ષેત્રે તેમણે આપેલા મૂલ્યવાન પ્રદાન માટે ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડો. કે. જી. નાયક સુવર્ણચંદ્રક એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની રસાયણશાસ્ત્રની અભ્યાસ-સમિતિના તે સદસ્ય હતા. ઇ.સ. ૧૯૯૪ના જાન્યુઆરી માસની ૮મી તારીખે તેમણે ચિરવિદાય લીધી. જયંતીલાલ દેવશંકર ઓઝા ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્દ અને શિક્ષણકાર જયંતીલાલભાઈ ઓઝાનો જન્મ ઇ.સ. ૧૯૦૭ના જુલાઈની પચ્ચીસમીએ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ પુનાની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. ઇ.સ. ૧૯૨૯માં વનસ્પતિવિજ્ઞાનના મુખ્ય વિષય સાથે તેઓ સ્નાતક થયા. પછી તેમણે “એ સ્ટડી ઑફ ફંગસ પેરાસાઈસ ઑફ ટીનોસ્પોરા ૫૪૧ કૉર્ડિફોલિયા મિલ્સ' નામનો શોધનિબંધ તૈયાર કર્યો અને એમ.એસ.સી. થયા. આ શોધનિબંધ તેમણે પ્રા. એસ.એલ. અજરેકરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે ગુજરાત કૉલેજમાં તૈયાર કર્યો હતો. ઇ.સ. ૧૯૩૦ થી ઇ.સ. ૧૯૩૮ના સમયગાળામાં તેઓએ મુંબઈની બી.જે. મેડીકલ સ્કૂલમાં બાયોલોજીના યૂટરની કામગીરી બજાવી. ત્યારબાદ ગુજરાત કૉલેજમાં એ જ વિષયના અધ્યાપક બન્યા. ઇ.સ. ૧૯૬૫માં તેઓ પ્રાધ્યાપક બન્યા. ઈ.સ. ૧૯૬૭માં તેઓ નિવૃત્ત થયા. ત્યાર પછી અમદાવાદ આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા. પછી ખંભાતની સાયન્સ કોલેજમાં અને અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં તેઓ જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. છેક ઇ.સ. ૧૯૭૫ સુધી તેઓ શિક્ષણક્ષેત્રે સક્રિય રહ્યા હતા. વનસ્પતિ વિષે વિવિધ લેખમાળાઓ ગુજરાતી લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં પ્રકાશિત કરી વનસ્પતિ-વિજ્ઞાનમાં આમ જનતાને તેમણે રસ લેતી કરી. પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તૈયાર થતાં પાઠ્યપુસ્તકોમાં તેમના વૈજ્ઞાનિક લેખો સમાવવામાં આવતા. વનસ્પતિવિજ્ઞાન' નામના વિજ્ઞાનશ્રેણીના ગ્રંથના તેઓ સહસંપાદક હતા. આ ગ્રંથ ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો હતો. તેમણે “વૃક્ષ અને વેલીનામથી કેટલાક લેખો એક પુસ્તકમાં સંગ્રહિત કર્યા હતા. એ ગ્રંથને ગુજરાત રાજ્ય તરફથી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. - જીવવિજ્ઞાન ક્ષેત્રે તેમને એટલો અનુભવ હતો, તેમનું જ્ઞાન એટલું તલસ્પર્શી હતું કે એ સર્વના નિચોડરૂપે તેમણે બે અંગ્રેજી પુસ્તકો ગુજરાતને આપ્યાં. એક ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન બાયોલોજી ઇન ગુજરાત' અને બીજું છે “ઓન સાયન્સ એજ્યુકેશન એન્ડ નૉનવાયોલન્સ.' આ બંને ગ્રંથોના સહલેખક હતા સી. કે. શાહ. | ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં તેમણે આદર્શ વિધાપુરુષ તરીકે નામના મેળવી હતી. કોઈ પણ વિષય હાથમાં લે એટલે તે વિષયની દઢ પકડ જમાવતા અને સ્પષ્ટપણે તથા વ્યવસ્થિત રીતે વિષયની રજૂઆત કરતા. ગુજરાતના બે-ત્રણ પેઢીના વિજ્ઞાનશિક્ષકો પોતાના ઘડતરમાં જયંતીલાલનો અમૂલ્ય ફાળો છે એ હકીકત સ્વીકારે છે. ઇ.સ. ૧૯૮૧ના ફેબ્રુઆરીની સોળમી તારીખે તેમણે દુનિયાને આખરી સલામ કરી. 59. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy