SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ તસ્મૈ શ્રી ગુરવે નમઃ [ ગુરુ-સ્મરણો ] —મૂળશંકર પ્રા. ભટ્ટ ભારતીય સંસ્કૃતિમાં શ્રેયની ઝંખના કરનાર મનુષ્ય માટે સૌથી મહત્ત્વની વાત છે માર્ગદર્શક ગુરુનીસદ્ગુરુની પ્રાપ્તિ. કાંઈક કરી છુટવાની ઝંખના માટે માર્ગદર્શક ગુરુત્વથી કોઈ મોટુ આલંબન નથી. ગુજરાતની ભાવી પેઢીનું યથાશક્તિ ઘડતર કરી ચૂકેલા અથવા આજે પણ વિદ્યમાન હોઈ શિક્ષણક્ષેત્રે યથામતિ સહયોગ આપી રહ્યા છે તેવા આદરણીય વિદ્યા પુરુષોના ટૂંકા જીવનચરિત્રો અત્રે રજૂ થયાં છે. ગ્રંથની વિસ્તાર-મર્યાદા લક્ષમાં રાખીને સૌના જીવનની ઉપરછલ્લી વિગતો જ આપી શક્યા છીએ. શિક્ષણક્ષેત્રે આ સૌનું પ્રદાન મહત્ત્વનું ગણાયું છે. પર જે જે શુભનામો યાદ આવ્યાં તેઓનો સમાવેશ ‘ગુરુ-સ્મરણ’ રૂપી આ સંકલનમાં કર્યો છે. લેખમાળા રજૂ કરનાર મૂળશંકર પ્રા. ભટ્ટે કૃષ્ણધામ દ્વારકામાં જન્મ્યા અને ત્યાં જ માધ્યમિક શિક્ષણ લીધું. નાસિકની એચ.પી.ટી. કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયા અને ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. દ્વારકાની જ માધ્યમિક શાળામાં સેવા આપ્યા બાદ દ્વારકા ખાતે એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝ દ્વારા ચાલતા દ્વારકા સિમેન્ટ વર્ડ્સની પ્રાથમિક શાળામાં એકધારાં ૩૩ વર્ષ આચાર્ય તરીકે કાર્યરત રહ્યા. શાળાનું સંચાલન સમૃદ્ધ ઉદ્યોગ દ્વારા થતું હોવાથી શાળા પણ સમૃદ્ધ હતી. સ્થાનિક કૉલેજમાં ચારેક વર્ષ ખંડસમય-વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૮૨માં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા પછી દ્વારકા ખાતે નિવાસ કર્યો છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો શોખ હોવાથી વિવિધ વિષયના સોળેક અનૂદિત કે રૂપાંતરિત પુસ્તક પ્રકાશિત થયાં છે. કુમાર, નવચેતન, શબ્દસૃષ્ટિ, પરખ, પ્રગતિશીલ શિક્ષણ, ઘરશાળા, બાલમૂર્તિ જેવા સામયિકોમાં લેખો છપાતા રહ્યા છે. બારેક રેડિયો-નાટિકા રાજકોટ રેડિયો પરથી પ્રસારિત થઈ છે. ફેક્ટરી તથા તેની વિશાળ કોલોનીની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ જીવનરસ માણ્યો છે. લાયન્સ તથા રોટરી ક્લબના સદસ્ય તરીકે સેવાક્ષેત્રે કશુંક કરી છૂટવા પ્રયત્ન કર્યો છે. લાયન્સ ઝોન ચેરમેનપદે બે વર્ષ રહી ‘શ્રેષ્ઠ ઝોનચેરમેન'નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. હાલ, દ્વારકાની થોડી શિક્ષણ-સંસ્થાઓ તથા અન્ય સમિતિઓ દ્વારા યથાશક્તિ સેવા આપે છે. અશ્વિનકુમાર માધવલાલ ત્રિવેદી ડૉ. અશ્વિનકુમારનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ ખાતે ઇ.સ. ૧૯૧૩ના જાન્યુઆરી માસની ૨૫મી તારીખે થયો હતો. પિતાનું નામ માધવલાલ અને માતાનું નામ વિમુબહેન હતું. અશ્વિન નાની ઉંમરના હતા ત્યારે જ તેમણે માતા ગુમાવ્યાં હતાં. ઇ.સ. ૧૯૨૯માં તેમણે મેટ્રિકની પરીક્ષામાં ગણિતશાસ્ત્રમાં ૭૦ Jain Education Intemational —સંપાદક ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા અને વડોદરાની સાયન્સ કૉલેજમાં જોડાયા. ઇ.સ. ૧૯૩૩માં બી.એસ.સી.માં તથા ઇ.સ. ૧૯૩૬માં એમ.એસ.સી.માં ઉતીર્ણ થયા. ત્યારપછી વધુ અભ્યાસ માટે તે ઇંગ્લાન્ડ ગયા. એડિનબરોમાં અભ્યાસ કરી ઇ.સ. ૧૯૪૧માં પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પરદેશગમન કરી શકાય તે કાર્યમાં તેમના વડીલ બંધુઓ સનતભાઈ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy