SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ સ્પર્ધા યોજેલી. ‘સડેલું ફળ' વાર્તાને પારિતોષિક મળ્યું અને બીજી વાર્તા ઘંટીનાં પડ' ને પ્રથમ પચ્ચીસ ઉત્તમ વાર્તાઓમાં સ્થાન મળ્યું હતું. હાલમાં વાંચન, મનન અને લેખન મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ છે. શબ્દની પ્રયોગશાળાનો વૈજ્ઞાનિક ઉદયન ઠક્કર નામાંકિત અને લોકપ્રિય કવિ સુરેશ દલાલના શબ્દોમાં ઉદયન ઠક્કરનો પરિચય કરાવવો હોય તો માત્ર એક જ વાક્ય પૂરતું છે. ઉદયન શબ્દની પ્રયોગશાળામાં બેસીને વૈજ્ઞાનિકની ચીવટથી સાધના અને આત્મસંશોધન કરતો કવિ છે.' ઉદયનનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકાવન’ ૧૯૮૭માં પ્રગટ થયો, જે પુસ્તકને એ જ વર્ષે જયંત પાઠકના પારિતોષિકથી નવાજવામાં આવ્યું. તદુપરાંત આ કાવ્યસંગ્રહનો SNDT યુનિવર્સિટીએ પાઠઠ્યપુસ્તક તરીકે સ્વીકાર કર્યો. કાવ્ય આસ્વાદનો સંગ્રહ ‘જુગલબંધી’ ૧૯૯૫માં પ્રગટ થયો. એમનાં ઘણા કાવ્યોના અંગ્રેજી અનુવાદ થયા છે અને એમના કાવ્યોને `The Tree of Tongues', `Young Indian Poetry', `Modern Gujarati Poetry' જેવા અલભ્ય એન્થોલોજીના ગ્રંથોમાં સ્થાન મળ્યું છે. હમણાં ૨૦૦૩માં ‘સેલ્લારા’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો જેને ભાવકો અને વિવેચકોએ હોંશેહોંશે વધાવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં કઠિન સ્વરૂપ ગણાતા બાલસાહિત્યમાં પણ ઉત્તમ ખેડાણ કર્યું છે. બાલવાર્તાઓ અને બાલકાવ્યો પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. બાલસાહિત્ય માટે નેશનલ એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે. આ કવિનું નોંધનીય પાસું હોય તો એમની દેશપરદેશમાં એમના સાહિત્યસર્જનની લોકપ્રિયતા. ભારતીય વિદ્યાભવન, અમેરિકા તેમજ ગુજરાતી સાહિત્ય એકેડેમી, લંડન તરફથી કાવ્યવાંચન માટે નિમંત્ર્યા હતા. દેશના મોટા ભાગના શહેરોમાં એમણે કવિસંમેલનો અને હાસ્યકવિસંમેલનોમાં ભાગ લીધો છે. માત્ર ૪૮ વર્ષની ઉંમરે આટલું સરસ સાહિત્યસર્જન કરનાર કવિને એટલું જ કહીએ કે શબ્દની પ્રયોગશાળામાં નવુંનવું સંશોધન કરતા રહી માતબર સર્જનો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતા રહો. હું હજીયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું આપને ત્રીસ કોટી કેવી રીતે આવડ્યા? Jain Education International લોકપ્રિય નવલકથાકાર— વિઠ્ઠલ પંડ્યા પથપ્રદર્શક ગુજરાતી નવલકથા સાહિત્યના આજના ટોચના સર્જકોમાં જેમની સહેજે ગણના થાય; લાખ્ખો ભાવકોના હૈયામાં વસી ચૂકેલા; યુવાન વર્ગમાં બહોળા પ્રમાણમાં વંચાતા એવા વિઠ્ઠલ પંડ્યા, ગુજરાતી સાહિત્યનું એક મોંઘેરું નજરાણું છે. તેમની કથાઓમાં સામાજિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ ઝીલાય છે. પ્રસંગો, પાત્રો અને પરિસ્થિતિનાં નિરૂપણની તેમણે આગવી શૈલી વિકસાવી છે. એક મનોવૈજ્ઞાનિકનાં સૂઝ અને દક્ષતાનો એમાં પરિચય જોવા મળે છે. મુંબઈમાં વીશીમાં બાળપિરસણીયા તરીકે જિંદગીની શરૂઆત કરી, અનેક સંઘર્ષો કરી જીવન સામે ઝઝૂમીને, જંગ ખેલીને, આપબળે તેઓ આગળ આવ્યા છે. આર્થિક સંજોગો સામે લડતાંલડતાં ફિલ્મક્ષેત્રમાં, સહાયક દિગ્દર્શક તરીકે જોડાયા. ત્યાં ચડતીપડતીના અનેક તબક્કા જોયા. સવિતા વાર્તા રિફાઈમાં ધરખમ વાર્તાકારોની વચ્ચે બે વાર પ્રથમ ઇનામસુવર્ણચંદ્રક–મેળવ્યો. આમ ઉત્સાહ વધતાં વાર્તાઓ-નવલકથાઓ લખતા રહ્યા. આમાં સફળતા મળતાં ફિલ્મક્ષેત્ર છોડ્યું અને પૂરા સમયના માત્ર લેખક બનીને રહ્યા. તા. ૨૧-૧-૧૯૨૩ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા નાનકડા કાલોદરા ગામે જન્મેલા વિઠ્ઠલભાઈએ જીવનમાં આવી પડેલી વિટંબણાઓનો હિંમતભેર મુકાબલો કર્યો છે. માત્ર કલમ પર જીવનારા એવા થોડા લેખકોમાંના એક છે. અત્યારસુધી એમનાં પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. જેમાં ૫૨ નવલકથાઓ, ૧૦ વાર્તાસંગ્રહો, ૨ ફિલ્મક્ષેત્ર વિષે, ૩ સંપાદનો, ૧ આત્મકથાનો સમાવેશ થાય છે. મીઠા જળનાં મીન, મન, મોતી ને કાચ, કંચનવર્ણી, નજરબંધી, અહીં તરસ, ત્યાં વાદળી, આ ભવની ઓળખ, ફૂલને વાગ્યા કાંટા-આ બધી નોંધનીય લોકપ્રિય કૃતિઓ છે. એમની આત્મકથા, ‘ભીંત ફાડીને ઊગ્યો પીપળો'માં એમના સંઘર્ષોના પરાકાષ્ટાની જીવનછબી રજૂ થાય છે. ‘સાત જન્મના દરવાજા' નવલકથાને ગુજરાત સરકારનું ઇનામ પ્રાપ્ત થયું હતું. For Private & Personal Use Only માત્ર લેખનકાર્ય કરતા એવા વિઠ્ઠલ પંડ્યાએ ગુજરાતના અગ્રગણ્ય લેખકોમાં એમનું માતબર સ્થાન જાળવી રાખ્યું છે. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy