SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ નાટક અકાદમી, ગાંધીનગર), સંગીત અલંકાર (બૃહદ ગુજરાત સંગીત સમિતિ, અમદાવાદ), સંગીત અલંકાર (અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ. મિરજ) સંગીત અલંકાર (ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર) બેલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, (સૌરાષ્ટ્ર યુનિ.) પદવીઓ પ્રાપ્ત કરેલ છે. * સન ૧૯૮૫ થી રાજકોટની સુપ્રસિદ્ધ સંગીત સંસ્થા સંગીત નાટ્ય ભારતી સંચાલિત સગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય, રાજકોટ ખાતે તબલા વિષયના શ્રેયાન, શિક્ષક તરીકે કાર્યરત છે. * ૧૯૮૩માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ૧૬મા યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ તેમજ ૧૯૯૩માં પં. ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ૧૯૯૪માં મુંબઈ ખાતે સુર–શિંગાર સંસદ દ્વારા “તાલમણી' ખિતાબ પ્રાપ્ત કર્યો. ૧૯૮૯ થી આકાશવાણીદૂરદર્શન માધ્યમના માન્ય શાસ્ત્રીય સંગીત કલાકાર તરીકે નિયમિત કાર્યક્રમો આપતા રહ્યા છે. * અનેક પ્રતિષ્ઠિત સંગીત સમારોહ જેવા કે, બૈજુ સંગીત સમારોહ, પં. ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સમારોહ, સપ્તક મ્યુઝીક ફેસ્ટીવલ, તાનારીરી સંગીત સમારોહ, કલકે કલાકાર શાસ્ત્રીય સંગીત સંમેલન, સ્વામી હરિદાસ સંગીત સંમેલન વગેરેમાં કાર્યક્રમો આપી ચૂક્યા છે. શ્રી મુસા ગુલામ જત (જોડિયા પાવા, લોકસંગીત) જોડિયા પાવાના પ્રતિષ્ઠિત કલાકાર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજના ગ્રેડ હાઈના માન્ય કલાકાર છે. તેમના કાર્યક્રમો અવારનવાર રેડિયો પરથી પ્રસારિત થાય છે. અમદાવાદ દૂરદર્શન, દીલ્હી અને દૂરદર્શન, મુંબઈ દૂરદર્શન, રેડિયો પરથી જોડિયા પાવા કલાનું પ્રસારણ થાય છે. ગુજરાત તથા ભારત સરકારશ્રીના આમંત્રણથી જર્મની અને ઇંગ્લેન્ડ ખાતે ભારત મહોત્સવમાં ભાગ લીધો હતો અને ત્યાં જોડિયા પાવાની કલા રજૂ કરી હતી, આ ઉપરાંત ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, ભુજ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં અવારનવાર ભાગ લે છે. જોડિયા પાવા એ કચ્છ, રાજસ્થાન અને પંજાબનું સૌથી વધુ .લોકપ્રિય વાઘ છે. છાતીમાં હવાભરી મો ફૂલાવી પૂરી તાકાતથી એ વગાડવામાં આવે છે. ૨૦ થી ૨૨ ઇંચની Jain Education International પથપ્રદર્શક લંબાઈના બે પાવાને એકી સાથે મોમાં રાખી વગાડવામાં પારંગત શ્રી મુસા ગુલામ જત માલધારી તરીકે પશુપાલનનો વ્યવસાય કરે છે. સ્વ. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (સંગીત સ્વરકાર) તેઓ ગુજરાતના જાણીતા સ્વરકાર હતા. બાળપણથી જ સંગીતનો શોખ હતો. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સિતાર શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ ગુજરાતના સંગીત ગુરૂ શ્રી બાબુભાઈ અંધારિયા અને પ્રસિદ્ધ સંગીતકાર પંડિત ભીષ્મદેવ વેદી પાસેથી લીધી. સુગમ સંગીતની તાલીમ ભારતના જાણીતા ગાયક જગમોહન પાસેથી લીધી. ગુજરાતના પ્રસિદ્ધ સ્વરકાર સ્વ. રસિકલાલ ભોજક શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના શિષ્ય હતા. સુગમ સંગીતના અનેક નવોદિત કલાકારોને તેમણે માર્ગદર્શન આપ્યું છે. તેમનો શાસ્ત્રીય સંગીત ફલ્યૂટનો પહેલો કાર્યક્રમ તેઓ જ્યારે ઇન્ટર આર્ટ્સમાં હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે સિલ્વર જ્યુબિલી નિમિતે રજૂ કરેલ તે રેડિયો સ્ટેશન ઉપરથી પ્રસારિત થયો હતો. આકાશવાણી રેડિયો સ્ટેશનની સ્થાપના અમદાવાદમાં થઈ ત્યારથી તેઓ આકાશવાણી અમદાવાદ ઉપરથી કાર્યક્રમો રજૂ કરતા હતા. ૧૯૫૭માં રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર સિલેક્શન ગ્રેડ મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે જોડાયા અને ૧૯૮૨માં નિવૃત્ત થયા. નોકરી દરમ્યાન તેમણે ૮૨ સંગીત રૂપકો રજૂ કર્યા. સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં પણ તેમની રચનાઓ રજૂ થયેલી. આકાશવાણીની નોકરી દરમિયાન ગામડાઓમાંથી જુના લોકગીતો ભજનો વગેરે રેકોર્ડ કરવામાં તેમનો મોટો ફાળો હતો. આકાશવાણીના સંગીત નિયામક તરીકે તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના કલાકારોને રજૂ કરી ૧૯૬૨માં દીલ્હીમાં “સૌરાષ્ટ્રનું લોક સંગીત' કાર્યક્રમ રજૂ કર્યો હતો. નિવૃત્તિ પછી પણ તેઓ આકાશવાણીના ‘એ’ ગ્રેડના કંપોઝર હતાં. તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું છે. વડોદરાની સાંસ્કૃતિક સંસ્થા “ત્રિવેણી” એ ઉપેન્દ્ર ત્રિવેદીનું સન્માન કરી સુ.શ્રી મૃણાલિની સારાભાઈના હસ્તે પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. રાજકોટની જાણીતી સંસ્થા રાષ્ટ્રીયશાળા સંગીત વિદ્યાલય તરફથી સુપ્રસિદ્ધ સાહિત્યકાર કવિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રના હસ્તે માનપત્ર આપી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy