SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ વિડિયો કેસેટ્સ મુદ્રિત કરી. જેનાં સુફળ રૂપે ભગવાનદાસ પાસેથી ‘લીલા મોરિયા' થી માંડી ‘રાઠોરવારતા’, ‘ગુજરાનો અરેલો’, ‘તોળી રૉણીની વારતા’, ‘રૂપા રૉણીની વારતા’, ‘રૉમ સીતાની વારતા’, ‘ભીલોનું ભારથ’, ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ વગેરે જેવા, દેશ અને દુનિયાની સામે મૂકી શકાય તેવા, પાંત્રીસ જેટલાં સંશોધન ગ્રંથો ગુજરાતને પ્રાપ્ત થયા. ભીલ લોકવિદ્યા–કલા, સંસ્કૃતિના સંશોધન-સંપાદન, સંવર્ધનની સાથે સાથે ભગવાનદાસ પટેલનું અત્યંત મૂલ્યવાન ગણાવી શકાય એવું કાર્ય તો એ છે કે–વૈદિક, ઐતિહાસિક અને ધર્મગ્રંથોનો ગહન અભ્યાસ કરી, સિત્તેર હજાર વર્ષ પુરાણા પાષાણ ઓજારો, માનવ વસાહતો અને ચિત્રમંડિત ગુફાઓ શોધી. જે એ. બેઈન્સ' અને જે. ટી. માર્ટેન' જેવા ઇતિહાસવિદોનાં સંશોધનો અને તારણોને સાધાર પુરાવાઓ સાથે અધૂરા અને ખોટા સાબિત કરી, આદિવાસી પ્રજાને તેનાં ઝૂંટવાઈ ગયેલાં ‘હિન્દુત્વ’નો હક પાછો અપાવ્યો. આ સાથે આદિવાસી સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી, વૈચારિક ક્રાંતિ અને જાગૃતિ' જેવા પ્રોજેક્ટ હાથ ધરી, દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી ડાકણ પ્રથા નિર્મૂળ કરી. પરંપરિત ચાલી આવતી વેરવૃત્તિને વિધાયક રૂપ આપ્યું. ૧પ૦૦ બાળકોને પ્રાથમિક શાળામાં ભણતાં કર્યાં. ૫૦૦૦ બાળકોને પોલિયોની રસી પિવડાવી રોગ મુક્ત કર્યા. જે તેમની પ્રજા-લોક પરત્વેની પ્રીતિનું ઘોતક છે. ભગવાનદાસ પટેલ જેટલા વિનમ્ર છે એટલા જ પ્રસન્ન છે. ‘ગુજરાનો અરેલો'ના દેવનારાયણની કૃપા રૂપે સત્ય, શિવ, સુંદરને વ્યક્ત કરતું વ્યક્તિત્વ તેમણે કેળવ્યું છે. એમની દૃષ્ટિ સંશોધકની, પણ આંખો પ્રેમ નિતરતી, પરિણામે તેમના સમગ્ર સંશોધન ગ્રંથોનાં સામેના પલ્લામાં રહેલ વ્યક્તિ ભગવાનદાસનું વજન વધી જાય છે. આવા ભગવાનદાસ ઉપર તાલુકો, જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર પ્રસન્ન ન થાય તો જ આશ્ચર્ય થાય. તેમને ‘ભાષા સન્માન’, ‘રામવૃક્ષ બેનીપુરી જન્મ શતાબ્દી’, ‘વનવાસી કલા સાહિત્ય', ‘ભીલી ભાષા સાહિત્ય', ‘ડુંગરી ભીલી આદિવાસી કલાવૃંદ દિગ્દર્શન’, ‘સાબરકાંઠા બેસ્ટ ઑથર’, ‘બેસ્ટ ટિચર’, ‘મહાયંત્ર તુ પૌરુષમ્', `Tribal Literature And Langauage', Bharat Excellence Award', `Best Author' al અનેકવિધ એવોર્ડઝથી નવાજવામાં આવ્યા છે. આ સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય’, ‘કે. કે. બીરલા ભારતીય તુલનાત્મક સાહિત્ય’, ‘નયન સૂર્યાનંદ લોક પ્રતિષ્ઠાન’, ‘એસ. સી. જોષી Jain Education International પથપ્રદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ' વગેરે સંસ્થાઓએ ભગવાનદાસના આવા મૂલ્યવાન કાર્યનું મહત્ત્વ સમજી વિવિધ પ્રકારની ફેલોશીપ આપી. એક સામાન્ય શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠા અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી પ્રવૃત્ત થાય તો કેવું સ્થાન અને માન પામી શકે છે, એનું વિશ્વ સામે મૂકી શકાય તેવું જ્વલંત ઉદાહરણ શ્રી ભગવાનદાસ પૂરૂં પાડે છે. તેમના સમગ્ર કાર્યની જે નોંધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે, તે ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત છે. ડૉ. નિરંજન રાજ્યગુરુ સમગ્ર સમાજને અને રાષ્ટ્રને ગુજરાત પ્રદેશની લોકસંસ્કૃતિ, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, સંત પરંપરાઓ, તેનાં સાધના સિદ્ધાંતો, સંત સ્થાનકો, લોક કલાઓ, લોકસંગીત, ભક્તિ સંગીત તથા સમગ્ર લોક જીવનનો પરિચય કરાવવાનો ભેખ લઈને ગોંડલથી સાત કિલોમીટર દૂર આવેલાં ઘોઘાવદર ગામે ‘સત્તનિર્વાણ ફાઉન્ડેશન' નામની સંસ્થા સ્થાપીને બેઠેલા ડૉ. નિરંજન રાજ્યગુરુ શ્રી ઝવેરચંદ મેઘાણીની પરંપરાના સંશોધક છે. ડૉ. નિરંજન રાજ્યગુરુનો જન્મ તા. ૨૪-૧૨-૧૯૫૪ના રોજ જૂનાગઢ જિલ્લાના બિલખા પાસેના મંડલીકપુર' ગામે મોસાળમાં થયો હતો. પિતા વલ્લભભાઈ ઘોધાવદરની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ૨૮,૦૦૦ દોહરાઓ અને ૭,૦૦૦ જેટલાં ભજનોના સર્જક તેમ જ આંતર-બાહ્ય રીતે સાધુ એવા પિતા વલ્લભભાઈ પાસેથી નિરંજનભાઈને લોક સાહિત્ય અને સંત સાહિત્યનું ભાથું ગળથૂથીમાં મળ્યું હતું. પિતાના આવા વ્યક્તિત્વથી અનુસંધિત થઈને ઉમાશંકર જોશી, શ્રી ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ ત્રિવેદી, મકરન્દ દવે જેવા અનેક સર્જકો ઘોઘાવદર આવતા. ઘોઘાવદર આ સાહિત્યકારો માટે, એ રીતે પણ આકર્ષણનું કેન્દ્ર હતું કે-આ ગામ તે રવિ-ભાણ સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત કવિ ‘દાસી જીવણ’ નું જન્મ-સમાધિ સ્થળ. આ સ્થળ-સ્થાનપર બાળક નિરંજને એ મહાનુભાવો સમક્ષ સૌ પ્રથમવાર ભજનો ગાયેલાં. આમ બાળપણથી જ જાણે નિરંજનભાઈનાં જીવનની દિશા નિશ્ચિત થઈ ચૂકી હતી. ઇ. સ. ૧૯૮૪માં કેશોદની કોલેજમાં તેમની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પરંતુ ત્યાં વધારે સમય ટકી રહેવાનું ન બનતાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ગુજરાતી ભાષાભવનના રીડર ડૉ. બળવંત જાની સાથે સંશોધક સહાયક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy