SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ at Taranga' (1971) નામે ગ્રંથ રચીને મંદિર–સ્થાપત્યની બારીકાઈઓનું ઝીણવટભર્યું અધ્યયન કરી આલેખન કર્યું. આ સિવાય બીજાં કેટલાક (આ પ્રકારનાં કુલ ૬) શોધગ્રંથો તૈયા૨ કરીને તેમણે આ ક્ષેત્રમાં કલા રસિકોનું ઘણું બધું જ્ઞાન-વર્ધનસંવર્ધનકાર્ય કર્યું. આ ઉપરાંત સ્થાપત્ય, સાહિત્ય વગેરે વિષયોને લગતા અનેક શોધલેખો લખ્યા. જે દેશ-વિદેશનાં અનેક પ્રતિષ્ઠિત સામયિકો-જર્નલોમાં પ્રકાશિત થતાં શ્રી સોમપુરામાં રહેલી કલાસૂઝથી સૌ વાકેફ થવા પામ્યા. આ ઉપરાંત સ્થાનિક અને રાષ્ટ્રીયકક્ષાનાં અનેક અધિવેશનો (કોન્ફરન્સ-સેમિનાર વગેરે)માં તેમણે કલા–સ્થાપત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિના વિસ્તૃત થતાં જતાં પાસાંને પ્રકાશમાં લાવવાનું જે કામ કર્યું છે. તે માત્ર તજજ્ઞોમાં જ નહીં પણ સર્વકક્ષા અને ક્ષેત્રના જીજ્ઞાસુઓમાં પણ પ્રશંસા પ્રાપ્ત કરવા જેટલાં સક્ષમ પૂરવાર થયાં છે. ગુજરાત ઇતિહાસ પરિષદની કાર્યવાહીને વિવિધ તબક્કે સંભાળીને તેમણે ઇતિહાસને ક્ષેત્રે પણ પોતાનું પ્રદાન નોંધાવ્યું છે. એ જ રીતે ગુજરાત સાહિત્યસભાના નેજા નીચે ગુજરાતના જાણીતા ઇતિહાસલેખક સ્વ. શ્રી રત્નમણિરાવ ભીમરાવ જોટે રચિત ‘ગુજરાતનું પાટનગરઅમદાવાદ'ની સંશોધન આવૃત્તિ તૈયાર કરીને આવી ઉપયોગી કૃત્તિને વિસ્તૃત થતી અટકાવવાના પુણ્યકાર્યમાં પણ તેમણે યોગ્ય પ્રદાન કરેલ છે. આમ કલા–સ્થાપત્ય, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિ જેવા વિવિધ વિષયો પરત્વે રસ અને ખંતપૂર્વક વિવિધ કામગીરી બજાવીને શ્રી સોમપુરાએ ગુજરાતના પનોતાપુત્ર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લે ‘મહાગુજરાત’–જનઆંદોલનમાં જેમણે શહાદત વહોરી હતી તેમની પુણ્યસ્મૃતિમાં સ્વ. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની સંકલ્પના અન્વયે એક ‘શહીદ સ્મારક' તૈયાર કરવાની જવાબદારી પણ એમણે હસતે મોયે સ્વીકારી અને નિભાવી. ત્યારબાદ માત્ર ૫૫ વર્ષની વયે જ હજુ કરવાનાં ઘણાં કામોની અધૂરી મનિષા સાથે આ કલાકાર આત્માએ તા. ૨૩ ડિસે. ૧૯૭૪ના રોજ તેમના દેહનો સાથ છોડી દેતાં ગુજરાતને તેના પનોતાપુત્ર અને પ્રખર કલાવિદની ક્યારેય ન પૂરાય તેવી ક્ષતિ થવા પામી. પ્રભુ સદ્ગતના આત્માને પૂર્ણ શાંતિ અર્પે એ જ અભ્યર્થના!! રાષ્ટ્રપ્રેમી મહાજન–શ્રેષ્ઠીવર્ય શ્રી હીરાલાલ ભગવતી (ઇ.સ. ૧૯૧૦–૨૦૦૪) ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પોતાનાં જીવન અને કવન થકી તેજસ્વિતા અર્પનાર, આપણી મહાજન–શ્રેષ્ઠી Jain Education International ૪૫૯ પરંપરાના વટવૃક્ષ સમા શ્રી હીરાલાલ ભગવતીનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા મુકામે શિક્ષક પિતાશ્રી હરિલાલ અને ભગવ૫રાયણ માતા સંતોકબાના પરિવારમાં તા. ૧૪ મે, ૧૯૧૦ના રોજ થયો હતો. પ્રાથમિક કેળવણી મહેસાણામાં મેળવ્યા પછી શ્રી ભગવતીએ અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર સાથે સ્નાતકકક્ષાનો અભ્યાસ પૂરો કરી (૧૯૩૦) સ્વદેશ ખાતર કંઈક કરી છૂટવાની ભાવના હતી. બાલ્યકાળથી જ નિષ્ઠા, રાષ્ટ્રીયતા તેમજ પ્રામાણિકતાના ગુણો સાથે ઉછરેલા શ્રી ભગવતીએ શૈક્ષણિક કારકિર્દીના પ્રારંભે જ સામાજિક, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મન મૂકીને રસ દાખવવા માંડ્યો હતો. વાસ્તવમાં તત્કાલીન વાતાવરણ જ કંઈક એવું હતું કે તેમાં ઉછરનાર મોટાભાગના તેજસ્વી વિદ્યાર્થીઓમાં ઉપરોક્ત ગુણોનું સિંચન થયા વિના રહ્યું ન હતું. મહત્ત્વના ગાંધીજીના રાષ્ટ્રીય–જન આંદોલનકાળમાં તેનાથી વિમુખ રહેવું તદ્દન મુશ્કેલ હતું. શ્રી ભગવતીને પણ પોતાના યૌવનકાળને પ્રારંભે આ વાતાવરણ ભેટ મળતાં એમની અંદર રહેલા ગુણોને ખીલવા–વિકસવાની તક મળી. ઉપરોક્ત વાતાવરણ-ઉછેર અને શિક્ષણને પ્રતાપે શ્રી ભગવતીએ સામાજિક-રાષ્ટ્રીય ક્ષેત્રે-જાહેર જનજીવનમાં પગરણ કરવાનું મન બનાવીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું. (૧૯૬૭). ધારી સફળતા મળતાં અધ્યક્ષપદે આરૂઢ થઈ પોતાની કુશળતા, તેજસ્વિતા અને નિષ્ઠાથી ગુજરાતના વિચક્ષણ વ્યાપારીઓ અને શ્રેષ્ઠીઓની આગેવાની સફળતાપૂર્વક નિભાવી. બધાનો સ્નેહ સંપાદિત કર્યો. તેમની આ સફળતા અને લોકપ્રિયતાના જીવંત દૃષ્ટાંત તરીકે આપણે તેમના દ્વારા સતત નવ વર્ષ સુધી મસ્કતી કાપડ માર્કેટમહાજન-અમદાવાદના પ્રમુખપદે થયેલ તેમની વરણીને ટાંકી શકીએ. સાથે સાથે અમદાવાદ–ગુજરાતની સામાજિક–રાષ્ટ્રીય અને શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને પ્રગતિમાં રસ લેવાનું પણ એમણે ચાલુ રાખ્યું. અમદાવાદની પાંજરાપોળ, બહેરામૂંગા શાળા સંચાલક મંડળ, દુષ્કાળ રાહત સમિતિ, ગુજરાત કેન્સર સોસાયટી, ગુજ. લૉ સોસાયટી, ટેક્સટાઈલ ટ્રેડર્સ કો. ઓ. બેંક તેમજ ‘ગુજરાત વિશ્વકોષ' જેવી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી કે સંચાલક એવા જુદા જુદા હોદ્દા પર રહીને એમણે વ્યાપકસેવાઓ બજાવી. એક સામાજિક–રાષ્ટ્રીય અને જાહેરજીવનના આગેવાન તરીકેની પ્રતિષ્ઠા હાંસલ કરી. ઉપરોક્ત–તમામ પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં બચપણ અને ખાસ કરીને કોલેજકાળથી સાંસ્કૃતિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy