SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ સંગીત વિદ્યા મેળવી. મણીલાલે તેમને પખાવજ વાદન પણ શીખવ્યું જેનું જ્ઞાન તેમને કીર્તન સંગીતમાં ઉપયોગી નીવડ્યું. પાટણમાં ગાયકવાડ સરકાર તરફથી સંગીતશાળા ચાલતી હતી તેમાં તેમણે ત્રણ વર્ષની પરીક્ષા પાસ કરી ઇનામ મેળવ્યું હતું. યુવાવય થતાં અમદાવાદના શ્રી દ્વારકાનાથજીના કીર્તનકાર સ્થાને નિમાયા. તે સાથે સ્થાનિક બાળમંદિર-જૈન કન્યાશાળા, મોડાસા હાઈસ્કૂલ, રઘુભાઈ નાયકની હાઈસ્કૂલ ઇત્યાદિમાં સંગીત શિક્ષણ આપીને સંગીતનું વાતાવરણ ઊભું કર્યું. એ દરમિયાન સારાભાઈ કુટુંબમાં રહીને સંગીત વિદ્યાનું શિક્ષણ અને લેખન કાર્ય કરતા પંડિત વાડીલાલ શિવરામ નાયકના સંપર્કમાં આવ્યા ને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને ઘણી અપ્રાપ્ય ચીજો આઠેક વર્ષ રહીને શીખ્યા. ત્યારબાદ વડોદરાની ગાયનશાળાની ડીપ્લોમા પરીક્ષા ૧૯૪૦માં પાસ કરી અને ૧૯૪૪માં લખનૌની ‘ભાતખંડે યુનિવર્સિટી ઑફ ઇન્ડિયન મ્યુઝીક'ની બી. મ્યુઝ (સંગીત વિશારદ) પ્રથમ શ્રેણીમાં પાસ કરી. ત્યારબાદ સારાભાઈની ખાનગી શાળા [જેનું સંચાલન લીનાબહેન અને મનોરમાબેન કરતાં હતાં] તેમાં સંગીત શિક્ષણનું કાર્ય કર્યું. ૧૯૪૮માં અમદાવાદમાં લખનૌની ‘ભાતખંડે સંગીત વિદ્યાપીઠ' માન્ય સંસ્થા ભાતખંડે સંગીત મહાવિદ્યાલય’ની સ્થાપના શ્રી એસ. એન. રતંજનકરના શુભ હસ્તે થઈ. આ સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે તેમણે બાર વર્ષ સુધી સેવા કરી. ત્યારબાદ અમદાવાદની મહિલા કોલેજમાં સંગીતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના બી.એ. સુધીના સંગીત પરીક્ષક તરીકે નિમાયા ઉપરાંત અલ્લાહાબાદ સંગીત યુનિવર્સિટીના પણ પરીક્ષક બન્યા. એમણે કીર્તન સંગીતમાં સતત વર્ષોથી અધ્યયન કરેલું જેના પરિણામે હવેલી સંગીતનો ભારતીય આધ્યાત્મિક સંગીતમાં શું ફાળો છે તે વિષે ગ્રંથ લેખન સંશોધન આરંભેલું. અસંખ્ય દ્રુપદ ધમારને સ્વરલિપિબદ્ધ કર્યા. એ દરમિયાન ૧. સંગીતકીર્તન પદ્ધતિ, ૨. સંગીત કાવ્ય સુધા, ૩. પ્રારંભિક સંગીત પાઠાવલી, ૪. સંગીત સુબોધિની પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. એવામાં ગુજરાતી રંગભૂમિના ૧૫૦ વર્ષની ઉજવણીના પ્રસંગે રંગભૂમિનાં ગીતો નોટેશન સાથે પ્રકાશિત કરવાનો વિચાર જયશંકર ‘સુંદરી’ દ્વારા રજૂ થયો. સસ્તા સાહિત્યના મનુસુબેદારે એ પ્રકાશિત કરવાની જવાબદારી લીધી. પ્રથમ તો પાટણના પ્રસિદ્ધ નાટ્યસંગીતવિદ્ પુંજીરામ ભોજક પાસે જ નોટેશન કરાવવાનો સંકલ્પ થયો એમણે ૧૦૦ જેટલાં નોટેશન કર્યાં. તે દરમિયાન તેમનું અવસાન થયું. Jain Education Intemational પથપ્રદર્શક કામ અધૂરૂં રહે તો ચંપકલાલ નાયકની આ કઠીન કાર્ય માટે પસંદગી થઈ. શ્રી ચંપકલાલે એક ઝડપી સ્ટેનોની અદાથી નોટેશન કરી આપી સંપાદકોને આશ્ચર્યચકિત કરી દીધા. આકાશવાણી પરથી ચંપકલાલ નાયક તેની સ્થાપના અમદાવાદમાં થઈ તે કાળથી જ કીર્તન સંગીત રજૂ કરતા હતા. ‘હવેલી સંગીત’ના કાર્યક્રમમાં તેમનાં કીર્તનો હજુ પણ સાંભળવા મળે છે. અગ્રગણ્ય પુષ્ટિ કીર્તન સંમેલનોમાં તેમણે ઘણી જગ્યાએ ભાગ લીધો છે. પુષ્ટિ સમાજ તરફથી તેમનું બહુમાન થયું છે. અમદાવાદના ગો. મહારાજ શ્રી વ્રજરાયજીના પ્રમુખ સ્થાને તેમનું જાહેર સન્માન થયું છે. કીર્તન સંગીતનો ઇતિહાસ તથા નોટેશન દ્વારા તેનાં પુસ્તકોના ત્રણ ભાગ એમનું યાદગાર પ્રકાશન છે. તે બદલ તેમને ગુજરાત સરકાર તરફથી પણ બહુમાન કરવામાં આવેલું. કાંકરોલીના મહારાજશ્રી તરફથી પણ તેમને થેલી અર્પણ કરી બહુમાન કરાયેલું. આવા અનન્ય સંગીતવિદ્, કીર્તન શિરોમણી ચંપકલાલ નાયકે આંખોની તકલીફને લીધે કમને સંગીત લેખન છોડ્યું. ટૂંકી માંદગીને અંતે પાટણમાં તેમનું અવસાન થયું. ઉત્તમ સંગીતકાર અને અદના નટ શ્રી રસિકલાલ ચીમનલાલ ભોજક વડનગર ગામમાં શાસ્ત્રીયસંગીતના ઉત્તમ ગાયકો, ઉત્તમ શાસ્ત્રકારો થયા છે તે સઘળાને સુવિદીત છે પણ સુગમ સંગીતમાં પણ ગુજરાતના શ્રેષ્ઠ સ્થાને બિરાજતા રસિકલાલ ભોજક પણ છે એ ઘણાને ત્યારે જ ખબર પડી કે જ્યારે વડનગરના નાગરિકોએ તેમનું જાહેર સન્માન કરેલું. રસિકલાલ ભોજકને સંગીતનું જ્ઞાન વારસાગત હતું. એમના પિતા પાસે ગ્રામોફોન રેકોર્ડ્ઝનો મોટો સંગ્રહ હતો. બે અઢી વર્ષની વયે ચતુર રસિકલાલ પિતા જે રેકોર્ડ માગે તે શોધી આપતા. એમના સંગ્રહમાં શાસ્ત્રીયસંગીત અને અંગ્રેજીસંગીતનો સંગ્રહ હતો. એનાં શ્રવણની રસિકલાલ પર અજબની અસર હતી. પરિણામે, નાની વયે ગાવા માંડ્યા અને શાળા કોલેજના કાર્યક્રમોમાં તેમને ઇનામ મળ્યાં. ૧૯૪૭માં ગુજરાતનું સૌ પ્રથમ બ્રોડકાસ્ટીંગ કેન્દ્ર વડોદરામાં ‘ડાયમન્ડ જ્યુબિલી બ્રોડકાસ્ટીંગ હાઉસ' નામે શરૂ થયું. જ્યાંથી રસિકલાલે સુગમસંગીત ગાવાનું શરૂ કર્યું. વખત જતાં એમની લોકચાહના રેડિયો દ્વારા વધતી ગઈ. એ સમયે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયોનું કેન્દ્ર શરૂ થયું. સ્ટેશન ડાયરેક્ટર શ્રી સુશીલકુમાર બોઝે એમના સંગીત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy