SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૯o ગુસ્સવ અને ગુજmત બહાર નાગર પ્રતિભાઓ -કિરીટભાઈ યાદવેન્દ્રરાય બક્ષી નાગરજ્ઞાતિ તેની વ્યાપારી પરંપરાઓ માટે જ નહિ પરંતુ કેળવણી વિષયક અને રાજ્યવહીવટ વિષયક બાબતોની દૃષ્ટિએ પણ પંકાયેલ છે. નાગરજ્ઞાતિ તેમના ભાષાકીય જ્ઞાનનો ઉપયોગ મુત્સદ્દીગીરીના ક્ષેત્રમાં કરતી. આ નાગરપરંપરામાંથી ગૌરીશંકર ઓઝા, ગોકુળજી ઝાલા અને પ્રભાશંકર પટ્ટણી એમ મહાન મુત્સદ્દીઓ થયા હતા. વિજ્ઞાન કળા અને વિદ્યાના ક્ષેત્રમાં તો અગણિત નાગરો છે. શિક્ષિત અને પ્રગતિશીલ ગણાતા આ સમાજે તેનાં વાણી વ્યવહાર અને વર્તન-વિચારોથી બબ્બે હજાર વર્ષથી સમાજમાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. આ લેખમાળાના લેખક શ્રી કિરીટભાઈ બક્ષીનો પરિચય જોઈએ શ્રી યાદવેન્દ્રભાઈ તથા શ્રીમતી નિપુણાબહેનને ત્યાં જન્મ તા. ૧૧-૧૨-૧૯૩૫ (માગશર વદ ૧) ના દિને થયો. સ્કૂલ અને કોલેજ શિક્ષણ વડોદરામાં જ. એમ. એસ. યુનિમાંથી અર્થશાસ્ત્ર (મુખ્ય) અને આંકડાશાસ્ત્ર સાથે ૧૯૫૪ માં બી.એ. પ્રથમ વર્ગમાં થયો. ૧૯૫૬માં અસંખ્ય પ્રતિકૂળતાઓ સાથે પણ એમ.એ.માં અર્થશાસ્ત્ર (એન્ટાચર) સાથે ઉતીર્ણ થયા. ભરૂચમાં ૧૯૫૫ માં ખંડ સમયના અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે નોકરી શરૂ કરી. ૧૯૫૬ માં પૂર્ણ સમયના થયા. ૧૯૬૧ માં તક મળતાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નડિયાદની આઈ.વી. પટેલ કોમર્સ કોલેજમાં જોડાયા ત્યાંથી ૧૯૬૫ માં જંબુસરમાં ઉપાચાર્ય તથા ૧૯૭૬ માં આચાર્ય તરીકે કોલેજમાં સેવાઓ આપી. ૧૯૭૬ થી ૧૯૯૬ સુધી આચાર્યપદ નિભાવ્યું. તે દરમ્યાન ૧૯૮૨-૮૫ તથા ૧૯૮૮-૮૧ દરમ્યાન દ.ગુ. યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. - ૧૯૮૦ માં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળતાં સંભાળતાં જંબુસર તાલુકામાં કપાસના વેચાણની સમસ્યાઓ વિષે લઘુ શોધ નિબંધ લખી એમ.ફીલ.ની પદવી મેળવી. માત્ર અધ્યાપક સાથીઓને પથદર્શક બની શકાય તે હેતુથી જ સરદાર પટેલ યુનિવર્સિટી-વિદ્યાનગરની વાણિજ્ય તથા વિનયન વિદ્યાશાખામાં સત્ય અને અર્થશાસ્ત્ર અભ્યાસ સમિતિમાં નિષ્ણાત સભ્ય તરીકે લગભગ ૧૨ વર્ષ સેવાઓ આપી. અર્થ સંકલન' યોજના દૃષ્ટિ' જેવા અર્થશાસ્ત્રના સામાયિકોમાં મૌલિક કૃતિઓ આપી છે. સહલેખક તરીકે ‘વિદેશોનો આર્થિક ઇતિહાસ’, ‘અર્થશાસ્ત્રની રૂપરેખા’, “પ્રારંભિક અર્થશાસ્ત્ર” જેવા ગ્રંથોની રચના તથા મૌલિક લેખક તરીકે “આપણો રૂપિયો” તથા “નાગર નવલું નજરાણું” પુસ્તકો પ્રકાશિત કર્યા છે. અર્થશાસ્ત્ર જે લઘુ રસિક સ્વરૂપે રજૂ કરી વિદ્યાર્થીઓને તેમાં રસ લેતા કરવાનો પ્રયત્ન કર્યો છે. - ૧૯૯૬ માં નિવૃત્તિ બાદ વતન વડોદરામાં કાયમી નિવાસ કર્યો છે. નિવાસની નજીક જ આવેલા “શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું સંચાલન કરતાં શ્રી તન્મય સ્મૃતિ જાગૃતિ મંદિર ટ્રસ્ટ” માં પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. પ્રવૃત્તિ ઉપરાંત પ્રકૃતિજન્ય શોખ તરીકે હળવું, શાસ્ત્રીય સંગીત ગાવાનો શોખ છે. નિવાસની નજીક જ અર્થશાસ્ત્રના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવાનો આનંદ આવે છે. લોકસંપર્કો ધાર્મિક યાત્રાઓ અને હળવાશ એ શોખના વિષયો હોવાથી જીવન ભર્યું ભર્યું લાગે છે. સ્ટાફ પરિવારના સભ્યો સાથે ઔપચારિકતા ઓળંગીને આત્મીયતા તથા કૌટુમ્બિક ભાવનામય સંબંધો સ્થાપવામાં ઠીક ઠીક સફળતા મળી છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy