SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ લોકકળાના સૌષ્ઠવને ચિત્રોમાં ઉતારનાર સર્જક સ્વ. શ્રી વિનયભાઇ ત્રિવેદી 'ગુજરાતની કલાનો ઇતિહાસ લખાશે ત્યારે સૌરાષ્ટ્રની લોકક્લાનો વિનિયોગ પોતાની હામાં કરનારા ક્લાકારોની નોંધમાં વિનુભાઇનું નામ પણ હશે જ. ' ખ્યાતનામ કલાકાર - કલા પ્રાધ્યાપક - વિવેચક શ્રી નટુભાઇ પરીખના આ શબ્દોમાં જેની નોંધ લેવાઇ છે તે કલા કાર હતાં - શ્રી વિનય પ્રભાશંકર ત્રિવેદી તા. ૧૪ એપ્રિલ ૧૯૨૯માં ભાવનગરમાં તેમનો જન્મ. ભાવનગરની આલ્ફ્રેડાઇસ્કૂલમાં વિશેષ કલાવર્ગચલાવતા સ્વ. સોમાલાલ શાહ પાસે - પોતે મેટ્રીક થયાં ત્યાં સુધી - (૧૯૪૪ થી ૧૯૪૯) ચિત્રની તાલિમ મેળવી. મુંબઇ જઇ નૂતન કલામંદિરમાં શ્રી દંડવતસાહેબના માર્ગદર્શનમાં અભ્યાસ કરી સર જે, જે, સ્કૂલ ઓફ આર્ટમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે બીજા વર્ષની પરીક્ષા ૪૦૦ વિદ્યાર્થીઓમાં ૮મા ક્રમે આવીને ઉત્તીર્ણ કરી. પણ મુંબઇનું વાતાવરણ માફક ન આવતાં ભાવનગર પાછાં આવતા રહ્યાં. ૧૯૫૦માં વડોદરામાં ફાઇન આર્ટસ ફેકલ્ટીસ્થપાઇ. ભાવનગરના જ કલાકાર શ્રી માર્કંડભાઇ ભટ્ટ તેના પ્રથમ ડીન નિમાયા. આ સંસ્થાના પ્રથમ વિદ્યાર્થીઓમાં વિનયત્રિવેદી પણ એક હતા. ચાર વર્ષની તાલિમબાદ ૧૮૯૫૪માં બી.એ. (ફાઇન) ની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. એ જ સંસ્થાના એપ્લાઇડ આર્ટ વિભાગમાં કલા વ્યાખ્યાતા તરીકે જોડાયા. ૧૯૮૬માં રીડર થયા અને ૧૯૮૯માં એ પદેથી નિવૃત્ત થયા. વિનય ત્રિવેદીની ચિત્રલઢણમાં લોકભરત અને તેના આકારોની અસર રહેતી. બીજા વિશેષતા એ હતી કે જે વિન્ન દોરે તેમાં લોકગીત કે કયારેક કાવ્યપંકિતઓ, ફિલ્મી ગીતોની પંકિતઓ પણ ચિત્રના એક ભાગ રૂપે મુકતા. શ્રી નટુભાઈ પરીખે નોંધ લેનાં લખ્યું છે. ‘લોકશૈલી અપનાવ્યા પહેલાં વિનય ત્રિવેદીએ ચિત્ર-કળાનો ઊંડો અભ્યાસ કર્યો છે. અદ્યતન કળાની સૂઝ પણ મેળવી છે. ચિત્રાંકનમાં અવનવા પ્રયોગો કર્યા છે. પોતે Jain Education International પથ પ્રદર્શક ચિત્રકળામાં ભારતીયતાના આગ્રહી અને લોકકળાના ચાહક હોઇતેમાંથી શોભનત ગતિશીલ સૌષ્ઠવને પોતાના ચિત્રોમાં ઊતાર્યું છે. “લોકભરત જેવાં લઢણવાળી જેવી રેખાઓ અને તેજસ્વી રંગો એમનાં ચિત્રોમાં પ્રથમ દ્રષ્ટિએ જ ધ્યાન દોરતી લાક્ષણિકતાઓ છે. રાધા અને કૃષ્ણ એમના પ્રિય પાત્રો. ઉપરાંત ગામડાની ગોરીથી લઇને ગામડા સુધી વિસ્તરેલા શહેરી પ્રભાવને પણ પ્રતીકાત્મકરૂપે તેમણે ચિત્રમાં આલેખ્યો છે. વિનય ત્રિવેદીને અભ્યાસકાળમાં જ મોટા કદનાં ચિત્રો કરવાની તક મળી. ૧૯૫૫-૫૬માં પાર્લામેન્ટ હાઉસ - દિલ્હી માટે ૪X ૧૨ ફૂટનું મ્યુરલ બનાવ્યું. ૧૯૫૭માં મ. સ. યુનિ.ના ઓરીએન્ટલ ઇન્સ્ટીટયુટ માટે ‘રામાયણ' વિષય પરના ૧૭ ચિત્રો કર્યા. તેમનું ‘ગોવાળીયા સાથે ગેડી દડે રમતા કૃષ્ણ' ચિત્ર બનારસ કલાભવનમાં સ્થાનપામ્યુંછે. ૧૯૬૮માં કેનેડામાં મોન્ટ્રીયલ મુકામે યોજાએલ વિશ્વકળા મેળા માટે તેમણે ૨૨ ૪ ૧૬ ફૂટના બે મોટા તૈલચિત્રો કર્યા હતા. ગાંધી શતાબ્દી વર્ષ-૧૯૦૯માં ગાંધીદર્શન પેવેલીયન- દિલ્હી માટે ૧૪ પેનલો બનાવી. ૧૯૭૮માં નાગદાના બિરલા વિષ્ણુ મંદિર માટે તેમણે ૨૦ જેટલાં ડ્રોઈંગ કરી આપેલા જે પછીથી આરસની તકતી પર ઉકિર્દી થયા હતા. ૧૯૭૯માં ગુજરાત રાજ્યના ટપાલ ટિકેટ પ્રદર્શન - ગુજવૈકસના પાંગેય દિવસ માટે રોજેરોજ રદીકરણ પામતી ખાસ પાંચ પ્રિન્ટમાં ત્રણ ડિઝાઇનો તો એકલા વિનય ત્રિવેદીની હતી. ૩) હું રખોપીયો (જલરંગી સંયોજન) For Private & Personal Use Only ગુજરાત રા. લલિતકલા અકાદમીથી લઇને વિવિધ સંસ્કા ખાનગી સંગ્રહમાં તેમનાં ચિત્રો છે. ‘ભૂમિપુત્ર' પાક્ષિકમાં તેમનાં રેખાચિત્રો પ્રથમ પૃષ્ઠ પર રજૂ થતાં. વડોદરા મ્યુ. કોર્પો.ના પ્રતીક ચિત્ર (સિમ્બોલ)ની ડીઝાઇન તેમણે કરી આપેલી. ૧૯૭૧માં શ્રી જયંત પરીખ સાથે મુંબઇની તાજ આર્ટગેલેરીમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજીએલ. ૧૯૮૦માં મુંબઇ-જહાંગીરમાં વનમેન શો કર્યો. ૨૦૧માં વડોદરામાં ચિત્ર પ્રદર્શન યોજાયું. એ પ્રદર્શનમાં તેમના જે ચિત્રો વેચાયા તે બધા પૈસા તેમણે સોખડાના શ્રી સ્વામીનારાયણ મંદિરને સમર્પિત કરી દીધેલા. તા. ૧૧ ફેબ્રુઆરી - ૨૦૦૧ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું. આરસની તકતીઓ પર અંકિત રેખાઓની જેમ વિનય ત્રિવેદીની સ્મૃતિ પણ સદાય હૈયા-તકતી પર અંકિત રહેશે. * સંદર્ભ - સૌજન્ય : ૧. કુમાર - (એપ્રિલ૧૯૮૨), લે. શ્રી નટુભાઇ પરીખ. ૨. સ્વ. શ્રી ખોડીદાસ પરમાર (ભાવનગર). www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy