SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ચિત્ર, શિલ્પ, તસવીર અને લેખન કલાનાં સર્જક શ્રી મહેન્દ્ર મિસ્ત્રી 'ચિત્રકળાના કોઇપણ અભ્યાસી માટે અનિવાર્ય વિશનોંધ - ત્વરાલેખનો (સ્કેચીંગ)માં એમણે આળસ દાખવીનથી. એમની રેખાઓની સર્વાંગસૂત્રતાસ્થિરતા એ આ મહાવરાનું જ પરિણામ છે. સંયોજનની એમની સૂઝ પણ આગવી ને આકર્ષક છે.' અમદાવાદના – - જાણીતા કલાકાર કલા વિવેચક શ્રી નટુભાઇ પરીખે જેમની રેખાંકન સિધ્ધિ માટે ‘કુમાર'માં આ નોંધ મૂકેલી તે કલાકાર છે શ્રી મહેન્દ્ર જોઇતારામ મિસ્ત્રી તા. ૨૮ નવેમ્બર - ૧૯૫૩માં મોડસા (જિ. સાબરકાંઠા)માં તેમનો જન્મ. અમદાવાદની શેઠ ચી. ન. ક્લામહાવિદ્યાલયમાં કલાપ્રાધ્યાપકો શ્રી શરદભાઇ પટેલ અને શ્રી નાગજીભાઇ ચૌહાણના માર્ગદર્શનમાં અભ્યાસ કરી ૧૯૭૪માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી ગુજરાતમાં પ્રથમ સ્થાને મેળવી. એ જ કલા સંસ્થાની ૧૯૭૫૭૬ના વર્ષ માટે ફેલોશીપ મળી. પોતે સ્વતંત્ર કલાકાર તરીકે ચિત્રકલા, ફોટોગ્રાફી, શિલ્પકલા અને લેખનકલા જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે વ્યસ્ત છે. દ્રશ્યચિત્રો -ચિત્રસંયોજનામાં રંગો, આકારોઅને અવકાશની અનોખી અભિવ્યક્તિ મહેન્દ્રની વિશેષતા છે, નૃત્યરત યુગલ શ્રેણી કે ગણેશજીની ચિત્રશ્રેણીમાં એક જ વિષયની વૈવિધ્યસભર અમિત તેની કલાસૂઝના વિસ્તારના દર્શન કરાવે છે. આગળ જણાવ્યું તેમ આ સર્વની આધારરૂપ ભૂમિકા તેના અભ્યાસ મૂલક સ્વરાલેખનો છે. છે છેક ૧૯૭૫માં રાજયકલા પ્રદર્શનમાં તેમના આલેખનો સ્થાન પામેલ મુંબઇમાં પણ તે રજૂ થયેલા અને એર ઇન્ડિયા, મોદી ટાયર કંપનીએ પોતાના સંગ્રહમાં ખરીદેલા. Jain Education International પથ પ્રદર્શક મહેન્દ્રએ રચેલા વિએટીવ શિલ્પો પરંપરાગત શિલ્પો કે મોડર્ન કલ્પોથી અલગ તરી આવે છે. કા, સિરામીક, સળિયા વ.ને ફલક પર સંયોજને તેઓ જે તે વિષયની જે થ્રી-ડીઅસર ઊભી કરે છે તે તેમ જ કેમેરા, રેંટિયો, ફ્રેઇમ કે ફાનસ જેવી વસ્તુઓને શિલ્પનોએકભાગબનાવીજેઅભિવ્યકિત કરે છે. તેમાં તેમની રજૂઆત અને સંપના સુઝ વર્તાય છે. ૧૯૭૫થી આજ ૨૦૦૪ દરમિયાનરાય કે રાષ્ટ્રીય સ્તરે હો જાતાં ચિત્ર પ્રદર્શનોમાં મહેન્દ્ર મિસ્ત્રી ભાગ લેતા રહ્યા છે. ગ્રુપ શો રૂપે તેમના ચિત્રો કલોલ (૧૯૭૪), મુંબઇ – જાંગી૨ (૧૯૭૫), રવીન્દ્ર ભવનનવી દિલ્હી (૧૯૭૯)માં પ્રદર્શિત થયા છે. નિજ પ્રદર્શન અમદાવાદ (૧૯૭૫, ૯૧, ૯૨, ૯૬, ૯૭, ૨૦૦૧, ૦૪), મુંબઈ (૧૯૯૭૯૯), જહાંગીર (૨૦૦૦)માં યોજાયા છે. વ્યવસાયી કલા ક્ષેત્રે પણ તેમનું વિપુલ પ્રદાન છે. ભારત ઉપરાંત વિદેોમાં પ્રકાશિત અસંખ્ય પ્રકાકાનો- ખાસ કરીને બાળ સાહિત્યમાં ઇલસ્ટ્રેશન્સ કર્યા છે. તેમનું આર્ટવર્ક અસંખ્ય સામયિકો, પુસ્તકોને શોભાવે છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પ્રકાશિત ‘રોયલ ફેમીલીઝ એન્ડ પેલેસીઝ ઓફ ગુજરાત'માં તેમણે ચિત્રો કરી આપ્યા છે. સમય મળ્યે કલમ પણ ચલાવી લેતા મહેન્દ્ર મિસ્ત્રીની ટૂંકી વાર્તાઓ રંગતરંગ અને ચાંદની પાશિકમાં પ્રકાશિત થઇ છે. તેમણે ૧૯૯૪માં ગાંધીબાપુની ચિત્રશ્રેણી તૈયાર કરી. ૧૯૯૫મ.ગાંધી ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહેન્દ્રભાઇના ગાંધી વિષયક ચિત્રો વોશીંગ્ટનની ભારતીય એલચી ઘેરીમાં સ્થાન પામ્યા છે. તેમને મળેલા સન્માનમાં બોમ્બે આર્ટ સોસાયટી- મુંબઇ (૧૯૭૭), ચિલ્ડ્રન્સ સ્ટોરી લેન્ડબુકના આર્ટ વર્ક માટે નવી દિલ્હી- એવોર્ડ (૧૯૮૪), નવી દિલ્હીનો નેશનલ એવોર્ડ (૧૯૯૬), નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા (૧૯૯૭, ૨૦૦૧), અ. મ્યુ. કોર્પો. ફોટો સ્પર્ધા (૧૯૯૬), ફોટોગ્રાફીક સોસાયટી ઓફ ઇન્ડિયા - મુંબઇ (૨૦૦૦), ગુજરાત લલિત કલા અકાદમી (૨૦૦૩), આઇફેકસનવી દિલ્હી (૨૦૦૩) વ. સહિત અનેક પ્રમાણપત્રો મળેલ છે. તેમને રાજય તેમજ રાષ્ટ્રીય અકાદમીની ફેલોશીપ મળી હતી. બીજરેખા - એક કાલ્પનિક સંયોજન For Private & Personal Use Only * સંદર્ભ-સૌજન્યઃ કુમાર (ઓગસ્ટ-૧૯૭૫) લે. શ્રી નભાઇ પા. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy