SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ક્લાસેત્રે શિક્ષણ, સંવર્ધન અને સર્જનમાં જીવન સમર્પીત કરનાર કલાકાર સંનિષ્ઠ કલાચાર્ય - શ્રી છેલશંકર વ્યાસ ગુજરાતમાં જયારે એક પણ કલાસંસ્થા ન હતી ત્યારે એ દિશામાં સક્રિય પ્રયત્ન કરનાર અને કલાના વિવિધક્ષેત્ર જેમનું પ્રદાન એક માઇલસ્ટોન બની ચૂકયું છે. તેવાં એ બૂઝુર્ગ કલાકારનું નામ છે શ્રી છેલશંકર મ. વ્યાસ તા. ૪ ડીસે. ૧૯૧૪માં તેમનો જન્મ,ચિત્રકલામાં ડી.ટી.સી.(૧૯૪૦), ડી.એમ. (૧૯૪૬) અને આર્ટ માસ્ટર (૧૯૫૩)ની વિવિધ પદવીઓ ધરાવનાર છેલશંકર વ્યાસ અંગ્રેજી સાથે બી.એ. (ઓનર્સ) અને બી.એડ.ની ડીગ્રી ધરાવનાર પ્રથમ ગ્રેજયુએટ કલાશિક્ષક છે. ગુજરાતમાં મુંબઇની સર જે.જે.સ્કુલ ઓફ આર્ટસ જેવી એકેડેમીક તાલિમ આપની કલાશિક્ષષ્ઠ સંસ્થા શરૂ કરવા માટે ૧૯૫૦-૫૧ માં ત્યારના ગુજરાત કલા શિક્ષક સંઘે આંદોલન જગાવ્યું. તેના મુખ્ય સંગઠક છેલભાઈ વ્યાસ હતાં. વઢવાણ વિકાસ ક્લાવિદ્યાલય, શેઠ સી.એન. ફાઈન આર્ટસના મુખ્ય સંગઠક, પ્રાધ્યાપક અને પ્રિન્સીપાલ તરીકે છેલશંકર વ્યાસે સેવા આપેલી. ૧૯૪૨ની લત વખતે નોકરી છોડી સ્વાતંત્ર્ય સેનાની બનેલા. તેમણે ગણનાપત્ર પ્રદર્શનોના સફળ આયોજનો કર્યા છે. જેમાં દુધ ઉત્પાદન સંઘ પ્રદર્શન (૧૯૩૯), જેમાં સુવર્ણચંદ્રક મળ્યો, લખતર રાજય પ્રદર્શન (૧૯૪૪)માં લખતર રાજવીએ રખચંદ્રક અને સિલ્વર પ્લેકથી રાજય કલાકાર તરીકે સન્માન કર્યું. દાંડીકરાડી-રાષ્ટ્રીયશાળામાં દશાબ્દી પ્રદર્શન (૧૯૪૭), ગાંધીવન પ્રદર્શન (૧૯૫૦), અમદાવાદ-દિવાન બલ્લુભાઇ શાળાની સુવર્ણજયંતી નિમિતે ૩૪ ખંડો ભરાય તેવડાં પ્રદર્શનનું આયોજન (૧૯૫૭), મહાગુજરાત આંદોલન પ્રદર્શન- જેનું ઉદઘાટન ઈંદુલાલ યાજ્ઞિકે કરેલું (૧૯૬૧), પોતાના નિ પ્રદર્શનો- અમદાવાદ (૧૯૫૪, ૧૯૮૧) વ.નો સમાવેશ થાય છે. છેલભાઈએ કલાશિક્ષક તરીકે વિવિધ સેમીનારોમાં ભાગ લીધો છે. જેમાં અખિલ મુંબઇ રાજય કલાશિક્ષક સંઘપરિષદ (૧૯૪૧), આંતર રાષ્ટ્રીય કલાશિક્ષક સંધ સેમીનાર- INSEA (૧૯૮૧), NCERT- હૈદાબાદ વર્કશોપ વ. માં Jain Education International પથ પ્રદર્શક ગુજરાતના પ્રતિનિધિ તરીકે સક્રિય ભાગ લીધો હતો. છેલભાઈએ અનેક કલાપ્રવાસો કર્યા છે. સાથેસાથ વરંગી દ્રશ્યચિત્રો (ઓન ધ સ્પોટ) કર્યા છે. પેન અને ઇન્કમાં ત્વરાલેખનોનું વિપુલ સર્જન કર્યું છે. આ ચિત્રોઅને સ્કેચો પરથી તેમણે ‘પાવાગઢચાંપાનેર’ અને ‘રાણકપુરનું જૈન મંદિર' -એ બે સચિત્ર પુસ્તકોનું પ્રકાશન કરી સંબંધકર્તાને વિનામૂલ્યે આપેલ છે. કાશ્મીર, સોમનાથ, ચિત્ર અને શિક્ષણ પરના પોતાના વિચારો વાપર પ્રકાશનોની તેમની તૈયારી પણ હતી. ૧૯૯૧ થી ૯૯ના દાયકામાં છેલભાઇના હસ્તે ‘યુગો યુગોનું ગુજરાત દર્શન’પ્રદર્શનનું કામ થયું. ઇતિહાસ અને પુરાતત્વના જ્ઞાતા તરીકે આ તેમનું અનોખું પ્રદાન છે. ૧૯૯૮માં ગાંધીજી, શ્રી અરવિંદ અને શ્રી માતાજી, આઠવલે શાસ્ત્રી વ.ના જીવન અને કાર્યથી પ્રેરાઇને તેમâ ‘પાનખર'પ્રદર્શનનું આયોજન કરીને ૪૦ મીટર લાંબા કાપડ પર ચિત્ર દોરવાનું શરૂ કરેલું. નવુંવર્ષની જૈફ વયે પહોંચેલા છેલશંકર વ્યાસ છેલ્લાં થોડા સમયથી પડી જવાથી બહાર હરી ફરી શકતા નથી. ૧૯૯૯માં અમદાવાદમાં કલાશિક્ષક અધિવેશનમાં તેમને જોયેલા, આજે ગુજરાતમાં ગુજરાત કલાશિક્ષક સંઘ, ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસો. અને સમગ્ર ગુજરાતમાં ૧૭ જેટલી શૈક્ષણિક કલાસંસ્થાઓની લીલીવાડી કલાપ્રવૃત્તિઓથી ધમધમતી થઇ છે. ત્યારે ગુજરાતમાં સાત-આઠ દાયકા પહેલાં કલાકોડને ઉછેરવા, સિંચવા અને તેને લીલોછમ્મ કરનાર મોળી સ્વરૂપ સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલની જેમ જ શ્રી છેલશંકર વ્યાસ પણ એક અગ્ર કલાકાર હતા, તે ગુજરાતની આ સંસ્થાઓ યાદ રાખશે ? * સંદર્ભ સૌજન્ય- પાવાગઢ-ચાંપાનેર-ચિત્ર પુસ્તિકા લેઃ શ્રી માધવ રામાનુજ. પાવાગઢ (જલરંગી દ્રશ્યચિત્ર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy