SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ગ્રાફીક કલાકાર, શિલ્પકાર અને પૂર્વ ક્લાયાર્ય સ્વ.શ્રી અજીત દેસાઇ અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં કલા અધ્યાપન, સંચાલનની સાથે પોતાના સર્જન ફાલની આંબાવાડી ઉછેરનાર એપ્રતિભાશાળી કલાકારની ઝળહળતી કારકિર્દીના મધ્યાહને જ જીવનલીલા સંકેલાઇ જશે તેની તો કોઇને કલ્પના પણ કયાંથી હોય ! એમનું નામ શ્રી અજીત રતિલાલ દેસાઇ તા.૬ એપ્રિલ-૧૯૪૩માં દક્ષિણ ગુજરાતના ગાદેવી તાલુકાના પીપલધરા ગામમાં તેમનો જન્મ. પરની આંબાવાડીના પ્રાકૃતિક વાતાવરણમાં કરેલા અજીતભાઇને નાની વયથી જ ચિત્રક્કામાં સ. મ. સ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં પ્રવેશ મેળવ્યો.કલાકાર જેરામ પટેલના માર્ગદર્શનમાં અભ્યાસ કરી એપ્લાઇડ આર્ટસમાં ડિપ્લોમા મેળવ્યો અમદાવાદમાં શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયમાં એપ્લાઇડ આર્ટ વિભાગમાં કલા- વ્યાખ્યાતા તરીકે કારકિર્દી શરૂ કરી. એ વખતે તેમની અને શ્રી અરવિંદભાઇ દેસાઇની જોડી જમીતી બનેલી ક્લાઅધ્યાપનનીસાથે એસંસ્થામાં જ અભ્યાસ કરી શિલ્પકલામાં જી.ડી.આર્ટ થયા. ઉપરાંત વનસ્પલિ વિદ્યાપીઠ (રાજસ્થાન)માં તેમણે ફ્રેસ્કો મ્યુરલનો પણ અભ્યાસ કરેલો. કલાઅધ્યાપનમાં અનેક યુવા વિદ્યાર્થીઓને વ્યવહારિક ક્લાનો અભ્યાસ કરાવવાની સાથે પોતાની કલાસાધનાનું સાતત્ય પણ જાળવી રાખેલું, તે તેમણે યોજેલા પ્રદર્શનો અને મેળવેલા પારિતોષિકો પરથી જાણી શકાય છે. એક કલાકાર તરીકે શિલ્પ હોય કે ચિત્ર, અત દેસાઇની અભિવ્યક્તિ આધુનિક સ્પર્શવાળી હતી.તેમણે કરેલા અમાપ સ્કેચીંગનો પ્રભાવ તેમના આલેખન (ડ્રોઈંગ)પર પડેલો.તેઓ પોતાના અમૂર્ત લાગના ચિત્રસર્જનોમાં માનવચહેરા, પશુપંખી, વાદળાં કે ટેકરીઓના આકારોનો પયોગ કરતાં તેમના કેનવાસ પર આ આકારો તરતા દેખાય. લોટીંગ ફિગર્સ” ર્ષિક પામતાં તેમનાં ચિત્રો એલીના મહદઅંશે શ્વેત અને શ્યામ રંગોમાં Jain Education International પથ પ્રદર્શક સર્જાતા.પોતાના ડ્રોઇંગ અને ચિત્રોની જેમ તેમના શિલ્પો પણ આધુનિક ટચવાળા સર્જનાત્મક રહ્યા છે.તેમનું એક શિલ્પ- કેન્દ્રીય લલિત કલા અકાદમીના સંહમાં છે.પોસ્ટર ડિઝાઇન અને ગ્રાફીકસ ચિત્રો તેમના રાર્જનના ઉલ્લેખનીય પાસાં છે. મુંબઇ, અમદાવાદ, નવી દિલ્હી જેવાં શહેરો તથા હસ્ટનયુ.એસ.એ., જેવાં વિદેશોમાં ૧૯૭૨ થી છેલ્લી ઘડી સુધી યોજાએલાં તેમના ચિત્રો, શિલ્પો, ગ્રાફીકસના પશોની સંખ્યા જ ૧૩ઉપરાંત થવા જાય છે.ભારત ભવનમાં યો જાયેલ કોન્ટેમ્પરરી ઇડિઅન આર્ટ- પ્રથમ બાયોનેલ (૧૯૮૬) અને દ્વિતીય ભાર્યોનેલ (૧૯૮૮)માં તેમની કૃતિઓ પ્રદર્શિત થઈ છે.મુંબઈ- જાંગીર (૧૯૭૨, ૮૮) સહિત તેમના ચિત્રો, ગ્રાફીકરાના આઠ જેટલાં નિષ્ઠ પ્રદર્શનો યોજાયાં છે. અજીત દેસાઇની કારકિર્દી અનેક એવોર્ડઝથી શોભીત છે જેમાં ગુજરાત રા.લ.કલા અકાદમીના પોસ્ટર ડીઝાઇનમાં પાંચ એવોર્ડ (૧૯૬૨, ૬૩, ૭૦, ૭૩, ૭૪), સ્કલ્પચરમાં બે એવોર્ડ (૧૯૭૫, ૭૬)અને ગ્રાફીક (૧૯૭૭) મળી આઠ જેટલાં એવોર્ડઝ મળેલાં એ ઉપરાંત ગાંધી શતાબ્દી-નવી દિલ્હી (૧૯૭૦), ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી-નવી દિલ્હીના ગ્રાફીકમાં એવોર્ડ(૧૯૭૦, ૮૭), બોમ્બે આર્ટસોસાયટીના સ્કલ્પચર (૧૯૭૬)માં ગ્રાફીક (૧૯૭૭, ૭૯), યુનિવર્સલ લવ કમીટી- મુંબઇમાં સિમ્બોલ ડીઝાઇનમાં એવોર્ડ(૧૯૭૦), ઇન્ડો આરબ સોસાયટી- મુંબઇ- પોસ્ટર ડીઝાઇન (૧૯૭૬), અ.મ્યુ.કોર્પો- પેઇન્ટીંગ (૧૯૮૭)એવોર્ડ- વ.નો સમાવેશ થાય છે. આ પારિતોષિકો વિવિધ ક્ષેત્રે તેમની સિધ્ધિનાં પ્રતીક છે. અછત દેસાઇનાચિત્રો, ગ્રાફીક, શિલ્પો કેન્દ્રીય અને રાજય કલા અકાદમી, એર ઇન્ડિયા મુંબઇ (ચિત્રો) સહિત દેશની વિવિધ સંસ્થા ઉપરાંત વેસ્ટ જર્મનીમાં ખાનગી સંગ્રહમાં સચવાયાં છે. ફ્લોટીંગ ફીગર For Private & Personal Use Only વડોદરા ફાઇન આર્ટ ફેકલ્ટીના સ્નતિકા તેમના પત્ની શ્રીમતી માયાબેન અજીતભાઇની કલાકારકિર્દીમાં મહત્વનું પીઠબળ બની રહ્યા છે. ક્લાધ્યાપકશ્રી લઇને સી.એન.કલામહાવિદ્યાલયના પ્રાચાર્યના પદે સેવા આપતા આનભાઇની કારકિર્દીના મધ્યાહને બાવન વર્ષની વયે બ્રેઇન ટ્યુમરના કારણે તા.૧૭ જુલાઇ૧૯૯૪ના રોજ દુઃખદ અવસાન થવાથી ગુજરાતના ક્લાજગતમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. * સંદર્ભ સૌજન્ય : કલાપ્રસાર (જુલાઇઓગસ્ટ-૧૯૯૪) લે.પ્રા.બંસીલાલ દલાલ. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy