SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સંવેદનશીલ કલાકાર અને આત્મીય ગુરૂ શ્રી શરદ પટેલ ‘કલાનું શિક્ષણ એટલે સર્જનાત્મકતા સાથે કામ પાડવું શકરાભાઇ એમાં શિષ્યોના માનસને સહેજ પણ નિ પહોંચાડયાવિના સફળ પરિણામ લાવી શકયા છે . કલા અને કેળવણીનેતેમણેઅવતારર્ય ગયું છે. ' કવિ- કલાકાર- પૂર્વ કલાચાર્ય- વિવેચક શ્રી માધવ રામાનુજે આ શબ્દોમાં જેની ઓળખ આપી છે એ શકરાભાઇ એટલે, શ્રી શરદભાઇ પટેલ તા.૧૪ નવે. ૧૯૩૪માં અમદાવાદમાં કૃષિકાર પિતાશ્રી વિલભાઈને ત્યાં તેમનો જન્મોકરી ને ક્યા માવિધાલયમાં અભ્યાસ કરી ૧૫૪માં ૩ ટી.સી થયાં અને કલાચાર્ય રસિખ્યાલ પરીખના નિમંત્રણથીસી.એન વિદ્યાવિહારમાં ચિત્રશિક્ષકતરીકે જોડાયા પછીનો આર્ટમાસ્ટર(૧૯૫૮), જી.ડી.આર્ટઇન પેઇન્ટીંગ(૧૯૫૯)ની પદવીઓ પણ મેળવી. ૧૯૯પમાં વનસ્પલિ વિદ્યાપીઠમાં ફેસ્ક પેઇન્ટીંગની તાલિમ લીધી ૧૯૭૩માં એપ્લાઇડ આર્ટમાં ડિપ્લોમાં મેળવ્યો.એક માત્ર શિલ્પાની શાખા તેમણે બાડી રાખી ને કે શરદભાઈ બીજ રીતે શિલ્પી સાબિત થયા છે.માટી કે પ્લાસ્ટરમાંથી પૂતળા ઘડવાના બદલે તેમણે જીવંત શિષ્યોનું ઘડતર કર્યું છે.એવી ચાહના મેળવી કે કલા અધ્યાપક તરીકે ચાર દાયકા પછી ૧૯૯૩માં પોતે નિવૃત થયા.ત્યારે તેમના પૂર્વ અને વર્તમાન વિશાળ શિષ્યવૃંદે અવિસ્મરણીય 'ગુરૂવંદના' સમારંભ યોજવો.તેમના અને પોતાના ચિત્રોનું પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવન- (તા.૮ થી ૧૦ મે-૧૯૯૩)માં યોજાયું. પ્રોગ્રેસીવ ગ્રુપ-અમદાવાદહારાતેમના ચિત્રોના ગ્રુપ-શો (૧૯૬૨, ૭૧ થી ૭૫, ૧૯૮૫) અને મુંબઇ-જહાંગીર ગેલેરી (૧૯૭૫, ૭૯)માં યોજાયા છે.તેમના વન મેન શો અમદાવાદ (૧૯૮૮) મુંબઇ (૧૯૮૮) અને કન્ટેમ્પરરી અમદાવાદ (૨૦)માં યોજાયા છે.શ્રી રામાનુજે નોંધ્યું છે તેમઃ ‘શરદ પટેલ મૂળથી જ ખૂબ અભ્યાસી આત્મા એમાંય લોકજીવનની સાથોસાથ ભારતીય ચિત્રશૈલી પ્રત્યે અનુરાગ Jain Education International ૩૪૫ મીનીએચરના પાત્રો, સ્થાપત્ય, પશ્ચાદ્ભૂ, સાદગીપૂર્ણ રંગાયોજન વ.ને તેઓ પોતાના ચિત્રોમાં પ્રયોજે છે.રંગોની જેમ જ ટેક્ચર પણ તેમાં અગત્યનું પાસું છે.તેમણે અવનવા પ્રયોગો પણ કર્યા છે.રંગસૂઝ, ફીગર આયોજન, એક્શન, સ્પેસનું આગવું આયોજન, વ્હાઇટ અને મેં રંગોનું પ્રભુત્વ તેમજ સમગ્રપણે સૌમ્ય અસર ઉપસાવતાં ચિત્રોમાં શકરાભાઇનું વ્યક્તિત્વ પણ પ્રતિબિંબીત થાય છે.’ ચિત્રકલા ઉપરાંત પ્રિન્ટીંગ, શિલ્પ, ફોટોગ્રાફી, બાટીક અને મ્યુરલ પેઇન્ટીંગની ટેક્નીક્લ જીણકારી ધરાવતા શરદ પટેલે જયપુરી ઇટાલીયન ફ્રેસ્કો, એઝટેમ્પરા અને કોલાજ મ્યુરન્સ પણ કર્યો છે.તેમણે કરેલાં મ્યુરલ્સ સી.એન. કલામહાવિદ્યાલય, વિદ્યાવિહાર ઉપરાંત અમદાવાદના ખાનગી આવાસોમાં દ્રશ્યમાન થાય છે.તેમનાં ચિત્રો ગુજરાત લલિત ક્લા અકાદમી, એર ઇન્ડિયા, તાતા, ના સંગ્રહ ઉપરાંત અમેરિકા, જાપાન, જેવાં વિદેશોની અનેક વ્યક્તિઓ અને સંસ્થાનાં સંગ્રહમાં જળવાયા છે. ગુજરાત રાજય લલિત કલા અકાદમી અને અમદાવાદની વિવિધ ક્યા સંસ્થાઓ યોજીત વર્કશોપ- જેવાં કે ગ્રાફીક (૧૯૭૮), સ્ક્રીન પ્રિન્ટીંગ, વુડકટ (૧૯૮૭), પેઇન્ટીંગ (૧૯૮૬), માંડુ આર્ટીસ્ટ કેમ્પમાં નિષ્ણાંત તરીકે સેવા આપનાર શરદભાઈએ બાળકો માટે ત્રિરંગી પુસ્તકો તથા શ્રી પ્રહલાદભાઇ પટેલ સાથે ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરેલ નકશા દર્શન'માં તેમની ખેત અને ચોક્કસાઇના દર્શન થાય છે ચિત્રકલાની બંને ગ્રેંડ પરીક્ષાઓ માટે પ્રેકટીકલ વિષયોના બે પુસ્તકો પ્રકટ કર્યા છે. જુગલબંદી જિલરંગી સંયોજનો For Private & Personal Use Only શરદ પટેલની કૃતિઓ સન્માનીત પણ થઇ છે. તેમાં ગુજરાત રાજય લલિત કલા અકાદમી એવોર્ડ (૧૯૬૫, ૭૯), માયસોર દશેરા પ્રદર્શન (૧૯૬૭), બોમ્બે આર્ટ સોસાયટી (૧૯૮૦), વ. ઉપરાંત નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ એન્ડ ક્રાફટ સોસાયટીના ઉપક્રમે ૧૯૯૬માં વેટરન આર્ટીસ્ટ તરીકે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે થયેલ સન્માન વિશેષ ગણાય.તેમના નિવૃત્તિસમારંભગુરૂવંદનામાં વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ સન્માન સ્વરૂપે શાલ અને સિલ્વર પ્લેક (૧૯૯૩)અર્પણ થયેલ છે. સમર્પીત પરિવારજનો, ક્લાકાર મિત્રોચાહકો અને વિશાળ શિષ્યવૃંદ- કે જે આજે તો ગુજરાતના પ્રતિભાશાળી કલાકારો તરીકે જાણીતા થઇ ચૂકયા છે– ધરાવતા શરદભાઇ પટેલ આજે ય એ જ લાગણી, એ જ સ્મિત સાથે જીવનના સાત દાયકા પાર કરી ચૂક્યા છે. સહેજે કહેવાઇ જવાય કે ‘શતં જીવં શરદ !' * સંદર્ભ સૌજન્ય- ગુરૂવંદના સ્મરણિકા-લે.માધવ રામાનુજ www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy