SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ તસવીરકાર, છબી ચિત્રકાર અને સંનિષ્ઠ કલાશિક્ષક સ્વ. શ્રી ગિજુભાઇ જોષી ‘ચિત્રકલા એ સ્વયંસ્કૃતિ ભાષા છે. જે વસ્તુને લખાણથી નથી સમજાવી શકાતી તેને ચિત્ર દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. ચિત્રનાં રંગ અને રેખા જ એક ભાષા બની જાય છે.” ઉપરોકત શબ્દોમાં પોતાના બહોળા અનુભવો વ્યકત કરનાર કલાકાર એટલે રાજકોટના શ્રી ગિજુભાઇ પ્રાણશંકર જોષી તા. ૧ જુલાઇ-૧૯૨૭માં જૂનાગઢમાં તેમનો જન્મ. અભ્યાસ નોન મેટ્રીક સુધીનો. ઉચ્ચકલાની ઇન્ટરમીડીએટ ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ સુધીનું કલાશિક્ષણ ઉપરાંત મુંબઇની ‘હેન્ડીક્રાફટ ટીચર્સ” પ્રમાણપત્ર પરીક્ષા તેમણે ઉત્તીર્ણ કરેલી. ગિજુભાઇની મુખ્ય કારકિર્દી કલાશિક્ષણની. ૧૯૪૩ થી ૫૦ સુધી રાજકોટની વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અને ૧૯૫૪ થી આ. સો. ચૌધરી હાઇસ્કૂલમાં ચિત્રશિક્ષક તરીકે સેવા આપી. ૧૯૮૪માં પોતે નિવૃત્ત થયા. સેંકડો વિદ્યાર્થીઓને કલાશિક્ષણ ઉપરાંત ચિત્ર સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા શાળામાં કલાનું વાતાવરણ નિર્માણ કર્યું. કલાશિક્ષણની સાથે ફોટોગ્રાફી એ તેમનો શોખ રહ્યો. ૧૯૬૫માં રાજકોટમાં “રૂપ રુડિયો'ની સ્થાપના કરી, ધંધાદારી છબીકલામાંથી સમય તારવીને તેમણે ખભે કેમેરો ઊંચકીને સૌરાષ્ટ્રના ભવનાથ, તરણેતર, માધવપુરના લોકમેળાને માણવાની સાથે લોકજીવનની ફોટોગ્રાફી કરી છે. તેમણે ઝડપેલી તસવીરોમાં સૌરાષ્ટ્રનું ભાતીગળ લોકજીવન જોવા મળે છે. તેમની સ્વૈત-શ્યામ અને રંગીન તસવીરોમાં તળપદી ધરતીની મહેક માણી શકાય છે. ચિત્રકળાની અંતરંગ સાધના તેમના જીવનનું પ્રથમ ધ્યેય રહ્યું હતું. સમય મળે હાથમાં પીંછી લઇને ફલક સામે બેસી જતાગિજુભાઇએ પેન્સીલ, ચારકોલ, વેકસક્રેઓન કેલૈલરંગી માધ્યમોમાં સર્જેલીચિત્રસૃષ્ટિ એટલે પંખીઓ, દ્રશ્યચિત્રો અને વિવિધ મનોભાવો વ્યકત કરતી મહાનુભાવોની તસવીરો. સફેદકેરંગીન કાગળ પર વ્યકિતચિત્રો કરતા. ગિજુભાઇ માનતા કે “કેમેરાનો કસબી કલાકાર જો માનવચહેરામાં રસ ન લે તો તેનો વ્યવસાય જ ભાંગી પડે'. ગિજુભાઇના મામા એક સારા પોર્ટેઇટ આર્ટિસ્ટ હતા. આ કલામાં ચલાવી લેવાની મનોવૃત્તિ કામ લાગતી નથી. આમાં સારી એવી ધીરજ, એકાગ્રતા, ચોક્કસાઈ અને ચોખ્ખાઈ જરૂરી છે. દ્રશ્યચિત્રની જેમ આમાં થોડું આમ કે થોડું તેમ કરવાનો અવકાશ નથી. ૩૧૩ કેવળ ચારકોલ પેન્સીલના માધ્યમમાં કરેલા શ્વેત અને શ્યામ ચિત્રોમાં પણ માનવચહેરાની સ્નિગ્ધતા, વાળની કુમાશ, કે કપડાનું પોત ઉપસાવવામાં ગિજુભાઇએ એક હદ સુધીની પરિસીમા સર કરી હતી. તેમણે સર્જેલા વ્યકિતચિત્રો દેશ-વિદેશની અનેક સંસ્થા અને ખાનગી સંગ્રહોમાં છે. રાજકોટની વિવિધ કલા સંસ્થાઓ- સૌરાષ્ટ્ર કલા મંડળ, ફાઇન આર્ટસ સોસાયટી, ફોટોગ્રાફી એસોસિએશન, રાજકોટ કલાશિક્ષક સંઘ વ. સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. રાજકોટ કલાશિક્ષક સંઘના પ્રથમ પ્રમુખ તરીકે તેમણે વિવિધ ચિત્રસ્પર્ધાઓના સફળ આયોજન અને પ્રદર્શનો યોજયા હતા.' તેમની તસવીરો રાજકોટમાં ૧૯૮૧માં ફોટોપ્રદર્શનમાં સ્થાન પામેલી. ૧૯૮૩માં સર લાખાજીરાજ ટાઉન હોલ-રાજકોટમાં તેમનાં | ચિત્રો અને ફોટોગ્રાફસનો વન મેન શો યોજાયેલ. ૧૯૯૪માં કોઠારી આર્ટ ગેલેરીમાં વનમેન-શો યોજાયો. ગિજુભાઇના ચિત્રો ગ્રુપ-શોમાં ગેલેરી પ્લાઝા-મુંબઇ (૧૯૯૦), ફાઇન આર્ટસ પ્રદર્શન- રાજકોટ (૧૯૯૫), ફૂલછાબ પ્લેટીનમ જયંતી કલા પ્રદર્શન (૧૯૯૬)માં પ્રદર્શિત થઇ ચૂક્યા છે. ફૂલછાબ સુવર્ણ જયંતી ફોટોપ્રદર્શનમાં તેમની તસવીરને ઇનામ મળેલ. ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્ર દ શ ન મા રાજકોટના વરિષ્ઠ કલાકાર તરીકે તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ગિજુભાઇ જોષી એક સફળ ઇ - ટી ૨૧ ય ૨ ડિઝાઇનર પણ હતા. રાજકોટની ઘણી ઇમારતો, કચેરીઓ, હોટેલો અને શો-રૂમને તેમણે સજાવેલી. પ્રિયદર્શિની (ચારકોલ) રાજકોટમાં સુવિધાપૂર્ણ આર્ટ ગેલેરી સ્થપાય તેવી ઝુંબેશ ચલાવનારા કલાકારોમાં તેઓ પણ હતા. તા.૪ ફેબ્રુ.-૨૦૦૧નાં રોજ ૭૩વર્ષની વયે તેમનું અવસાન થયું. “રૂપ સુડિયો' તે દિવસે “અ-રૂપ’ બન્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy