SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ પ્રતિભાઓ તેમને મળેલા અનેક ઇનામોમાં ગુજરાત રા..ક. અકાદમી એવોર્ડ (૧૯૬૬), રાયપુર (૧૯૭૨), હૈસૂર-દશેરા પ્રદર્શન (૧૯૭૨), રાજમુંદ્રી- આંધ્રપ્રદેશ (૧૯૭૩) અંબાલા ટેન્ટ પ્રદર્શનમાં બ્રોન્ઝ મેડલ (૧૯૯૧) નો સમાવેશ થાય છે. આ બધાં એવોર્ડઝ તેમના ક્રિએટીવ સ્ટીલ લાઈફ અને ગ્રાફીકસમાં મળેલ છે. જે રાષ્ટ્રીય કક્ષાએ તેમની કલાસાધનાની સ્વીકૃતિના પ્રતીક છે. એ ઉપરાંત કચ્છસૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ રાજકોટ યોજીત પોસ્ટર સ્પર્ધામાં ડીઝાઇન માટે એવોર્ડ (૧૯૮૩), સૌરાષ્ટ્ર સાહિત્ય સંગમ મહોત્સવ વખતે કલા પ્રદર્શન આયોજન તથા શ્રી મેઘાણીજીના તૈલચિત્ર માટે તેમને સુવર્ણચંદ્રકથી સન્માનીત કરાયા હતા. શશીભાઇ પરમાર એકાંગી કલાસાધક ન હતાં. પણ સમાજલક્ષી કલાકાર હતા. રાજયકક્ષાએ યોજાતી કલાશિબિરો, કલાશિક્ષણ પરિસંવાદો, સ્થાનિક બાળચિત્ર સ્પર્ધા અને યુવક મહોત્સવો તથા ઉચ્ચ કક્ષા પરીક્ષાઓમાં વખતોવખત તેમની સેવા લેવાઈ હતી. રાજકોટની ‘શ્રી મેઘાણી સ્મારક શાળાના મેઘાણી હોલ માટે શશીભાઇએ રાષ્ટ્રીય શાયરના જીવન, સાહિત્ય અને સંપાદિત લોકગીતો પર આધારીત બાવીસ જેટલા મ્યુરલચિત્રો કરી આપ્યાં છે. તેમનાં આસાંસ્કૃતિક પ્રદાન બદલ રાજકોટની બે સંસ્થાઓ ‘શબ્દરંગ' અને ‘ભારત સોવિયેત સાંસ્કૃતિક સમાજ'નાં સંયુકત ઉપક્રમે એપ્રિલ૧૯૯૦માં તેમને “શ્રી ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર' અર્પણ કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે બાલભવન, રાજકોટમાં તેમનાં ચિત્રોનો વન મેન શો યોજાયો હતો. તેમનાં ચિત્રો દેશ-વિદેશની સંસ્થાઓ-ખાનગી સંગ્રાહકોનાં સંગ્રહમાં છે. | સર્જનાત્મક અભિવ્યકિત દ્વારા રાષ્ટ્રીય સ્તરે રાજકોટનું નામ ગૌરવાન્વિત કરનાર શશીભાઈ પરમારનું તા. ૨૪ જાન્યુઆરી૧૯૯૨ના રોજ અવસાન થયું. રાજકોટના દરવિસ્તારમાં આવેલ ‘પરમારકોર્નર'ના એક ખૂણાએ તે દિવસે કોરા કેનવાસ પર છાનાંમાનાં બે આંસુ ખેરવી લીધાં હશે. નીચેથી પસાર થનારની નજરઅચાનક એ મેડીના કઠેડા પર ઊંચકાશે ત્યારે ‘હવે તો પરમાર પણ ન રહ્યા' નો નિ:શ્વાસ ભીતરના ખાલીપામાં પડઘાશે અને વાસ્તવિકતા બોલી ઊઠશે. પરમાર કોર્નર' ખરો, પણ “શશી' વિનાનો !! ગાંધીયુગના ચિત્રસર્જક શ્રી ધીરેનભાઇ ગાંધી ધીરેનભાઇના ચિત્ર શિક્ષણની શરૂઆત ગુજરાતમાં થઇ પણ તેમની ચિત્રાંકન શૈલી નંદલાલ બસુના ચિત્ર આદર્શી વાતાવરણમાં ઘડાઇ હોવાથી તેમનાચિત્રાંકન,વિષયો, સંરચના, રંગાવટી અને રેખાવટીવ.માં શાંતિનિકેતનની પ્રશિષ્ટ ઘાટીની અસર જોઈ શકાય છે.” જેમની ચિત્રશૈલી વિષે ખ્યાતનામ કલાકાર સ્વ. શ્રી ખોડીદાસભાઇ પરમારે આ શબ્દો નોંધ્યા છે તે કલાકાર છે રાજકોટના - શ્રી ધીરેનભાઇ ગાંધી ઈ. ૧૯૧૭માં પોરબંદરમાં તેમનો જન્મ. રાષ્ટ્રપિતા ગાંધીજીના ભત્રીજાના તેઓ દીકરા થાય. તેથી તેમનું શિક્ષણ અમદાવાદની આશ્રમશાળાથી આરંભાયું. ચિત્રકલાના રસના કારણે અમદાવાદમાં સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલના “ગુજરાત કલાસંઘ' ચિત્રશાળામાં જોડાયા. એક વર્ષના તેમના અભ્યાસકાળ દરમિયાન તેમણે રવિભાઈ પર ‘એકનિષ્ઠવિદ્યાર્થી'ની સુંદરછાપ ઉપસાવી હતી. હરિપુરા કોંગ્રેસ અધિવેશન વેળા તેમનો સંપર્ક કલાચાર્ય નંદલાલ બસુ સાથે થયો. ૫ ૨ ણ મને શાંતિનિકે ત ન ભણવાનું આકર્ષણ થયું. ગાંધીજીના ટાગોર પરના ભલામણપત્ર પછી ૧૯૩૭માં ધીરેન ગાંધીજીના હસ્તાક્ષર સાથે પેન્સીલમાં વરાલેખન | લખન ગાંધી અને તેમના વડિલબંધુનવીન ગાંધી ‘વિશ્વભારતી'માં જોડાયા. શાંતિનિકેતનનાં મુકત વાતાવરણમાં ધીરેનભાઇએ કલાના વિવિધ માધ્યમની સાથે નાબુનેન ન' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy