SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ધર્મના પરિપોષક હતા. એમની દૃષ્ટિમાં ધર્મ કરવાનો અધિકાર જેટલો મહાજનને છે એટલો જ એક હિરજનને પણ છે. (૪) નારીજાગરણ, સંસ્કાર નિર્માણ, રૂઢિ-ઉન્મૂલન અને સામાજિક બદીઓના બહિષ્કાર માટે તેઓ સતત પ્રયત્ન-શીલ હતા. એમણે પરદાપ્રથા, દહેજપ્રથા, ગર્ભહત્યા, મૃતભોજ–પ્રથા આદિ અસામાજિક રીત-રિવાજોમાં ક્રાંતિ કરી હતી. (૫) જૈન વિશ્વભારતી—પોતાની જન્મભૂમિ લાડનું (રાજસ્થાન)માં વિશ્વની એક માત્ર જૈન યુનિવર્સિટીની કલ્પનાને એમણે સાકાર કરી હતી. જૈન ધર્મ, દર્શન, ધ્યાન, યોગ, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, જીવનવિજ્ઞાન, બધાં દર્શનોનો તુલનાત્મક અભ્યાસ આદિ વિષયોમાં સ્નાતક, પોસ્ટગ્રેજ્યુએટ તથા પી.એચ.ડી.ના અભ્યાસની વિસ્તૃત રૂપરેખા સાથે આ યુનિવર્સિટી બેજોડ બની ગઈ છે. દૂરસ્થ શિક્ષણની સગવડથી હજારો માઇલ દૂર રહેલા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે. (૬) સમણ શ્રેણી ઃ ભગવાન મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરવા એમણે ‘સમણ શ્રેણી' ની અદ્ભુત રચના કરી હતી. સાધુ અને શ્રાવકની વચ્ચેની આ શ્રેણીમાં હાલ એકસોથી પણ વધુ સમણ-સમણી લગભગ સાધુ જેવું જ પવિત્ર જીવન જીવે છે પણ એમને દેશ-પરદેશમાં વાહન દ્વારા જવાની છૂટ હોવાથી તેઓ આજે દુનિયાના પ્રત્યેક પ્રદેશમાં જઈ જૈન ધર્મનો પ્રચાર કરે છે. આને માટે દરેક સમણ-સમણીને ઊંડી તાલીમ અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. આમ સમણ શ્રેણીની સ્થાપના તેમનું ઐતિહાસિક, દૂરદર્શિતાપૂર્ણ અને સાહસવાળુ કામ છે. (૭) આચાર્ય તુલસી એક મહાન આગમ-પુરુષ હતા. એમનાં વાચનાપ્રમુખત્વમાં એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞે પોતાની સંપાદન કૌશલથી જૈન વાડ્મયને આધુનિક ભાષામાં ટિપ્પણી સાથે પ્રસ્તુતિ આપવાનું ગુરુત્તર કાર્ય કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. આ કાર્યને ભારતીય વિદ્વાનોએ જ નહીં પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ જૈનદર્શન અને જૈનશાસનની જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિની અપૂર્વ સેવા માની છે. આવા યુગપુરુષ મહાન આચાર્યને ભારતનો સર્વોત્તમ ‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એમના જીવનકાળ દરમ્યાન એમણે રાષ્ટ્રપતિ ભવનથી માંડીને દેશના નાના મોટા ગામોમાં–શહેરોમાં, મહેલોમાં અને ઝૂંપડીઓમાં, પગપાળા ફરીને માનવધર્મનો, વ્યસનમુક્તિનો અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશ આપ્યો હતો. Jain Education Intemational ૨૯૧ અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા એક ૧૧ વર્ષના અબુધ, સરળ અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન આત્મસ્ફુરણાથી સંસારનો ત્યાગ કરી આજથી ૭૦ વર્ષ પૂર્વે જૈન મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અષ્ટમાચાર્ય કાલુગણિએ આ બાળક મુનિ નથમલને સદ્ભાગ્યે મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન્ન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાંત ઝવેરીની જેમ બાળમુનિના જીવનમાં અનેક પાસાઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા અને બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના ઇતિહાસમાં આવા ગુરુ-શિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક શાળા કે કોલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે ‘તુલસી વિશ્વ વિદ્યાલય'માં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો નક્કર અભ્યાસ કર્યો. સૈદ્ધાંતિક પરિચર્યા, પ્રવચન, લેખન અને આગમ-સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી સંપ્રદાયમાં જ નહીં પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા. ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કલકત્તા અને કન્યાકુમારીથી પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં એમણે વેધક પ્રહારો કર્યા. એ કહે છે કે જે ધર્મ માનવીના જીવનમાં પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એ જ સાચો ધર્મ છે. તામસિક અને પાશ્વિક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું સ્વરૂપ પ્રેક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. આગમ સાહિત્યમાં ઊંડું અનુસંધાન કરી ધ્યાન-પ્રક્રિયાનાં સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા (લેબોરેટરી) બનાવી ધ્યાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિકવૈજ્ઞાનિક પદ્ધતિ સર્વાંગીણ વિકાસયોગ્ય બનાવી જગત સામે રજૂ કરી છે. આજે આ પ્રેક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશ-વિદેશમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy