SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ કંઠસ્થ કરી લીધાં. જ્ઞાન અને તપના માર્ગે ચારિત્રના માર્ગને સ્વીકારવાની તેમની ભાવના ચરમસીમાએ પહોંચી ગઈ અને અનેક ગુરુવર્યો અને ગુરુણીઓના સાન્નિધ્યમાં સંસારના શણગાર ઉતારી પૂ.શ્રી નિધિબાઈના નામે તા. ૮-૧૨-૧૯૮૫ રવિવારના રોજ અણગાર બન્યાં નયનાબહેન. જ્ઞાન ક્રિયાનું નોક્ષઃ પૂ.શ્રી નિધિબાઈ વિદ્યા, વ્યવહાર અને વૈયાવચ્ચમાં આગળ વધ્યાં. તપ અને સ્વાધ્યાયમાં રત બનતાં ગયાં. જ્ઞાન સાથે ક્રિયામાં લક્ષ ચૂકતાં નહીં. “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે.” તે વાક્યને પૂ.શ્રીએ હૈયામાં ઉતારી અપ્રમત્ત દશાએ નિરંતર આરાધના કરવા લાગ્યાં. ચિત્રકલા ક્ષેત્રે પણ તેઓ પારંગત હતાં. તેઓશ્રી જુદાં જુદાં ક્ષેત્રોનો વિહાર ખેડવાં લાગ્યાં. જ્યાં જતાં ત્યાં લાયબ્રેરીનાં પુસ્તકોને ઓપ આપતાં. જ્ઞાનના ક્ષેત્રે આગળ વધતાં અને જ્ઞાનાવરણીય કર્મો ની નિર્જરા કરતાં. જૈન સંતો તો ખરે જ વિશ્વમાં હરતાંફરતાં વિદ્યાલયો છે. માનવજાતિના ઉત્થાનમાં તેમનું યોગદાન મોખરે રહ્યું છે. પુ.શ્રી નિધિબાઈ મ.સ. તપના માર્ગેથી ક્યારેય પાછાં પડ્યાં ન હતાં. તેમની તપશ્ચર્યા કાયમ ચાલુ જ રહેતી. તેઓ ખાસ માનતાં કે તપથી આત્માનું શુદ્ધિકરણ અને ઉર્વીકરણ બંને થાય છે. તેમણે જોરાવરનગરના પ્રથમ વખતના ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની મોટી તપશ્ચર્યા શરૂ કરી. ૩૧ ઉપવાસની લાંબી મજલ તેમણે શાતાપૂર્વક પસાર કરી. તેમનું પારણું પણ ખૂબ શાતાપૂર્વક પૂર્ણ થયું. ભવ્ય પ્રસંગની ઉજવણી ભવ્યતાથી પૂર્ણ થઈ. લોકોએ તેમાં તપ, જપ, વ્રત અને આરાધના દ્વારા ખુબ સાથ આપ્યો અને મંગલ પ્રસંગ સુંદર રીતે વીત્યો. - વેદનાને વહાલ : પણ પારણાંના બીજા દિવસથી પણ પારણાંના બીજા દિવસથી. પૂ.શ્રીને પેટની તકલીફ શરૂ થઈ. ડૉક્ટરની સારવાર શરૂ થઈ. હોસ્પિટલમાં તેમને દાખલ કરવાની વાત આવી, પણ પોતે ના પાડી. પેટની વેદનાને વહાલથી ભેટી, આત્મા અને દેહના ભેદવિજ્ઞાનને સમજીને, ઉતારીને આત્મવિજય તરફ તેમણે કૂચ શરૂ કરી. સાંજના પ્રતિક્રમણ કર્યું. બધાંને ખમાવ્યાં. બધા ઠાણા ઉપસ્થિત હોવા છતાં પોતે અનાસક્ત યોગમાં રહ્યાં. નવકારમંત્રના જાપ ચાલુ હતા અને વહેલી સવારે ૩ વાગ્યા ને ૪૦ મિનિટે તેમનો શાશ્વત આત્મા ઉચ્ચ સ્થાને બિરાજવા નાશવંત દેહ-પિંજરથી મુક્ત થઈને મુખેથી ઉર્ધ્વગમન કરી ગયો. પથપ્રદર્શક કેટલી નાની ઉંમર હતી! ૩૪ વર્ષનું ફૂલ ખીલે ન ખીલે ત્યાં તો મૂરઝાઈ ગયું. સંયમ સાધનાની સુગંધ પ્રસરાવતું ગયું. . . ૪ મા–રવી gિ ગો કરી અપ્પા સાપેદાઈ ધુળે સરર સત્પષની આજ્ઞાનો પાલક પંડિત કોઈ પણ જાતની વાસના કે ભૌતિક ઇચ્છા રાખ્યા વગર એક આત્મોન્નતિનું લક્ષ રાખી દેહદમન કરે. * પૂ.શ્રીની વિશિષ્ટતાઓ: નાની ઉંમરમાં જીવનવનને અતિ વેગથી વટાવ્યું પણ પૂ.શ્રીએ તેમના જીવનના વૈરાગ્યપંથની શરૂઆતથી જીવનના પૂર્ણવિરામ સુધીની યાત્રામાં તપને મોક્ષયાત્રા માટેનું અવિરામ લક્ષ બનાવી પૂર્વે કરેલાં સંચિત કર્મોનો ભુક્કો બોલાવવાનું ભૂલ્યા નથી. વૈરાગ્ય પહેલાં સં. ૨૦૩૮ની સાલ. એકાસણે વરસીતપ, ૩૯માં ૩૧ ઉપવાસ, ૪૦-૪૧ ઉપવાસે વરસીતપ, સં. ૨૦૪૨માં સંયમગ્રહણ-૪૫ ઉપવાસની ઉગ્ર તપસ્યા, સં. ૪૩માં અઠમે વરસીતપ, સં. ૪૪માં ત્રણ મહિના આયંબિલ, ૪પમાં છથી વરસીતપ, ૪૬માં અમે વરસીતપ, ૪૭માં ઉપવાસે સિદ્ધિતપની આરાધના, ૪૮માં ૩૧ ઉપવાસની આરાધના અને સં. ૨૦૪૯માં જોરાવરનગરના પ્રથમ ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની અંતિમ આરાધના પૂર્ણ કરી પારણું કર્યું અને બીજે દિવસે તે તપસ્વી યાત્રીએ જીવનની અંતિમ યાત્રા તરફ પ્રયાણ આદર્યું. પોતે જ્ઞાનાભ્યાસ કરતાં તેથી લોકો પણ વાચનાભિમુખ બને તેવી તેમની દૃષ્ટિ ખરી. તેથી ૧૫ થી ૨૦ સંઘોમાં પુસ્તકોનું વ્યવસ્થિત આયોજન કરી લાયબ્રેરીને નવો જ ઓપ આપ્યો. તેઓ એક અચ્છા કલાકાર હતા. પ્રસંગોપાત તેમ જ ‘રાહ'માં ગાદીની સ્થાપના-પાટ ઉપર અષ્ટમંગલનું સુંદર ચિત્ર પોતે દોર્યું હતું. હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વેને મૂકું કરી સુન્દર ચાહી ચાહી. -સુન્દરમ્ આપને અમારા અગણિત વંદન હો! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy