SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મ.સાહેબનાં દર્શન કરી પૂ.શ્રી કંચનબાઈ મ.સ. મરુદેવી માતાની માફક પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદ અનુભવતાં. પૂર્વભવોના સંસ્કારોથી જીવ જન્મ ધારણ કરે છે. માતાપિતા જીવન ઘડવાનું કાર્ય કરે છે. ધર્મના સંસ્કારોથી ગુરુઓ તે જીવનું ઘડતર કરે છે. અહીં પણ પરમ પ્રસન્નતા એટલે એવી સ્થિતિ, એવી ભૂમિકા જે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમોત્તમ હોય. ચરમ સીમારૂપ હોય, જેનાથી ઉપર કે વિશેષ કાંઈ જ ન હોય. દુન્યવીથી પર હોય. ‘પરમ’ શબ્દના ઉચ્ચારણ વખતે અવિનાશી ઈશ્વરીય ચૈતન્યમય તત્ત્વ તરફ નિર્દેશ થયેલો છે. જે માતાએ પુત્રને ધર્મના સંસ્કારથી સુસંસ્કારિત કરી જૈન શાસનને ચરણે ધર્યો તે જ પુત્ર અત્યારે અધ્યાત્મ જગતના ઉચ્ચસ્થાને, ગુરુપદે બિરાજતો હોય તો સ્વાભાવિક છે કે તે માતા તેનાં દર્શન કરતી વખતે આવી જ પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદની અનુભૂતિ કરતી હોય! અહા! ઉજ્વલ તે ક્ષણો! પરમ પવિત્ર તે ક્ષણો! પાનખરમાં ગુલાબની સુગંધાવિ.સં. ૨૦૫૩ પછી પૂ.શ્રી કંચનબાઈ મ.સ.નું સ્વાસ્થ્ય નબળું પડવા લાગ્યું. દર્દ અને વેદનાને હૈયે લગાડી દીધી. મનને આરાધનામાં જોડી દીધું. તનની વ્યાધિ અને મનની વ્યાકુળતાને ઊંડાણમાં ધરબી દીધાં. પૂ.શ્રી અંગૂરપ્રભાજી આદિ સતીઓએ તેમની અનન્ય સેવા કરી. પૂ.શ્રી સવાઈ મુનિ અને પૂ.શ્રી મુકેશ મુનિના સાન્નિધ્યમાં અણશણ, ઉપાસના અને સંથારા દ્વારા સાધનાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. સદ્ગુણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાન સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન અને કાયાના સંયમથી મુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ કરતો રહે છે. અર્થાત્ કષાય થવાના સમયે એવો તો સાવધાન રહે છે કે કષાયો કોઈ સ્થાને પેસી ન જાય તેવો ખ્યાલ સતત જે રાખે છે તે જ પૂજ્ય બને છે. -દશવૈકાલિક : ૧૪. આપને અમારાં અગણિત વંદન હો! જ્યોતિર્મય ભોમકા ભણી...... પૂ.શ્રી વસુમતીબાઈ મહાસતીજી શુભ નામ : મફતબહેન. માતાપિતા : શ્રી દિવાળીબહેન તલશીભાઈ ઝૂમચંદભાઈ મોદી. જન્મ અને જન્મસ્થળ : પાલનપુર. Jain Education International ૧૯૦૮, મે મહિનો, મુ. સંપ્રદાય : દરિયાપુરી દીક્ષા : વિ. સં. ૧૯૯૫, મહા સુદ દશમ; ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરી. ૨૦૦ દીક્ષાદાત્રી : પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : આગમ અને સૂત્રોના ઊંડા અભ્યાસી. કાળ ધર્મ : સં. ૨૦૩૧, ચૈત્ર વદ ૧૧, ઈ.સ. તા. ૬૫-૧૯૭૫, મંગળવારે ૧૨મા ૧૦ મિનિટે. વિઠ્ઠલગઢ મુકામે. “કલ્યાણકુંજે સુ-કેલી કરતા જ સુધા-રસેલી પ્રગટે સુ-હેલી બુડંત–બેલી! !'' વાણી વહાવે હૈયે અનેરી નિર્ણય વંદુ હું ‘વસુ-સુવાસ’ છે વૈધવ્યે વધુ વિમલતા બેન! સંસારથી કૈં!' કેવડી નાની દીકરી! હજી તો ઢીંગલા-ઢીંગલીથી રમતી હોય! મૂળ ઉપર સ્ફટિક જેવી નિર્દોષતાથી શુદ્ધ પારદર્શિતા છવાયેલી હોય. સંસાર શું કહેવાય તેના અંશમાત્રની સમજ ન હોય તેવી અણસમજમાં સંસાર શરૂ થાય અને પોતે જ ઢીંગલા-ઢીંગલી જેવાં હોય અને ઘર માંડ્યું ન માંડ્યું ત્યાં તો વાવાઝોડું ફૂંકાય.....બધું જ.....જમીનદોસ્ત થઈ જાય. સંસાર આખો અને હાઁ જ્યાં સંસારને જાણ્યો નથી ત્યાં તેની અસારતાની ખબર પણ કેવી રીતે પડે! પણ.......પણ....... ખરેખર! જીવનમાં કો'ક એવી ઘટના ઘટી જાય છે જે ઘટતાં રાહીના રાહને સમૂળગો બદલાવી નાખી રાહીને સંસારની ઊંડી ગર્તામાં ગબડતો અટકાવી તેના આત્માને જ્યોતિર્મય ભોમકા તરફની કેડીએ પગલી માંડતો કરી દે છે. For Private & Personal Use Only જન્મ, લગ્ન અને વૈધવ્ય : આવી જ વાતની ઝાંખી કરાવતી મફતની આ વાત છે. અવિકસિત એવા બનાસકાંઠાના પૂર્ણ વિકસિત નગર એવા પાલનપુરમાં માતા દિવાળીબાઈની કૂખે અને પિતાશ્રી તળશીભાઈ ઝૂમચંદના કુળમાં મફતનો (પૂ.શ્રી વસુમતીબાઈ) જન્મ થયો હતો. પાલનપુર નગરે ઝવેરીઓની શ્રીમંતાઈની સાથે ત્યાગી સંતપુરુષોની-સતીરત્નોની ભેટ પણ જૈન સમાજને આપી છે. વર્ષો પહેલાંના નવાબીકાળના એ સમયમાં બાળલગ્નો કરવામાં આવતાં. તેમ મફતબહેનનાં ચૌદ-પંદર વર્ષની ઉંમરે તે જ ગામમાં પીતાંબરભાઈ ઈશ્વરભાઈના સુપુત્ર દામાજી સાથે લગ્ન થયાં અને લગ્નને નવેક www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy